4.7 KiB
4.7 KiB
યશાયા
સત્યો:
યશાયા એ દેવનો પ્રબોધક હતો કે જેણે યહૂદાના ચાર રાજાઓના શાસન દરમ્યાન ભવિષ્યવાણી કરી: ઉઝિઝયા, યોથામ, આહાઝ, અને હિઝિક્યા.
- હિઝિક્યા રાજાના રાજ્ય દરમ્યાન, જયારે આશ્શૂરીઓએ શહેર પર હુમલો કર્યો હતો, તે સમય દરમ્યાન તે યરૂશાલેમમાં રહેતો હતો.
- યશાયાનું પુસ્તક બાઈબલના જૂના કરારનું પુસ્તકોમાનું એક મુખ્ય પુસ્તક છે.
- યશાયા એ ઘણી ભવિષ્યવાણીઓ કરી કે જે જયારે હજુ તે જીવતો હતો ત્યારે સાચી પડી.
- ખાસ કરીને યશાયા મસીહા વિશેની લખેલી ભવિષ્યવાણીઓ માટે જાણીતો છે, તે જયારે ઈસુ પૃથ્વી ઉપર રહેતો હતો ત્યારે 700 વર્ષો પછી તેઓ સાચી પડી.
- ઈસુ અને તેના શિષ્યોએ લોકોને મસીહા વિશે શીખવવા માટે યશાયાની ભવિષ્યવાણીઓ ટાંકી (અવતરણ ટાંકયા).
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: આહાઝ, આશ્શૂર, ખ્રિસ્ત, હિઝિક્યા, યોથામ, યહૂદા, પ્રબોધક, ઉઝિઝયા)
બાઈબલની કલમો:
- 2 રાજા 20:1-3
- પ્રેરિતો 28:25-26
- યશાયા 1:1
- લૂક 3:4
- માર્ક 1:1-3
- માર્ક 7:6-7
- માથ્થી 3:1-3
- માથ્થી 4:14-16
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 21:9 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે મસીહા કુંવારીથી જન્મ લેશે.
- 21:10 યશાયા પ્રબોધકે જણાવ્યું કે મસીહા ગાલીલમાં રહેશે, ભંગિત હ્રદયવાળા લોકોને દિલાસો આપશે, અને બંદીવાનોને મુક્તિ જાહેર કરશે અને કેદીઓને છોડાવશે.
- 21:11 _યશાયા _ પ્રબોધકે એ પણ ભવિષ્યવાણી કરી કે મસીહા પર વિના કારણ દ્વેષ કરવામાં અને નકારવામાં આવશે.
- 21:12 યશાયા પ્રબોધકે ભવિષ્યવાણી કરી કે લોકો મસીહા ઉપર થૂંકશે, મશ્કરી કરશે અને મારશે.
- 26:2 તેઓએ તેને (ઈસુને)_ યશાયા_ પ્રબોધકનું ઓળિયું આપ્યું જેથી તે તે તેમાંથી વાંચે.
ઈસુએ ઓળિયું ખોલ્યું અને લોકો માટે તેનો ભાગ વાંચ્યો.
- 45:8 જયારે ફિલિપ રથની પાસે ગયો ત્યારે ઈથોપિયાનો (હબશી) યશાયા પ્રબોધકનું લખેલું પુસ્તક વાંચતો સાંભળ્યો.
- 45:10 યશાયા એ ઈસુ વિશે જે લખ્યું હતું, તે ફિલિપે ઈથોપિયના (હબશીને) સમજાવ્યું.
શબ્દ માહિતી:
- Strong's: H3470, G2268