gu_tw/bible/kt/resurrection.md

3.3 KiB

જીવનોત્થાન, ઉત્થાન

વ્યાખ્યા:

“જીવનોત્થાન” શબ્દ મરણ પામ્યા બાદ ફરીથી જીવિત થવું તેનો ઉલ્લેખ કરે છે.

  • કોઈ વ્યક્તિનું જીવનોત્થાન કરવાનો અર્થ તે વ્યક્તિને ફરીથી જીવિત કરવી એવો થાય છે.

આ કરવાનું સામર્થ ફક્ત ઈશ્વર પાસે છે.

  • “જીવનોત્થાન” શબ્દ ઘણી વાર ઈસુ મરણ પામ્યા અને બાદમાં સજીવન થયા તેનો ઉલ્લેખ કરે છે.
  • જ્યારે ઈસુએ કહ્યું કે, “ઉત્થાન તથા જીવન હું છું” ત્યારે, તેમના કહેવાનો અર્થ એ હતો કે જીવનોત્થાનનો સ્રોત તેઓ પોતે છે અને તેઓ જ લોકો પાછા સજીવન થાય તેવું કરનાર છે.

અનુવાદ માટેના સૂચનો:

  • એક વ્યક્તિના “જીવનોત્થાન” નો અનુવાદ “ફરીથી જીવતા થવું” અથવા તો “મરણ પામ્યા બાદ ફરીથી જીવિત થવું” તરીકે કરી શકાય.
  • આ શબ્દનો શાબ્દિક અર્થ “ઊભા થવું” અથવા તો “(મરણમાંથી) ઊભા થવાની ક્રિયા” એવો થાય છે. આ શબ્દનો અનુવાદ કરવાની આ બીજી રીતો હશે.

(આ પણ જૂઓ: જીવન, મરણ, ઊભા કરવું)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 21:14 મસીહાના મરણ અને જીવનોત્થાન દ્વારા, ઈશ્વર પાપીઓને બચાવવાની અને નવો કરાર સ્થાપિત કરવાની યોજના સિદ્ધ કરશે.
  • 37:5 ઈસુએ પ્રત્યુતર આપ્યો કે, “ઉત્થાન તથા જીવન હું છું.

જે કોઈ મારામાં વિશ્વાસ કરે છે તે જો કે મરણ પામે તો પણ જીવશે.

શબ્દ માહિતી:

  • Strong's: G386, G1454, G1815