gu_tw/bible/names/kingdomofisrael.md

5.0 KiB

ઈઝરાયેલનું રાજ્ય

તથ્યો:

જ્યારે સુલેમાન મૃત્યુ પામ્યો પછી ઈઝરાયેલના બાર કુળો બે રાજ્યોમાં વિભાજિત થયા ત્યારે ઈઝરાયેલ રાષ્ટ્રની ઉત્તર ભાગમાં જે હતું તે ઈઝરાયેલનું રાજ્ય બન્યું.

  • ઉત્તરમાં ઈઝરાયેલ રાજ્યના દસ કુળો, અને દક્ષિણમાં યહુદાનું રાજ્ય જેને બે કુળો હતા.
  • ઈઝરાયેલ રાજ્યનું પાટનગર સમારીઆ શહેર હતું.

તે યહુદા રાજ્યના પાટનગર યરૂશાલેમ શહેરથી આશરે 50 કિમીએ હતું.

  • ઈઝરાયેલ રાજ્યના સર્વ રાજાઓ દુષ્ટ હતા.

તેમણે લોકોને મૂર્તિઓની અને જુઠ્ઠા દેવોની સેવા કરવા પ્રભાવિત કર્યા હતા.

  • ઈશ્વરે ઈઝરાયેલ રાજ્ય પર હુમલો કરવા માટે આશ્શુરીઓને મોકલ્યા હતા.

ઘણાં ઈઝરાયેલીઓને પકડીને આશ્શૂરમાં રહેવા લઈ જવામાં આવ્યા હતા.

  • ઈઝરાયેલ રાજ્યમાં બાકી રહેલા લોકોની સાથે રહેવા આશ્શુરીઓ વિદેશીઓને લાવ્યા હતા.

આ વિદેશીઓએ ઈઝરાયેલીઓ સાથે આંતરલગ્નો કર્યા, અને તેમના વંશજો સમરૂની લોકો બન્યા.

(આ પણ જુઓ: આશ્શૂર, ઈઝરાયેલ, યહુદા, યરૂશાલેમ, રાજ્ય, સમારીઆ)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાથી ઉદાહરણો:

  • 18:8 ઈઝરાયેલના બીજા દસ કુળોએ જેઓએ રહાબામ વિરુદ્ધ બંડ પોકાર્યું હતું તેઓએ યરોબામ નામના માણસને તેમના રાજા તરીકે નિમ્યો. તેમણે જમીનની ઉત્તર ભાગમાં તેમનું રાજ્ય સ્થાપ્યું અને તેને કહેવામાં આવ્યું ઈઝરાયેલનું રાજ્ય.
  • 18:10 યહુદા અને ઈઝરાયેલના રાજ્યો દુશ્મનો બન્યા અને એકબીજા વિરુદ્ધ અવારનવાર લડતાં હતા.
  • 18:11 નવા ઈઝરાયેલ રાજ્યમાં, સર્વ રાજાઓ દુષ્ટ હતા.
  • 20:1 ઇઝરાયેલના રાજ્ય અને યહુદાના બંનેએ ઈશ્વર વિરુદ્ધ પાપ કર્યું.
  • 20:2 ઈઝરાયેલનું રાજ્ય આશ્શુરી સામ્રાજય, શક્તિશાળી, ઘાતકી રાષ્ટ્ર દ્વારા નાશ પામ્યું. આશ્શુરીઓએ ઘણાં લોકોને મારી નાંખ્યા__ઈઝરાયેલ રાજ્યમાં__, મૂલ્યવાન વસ્તુઓ લઈ ગયા, અને દેશનું ઘણું બાળી નાંખ્યું.
  • 20:4 પછી આશ્શુરીઓ વિદેશીઓને ત્યાં રહેવા લાવ્યા જ્યાં ઈઝરાયેલનું રાજ્ય હતું. વિદેશીઓએ નષ્ટ થયેલ શહેર બાંધ્યું અને ત્યાં બાકી રહેલા ઈઝરાયેલીઓ સાથે લગ્ન કર્યા. જે ઇઝરાયેલીઓએ વિદેશીઓ સાથે લગ્ન કર્યા તેમના વંશજો સમરૂનીઓ કહેવાયા.

શબ્દ માહિતી:

  • Strong's: H3478, H4410, H4467, H4468