3.3 KiB
3.3 KiB
જીવનોત્થાન, ઉત્થાન
વ્યાખ્યા:
“જીવનોત્થાન” શબ્દ મરણ પામ્યા બાદ ફરીથી જીવિત થવું તેનો ઉલ્લેખ કરે છે.
- કોઈ વ્યક્તિનું જીવનોત્થાન કરવાનો અર્થ તે વ્યક્તિને ફરીથી જીવિત કરવી એવો થાય છે.
આ કરવાનું સામર્થ ફક્ત ઈશ્વર પાસે છે.
- “જીવનોત્થાન” શબ્દ ઘણી વાર ઈસુ મરણ પામ્યા અને બાદમાં સજીવન થયા તેનો ઉલ્લેખ કરે છે.
- જ્યારે ઈસુએ કહ્યું કે, “ઉત્થાન તથા જીવન હું છું” ત્યારે, તેમના કહેવાનો અર્થ એ હતો કે જીવનોત્થાનનો સ્રોત તેઓ પોતે છે અને તેઓ જ લોકો પાછા સજીવન થાય તેવું કરનાર છે.
અનુવાદ માટેના સૂચનો:
- એક વ્યક્તિના “જીવનોત્થાન” નો અનુવાદ “ફરીથી જીવતા થવું” અથવા તો “મરણ પામ્યા બાદ ફરીથી જીવિત થવું” તરીકે કરી શકાય.
- આ શબ્દનો શાબ્દિક અર્થ “ઊભા થવું” અથવા તો “(મરણમાંથી) ઊભા થવાની ક્રિયા” એવો થાય છે. આ શબ્દનો અનુવાદ કરવાની આ બીજી રીતો હશે.
(આ પણ જૂઓ: જીવન, મરણ, ઊભા કરવું)
બાઇબલના સંદર્ભો:
- 1 કરિંથી 15:12-14
- 1 પિતર 3:21-22
- હિબ્રૂ 11:35-38
- યોહાન 5:28-29
- લૂક 20:27-28
- લૂક 20:34-36
- માથ્થી 22:23-24
- માથ્થી 22:29-30
- ફિલિપી 3:8-11
બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 21:14 મસીહાના મરણ અને જીવનોત્થાન દ્વારા, ઈશ્વર પાપીઓને બચાવવાની અને નવો કરાર સ્થાપિત કરવાની યોજના સિદ્ધ કરશે.
- 37:5 ઈસુએ પ્રત્યુતર આપ્યો કે, “ઉત્થાન તથા જીવન હું છું.
જે કોઈ મારામાં વિશ્વાસ કરે છે તે જો કે મરણ પામે તો પણ જીવશે.
શબ્દ માહિતી:
- Strong's: G386, G1454, G1815