2.5 KiB
2.5 KiB
કિદ્રોન નાળુ
તથ્યો:
કિદ્રોન નાળુએ યરૂશાલેમ શહેરની બહાર તેની પૂર્વ દીવાલ અને જૈતુન પર્વત વચ્ચેનું ઊંડું નાળુ છે.
- નાળુ 1000 મીટર ઊંડું અને 32 કિલોમીટર લાંબુ છે.
- જ્યારે દાઉદ રાજા તેના દીકરા આબ્શાલોમથી નાસતો હતો ત્યારે, તે કિદ્રોન નાળાને પસાર કરી જૈતુન પર્વત પર ગયો હતો.
- યહુદાહના યોશિયા રાજા અને આસા રાજાએ હુકમ કર્યો કે જુઠ્ઠા દેવોના ઉચ્ચ સ્થાનો અને વેદીઓને તોડીને બાળી નાંખવી; રાખને કિદ્રોન નાળામાં ફેંકી દેવાની હતી.
- હિઝિકિયા રાજાના શાસન દરમિયાન, કિદ્રોન નાળુ એ જગા હતી જ્યાં યાજકો સઘળું અશુદ્ધ જે મંદિરમાથી કાઢી નાંખવામાં આવતું તે ફેંકતા હતા.
- દુષ્ટ રાણી અથાલ્યાએ જે દુષ્ટ કૃત્યો કર્યા હતા તેને કારણે અહીં તેણીની હત્યા કરવામાં આવી હતી.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જુઓ: આબ્શાલોમ, આસા, અથાલ્યા, દાઉદ, જુઠ્ઠા દેવ, હિઝિકિયા, ઉચ્ચ સ્થાનો, યોશિયા, યહુદાહ, જૈતુનનો પર્વત)
બાઈબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H5674, H6939, G2748, G5493