2.4 KiB
2.4 KiB
શાંત્યાર્પણ, શાંત્યાર્પણો
તથ્યો:
ઈશ્વરે ઇઝરાયલીઓને જે બલિદાનો ચડાવવાને આજ્ઞા આપેલી તેઓમાનું એક બલિદાન તે “શાંત્યાર્પણ” હતું. તેને ઘણી વાર “આભારસ્તુતિનું અર્પણ” અથવા તો “સંગતાર્પણ” કહેવામાં આવે છે.
- આ અર્પણમાં, ખોડખાંપણ વગરના પ્રાણીનું બલિદાન, તે પ્રાણીના લોહીને વેદી પર છાંટવું અને તે પ્રાણીની ચરબીનું દહન કરવું તથા તે પ્રાણીના બાકીના દેહનું અલગથી દહન કરવું તેનો સમાવેશ થતો હતો.
- આ બલિદાન સાથે જોડાયેલું અર્પણ બેખમીરી અને ખમીરી રોટલીનું હતું કે જેને દહનીયાર્પણની ઉપર દહન કરવામાં આવતું હતું.
- જે ખોરાક અર્પણ કરવામાં આવ્યો હતો તે ખાવા માટે યાજક અને અર્પણ કરનાર વ્યક્તિને અનુમતિ હતી.
- આ અર્પણ ઈશ્વરની તેમના લોકો સાથેની સંગત સૂચવે છે.
(આ પણ જૂઓ: દહનીયાર્પણ, સંગત, સંગતનું અર્પણ, ખાદ્યાર્પણ, યાજક, બલિદાન, બેખમીર રોટલી)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: H8002