gu_tw/bible/other/chronicles.md

2.5 KiB

કાળવૃતાંત

વ્યાખ્યા:

“કાળવૃતાંત” શબ્દ, એ સમયગાળા દરમ્યાન થયેલી ધટનાઓના લેખિત હેવાલને દર્શાવે છે.

  • જૂના કરારમાંના બે પુસ્તકોને, “કાળવૃતાંતનું પહેલું પુસ્તક” અને “કાળવૃતાતનું બીજું પુસ્તક” કહેવામાં આવે છે.
  • જેને ”કાળવૃતાંતના” પુસ્તકો કહેવાય છે, તેમાં આદમથી શરૂઆત કરીને દરેક પેઢીના લોકોની યાદી સાથે, ઈઝરાએલી લોકોના ઈતિહાસનો ભાગ નોંધવામાં આવ્યો છે.
  • “પહેલા કાળવૃતાંત” ના પુસ્તકમાં શાઉલ રાજાના જીવનનો અંત અને દાઉદ રાજાના રાજ્યની ઘટનાઓને નોંધવામાં આવી છે.
  • “બીજા કાળવૃતાંત” ના પુસ્તકમાં, સુલેમાન રાજાનું શાસન, તથા બીજા કેટલાક રાજાઓ, સાથે મંદિરનું બાંધકામ, અને ઈઝરાએલના ઉત્તરના રાજ્યના યહૂદાના દક્ષિણના રાજ્યથી પડેલા ભાગલાની નોંધ કરે છે.
  • બીજા કાળવૃતાંતના અંતમાં બાબિલોનના બંદીવાસની શરૂઆતનું વર્ણન કરવામાં આવ્યું છે

(આ પણ જુઓ: બાબિલોન, દાઉદ, બંદીવાસ/દેશવટો, ઈઝરાએલનું રાજ્ય, યહુદા, સુલેમાન)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H1697