gu_tw/bible/other/grainoffering.md

1.8 KiB

ખાદ્યાર્પણ, ખાદ્યાર્પણો

વ્યાખ્યા:

ખાદ્યાર્પણ એ મોટે ભાગે દહનાર્પણ પછી, દેવને આપવામાં આવતું ઘઉં અથવા જવના લોટનું દાન હતું.

  • ખાદ્યાર્પણ માટે વાપરવામાં આવતું અનાજ બારીક દળેલું હોવું જોઈએ.
  • ક્યારેક તે ચઢાવ્યા પહેલા રાંધવામાં આવતું હતું, પણ બીજા સમયે તેને રાંધ્યા વગરનું રાખવામાં આવતું હતું.
  • અનાજના લોટમાં તેલ અને મીઠું ઉમેરવામાં આવતું હતું, પણ ખમીર અને મધની પરવાનગી નહોતી.
  • ખાદ્યર્પણનો ભાગ બાળવામાં આવતો હતો અને તેનો અમુક ભાગ યાજકો દ્વારા ખાવામાં આવતો હતો.

(આ પણ જુઓ: દહનાર્પણ, દોષાર્થાર્પણ , બલિદાન, પાપર્થાર્પણ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H4503, H8641