4.7 KiB
4.7 KiB
યોહાન (પ્રેરિત)
સત્યો:
યોહાન ઈસુના બાર પ્રેરિતોમાંનો એક હતો અને ઈસુના નજીકના મિત્રોમાંનો હતો.
- યોહાન અને તેનો ભાઈ યાકૂબ ઝબદી નામનાં માછીમારના દીકરા હતા.
- સુવાર્તામાં કે જે તેણે ઈસુના જીવન વિશે લખી, યોહાને પોતાને “ઈસુ જે શિષ્યને પ્રેમ કરતો હતો” તે રીતે દર્શાવ્યો છે.
આ સૂચવે છે કે યોહાન ખાસ કરીને ઈસુનો એક નિકટનો મિત્ર હતો.
- પ્રેરિત યોહાને નવા કરારના પાંચ પુસ્તકો લખ્યા: યોહાનની સુવાર્તા, ઈસુ ખ્રિસ્તનું પ્રકટીકરણ, અને અન્ય વિશ્વાસીઓને ત્રણ પત્રો લખ્યા.
- ધ્યાન રાખો કે પ્રેરિત યોહાન એ યોહાન બાપ્તિસ્ત કરતાં અલગ વ્યક્તિ છે.
(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)
(આ પણ જુઓ: પ્રેરિત, વ્યક્ત કરવું, યાકૂબ (ઝબદીનો પુત્ર), યોહાન (બાપ્તિસ્ત), ઝબદી)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 36:1 એક દિવસે, ઈસુએ તેના ત્રણ શિષ્યો, પિતર, યાકૂબ, અને __યોહાન__ને તેની સાથે લીધા.
( યોહાન નામનો શિષ્ય એ એજ વ્યક્તિ નહોતો કે જેણે ઈસુને બાપ્તિસ્મા આપ્યું હતું.)
તેઓ પોતે ઊંચા પહાડ ઉપર ગયા.
- __44:1__એક દિવસે, પિતર અને યોહાન મંદિરમાં જઈ હતા.
જયારે તેઓ મંદિરના દરવાજા આગળ પહોંચ્યા,તેઓએ લંગડા માણસને જોયો કે જે પૈસા માટે ભીખ માગી રહ્યો હતો.
- __44:6__પિતર અને યોહાન જે કહી રહ્યા હતા તેથી મંદિરના આગેવાનો ખૂબજ નારાજ હતા.
જેથી તેઓએ તેમની ધરપકડ કરી અને તેઓને જેલમાં નાંખ્યા.
- __44:7__બીજા દિવસે, યહૂદી આગેવાનો પિતર અને _યોહાન_ને મુખ્ય યાજક અને બીજા ધાર્મિક આગેવાનો પાસે લાવ્યા.
તેઓએ પિતર અને _યોહાન_ને પૂછયું, “કયા પરાક્રમથી તમે આ લંગડા માણસને સાજો કર્યો?”
- 44:9 આગેવાનો આશ્ચર્ય પામ્યા હતા કે પિતર અને યોહાન ખૂબ હિંમતથી બોલ્યાં કારણકે તેઓ જોઈ શક્યા કે આ માણસો સામાન્ય માણસો હતા કે જેઓ અભણ હતા.
પણ પછી તેઓએ યાદ કર્યું કે આ માણસો ઈસુની સાથે હતા. પછી તેઓએ પિતર અને _યોહાન_ને ધમકી આપી, તેઓએ તેમણે જવા દીધા.
શબ્દ માહિતી:
- Strong's: G2491