4.9 KiB
4.9 KiB
યહુદા, યહુદાનું રાજ્ય
તથ્યો:
યહુદાનું કુળ ઈઝરાયેલના બાર કુળોમાનું સૌથી મોટું કુળ હતું. યહુદાનું રાજ્ય યહુદા અને બિન્યામીનના કુળનું બનેલું હતું.
- સુલેમાન રાજા મરણ પામ્યો પછી, ઈઝરાયેલ રાષ્ટ્ર બે ભાગમાં વિભાજિત થયું હતું:
ઈઝરાયેલ અને યહુદા. યહુદાનું રાજ્યએ દક્ષિણનું રાજ્ય હતું જે ખારા સમુદ્રની પશ્ચિમે સ્થિત હતું.
- યહુદાનું રાજ્યનું પાટનગર યરૂશાલેમ શહેર હતું.
- યહુદાના આઠ રાજાઓ યહોવાને આધીન થયા અને તેમનું ભજન કરવા તેઓએ લોકોને દોર્યા.
બીજા યહુદાના રાજાઓ દુષ્ટ હતા અને તેઓએ લોકોને મૂર્તિપુજા કરવા દોર્યા હતા.
- આશ્શુરીઓએ ઈઝરાયેલ (ઉત્તરનું રાજ્ય)ને હરાવ્યાના 120 વર્ષો પછી, યહુદા બાબીલોન રાષ્ટ્ર દ્વારા જીતવામાં આવ્યો.
બાબેલીઓએ શહેર અને મંદિરનો નાશ કર્યો, અને યહુદાના મોટા ભાગના લોકોને બાબીલોનમાં ગુલમો તરીકે લઈ ગયા.
(આ પણ જુઓ: યહુદા, ખારો સમુદ્ર)
બાઈબલના સંદર્ભો:
બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:
- 18:7 માત્ર બે કુળો તેને વફાદાર રહ્યા. (રહાબામ).
આ બે કુળો બન્યા યહુદાના રાજ્યો.
- 18:10 યહુદાના રાજ્યો અને ઈઝરાયેલના એકબીજાના દુશ્મનો બન્યા અને અવારનવાર એકબીજા વિરુદ્ધ લડતા હતા.
- 18:13 યહુદાના રાજાઓ દાઉદના વંશજો હતા.
આ રાજાઓમાના કેટલાંક સારાં માણસો હતા જેમણે ન્યાયી રીતે રાજ કર્યું અને ઈશ્વરની ભક્તિ કરી. પરંતુ મોટાભાગના યહુદાના રાજાઓ દુષ્ટ, ભ્રષ્ટ અને તેઓએ મુર્તિની પુજા કરી.
- 20:1 ઈઝરાયેલ અને યહુદાના રાજ્યો બંનેએ ઈશ્વર વિરુદ્ધ પાપો કર્યા.
- 20:5 લોકો યહુદાના રાજ્યોમાં જોયું કે કેવી રીતે ઈશ્વરે ઈઝરાયેલ રાજ્યના લોકોને તેમનું ન માનવા અને આધીન થવા બદલ શિક્ષા કરી .
પરંતુ તેમછતાં તેઓએ કનાનીઓના દેવોની પણ મૂર્તિ પુજા કરી.
- 20:6 આશ્શુરીઓએ ઈઝરાયેલ રાજ્યને નષ્ટ કર્યું તેના 100 વર્ષો પછી, ઈશ્વરે નબુખાદનેસ્સારને મોકલ્યો, બાબેલીઓનો રાજા, હુમલો કરવા _યહુદાના રાજ્ય પર.
- 20:9 નબુખાદનેસ્સાર અને તેના લશ્કરે લગભગ સર્વ લોકોને લઈ લીધા યહુદાના રાજ્યના બાબીલોનમાં, માત્ર ગરીબોને ખેતર ખેડવાને પાછળ છોડીને.
શબ્દ માહિતી:
- Strong's: H4438, H3063