4.3 KiB
4.3 KiB
પિલાત
તથ્યો:
પિલાત યહૂદીયાના રોમન પ્રાંતનો રાજ્યપાલ હતો કે જેણે ઈસુને મૃત્યુદંડ દીધો હતો.
- પિલાત રાજ્યપાલ હતો તે કારણે તેની પાસે ગુનેગારોને મૃત્યુદંડ આપવાનો અધિકાર હતો.
- યહૂદી ધાર્મિક આગેવાનો ઇચ્છતા હતા કે પિલાત ઈસુને વધસ્તંભે જડાવે, તેથી તેઓ જૂઠું બોલ્યા અને કહ્યું કે ઈસુ ગુનેગાર હતા.
- પિલાતને ખબર પડી કે ઈસુ દોષિત ન હતા, પણ તે લોકોના ટોળાથી ડરતો હતો અને તેઓને ખુશ કરવા ચાહતો હતો, તેથી તેણે તેના સૈનિકોને ઈસુને વધસ્તંભે જડવા હુકમ કર્યો.
(અનુવાદ માટેના સૂચનો: નામોનો અનુવાદ કેવી રીતે કરવો)
(આ પણ જૂઓ: વધસ્તંભે જડાવવું, રાજ્યપાલ, દોષ, યહૂદિયા, રોમ)
બાઇબલના સંદર્ભો:
- પ્રેરિતોનાં કૃત્યો 4:27-28
- પ્રેરિતોનાં કૃત્યો 13:28-29
- લૂક 23:1-2
- માર્ક 15:1-3
- માથ્થી 27:11-14
- માથ્થી 27:57-58
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 39:9 બીજા દિવસે વહેલી સવારે, યહૂદી આગેવાનો ઈસુને રોમન રાજ્યપાલ પિલાત પાસે લાવ્યા.
તેઓને આશા હતી કે પિલાત ઈસુને દોષિત ઠરાવશે અને તેને મારી નાખવાની સજા કરશે. પિલાતે ઈસુને પૂછ્યું, “શું તું યહૂદીઓનો રાજા છે?”
- 39:10 પિલાતે કહ્યું, “સત્ય શું છે?”
- 39:11 ઈસુ સાથે વાત કર્યા પછી પિલાત લોકોના ટોળા પાસે ગયો અને કહ્યું, “મને આ માણસમાં કોઈ દોષ માલૂમ પડતો નથી.”
પણ યહૂદી આગેવાનોએ અને ટોળાએ બૂમો પાડી, “તેને વધસ્તંભે જડાવ!” પિલાતે પ્રત્યુત્તર આપ્યો, “તે દોષિત નથી.” પણ તેઓએ વધારે મોટેથી બૂમો પાડી. પછી પિલાતે ત્રીજી વાર કહ્યું, “તે દોષિત નથી!”
- 39:12 પિલાતને ડર લાગ્યો કે ટોળું હુલ્લડ કરશે, તેથી તેણે પોતાના સૈનિકોને ઈસુને વધસ્તંભે જડવા આદેશ આપ્યો.
- 40:2 પિલાતે હુકમ કર્યો કે ઈસુના માથા ઉપર “યહૂદીઓનો રાજા” એવો એક લેખ મૂકવામાં આવે.
- 41:2 પિલાતે કહ્યું, “કેટલાક સૈનિકોને લઈ જાવ અને કબરને પૂરતી સુરક્ષિત કરો.”
શબ્દ માહિતી:
- Strong's: G4091, G4194