3.2 KiB
3.2 KiB
યજ્ઞવેદી, યજ્ઞવેદીઓ
વ્યાખ્યા:
યજ્ઞવેદી એક ઉભું કરેલું માળખું હતું કે જ્યાં ઈઝરાએલીઓ દેવને પશુઓ અને અનાજનું દહન તરીકે અર્પણ કરતા.
- બાઈબલના સમયો દરમ્યાન સાદી યજ્ઞવેદીઓ બાંધવામાં આવતી, જેમકે નીચે માટી ચણી તેના ઉપર મોટા પથ્થરોને વારાફરતી સાવચેતીથી મુકવામાં આવતા જેથી વેદી હાલે નહિ.
- ઘણી ડબ્બા-આકારની વિશિષ્ઠ યજ્ઞવેદીઓ બનાવવામાં આવતી, જેને લાકડા પર સોનું, પિત્તળ અથવા કાંસાની ધાતુઓથી મઢી લેવામાં આવતી હતી.
- બીજા જૂથના લોકો જેઓ ઈઝરાએલીઓની નજીક રહેતા હતા, તેઓએ પણ તેમના દેવોને બલિદાન ચઢાવવા યજ્ઞવેદીઓ બાંધતા.
(આ પણ જુઓ: ધૂપની વેદી, જૂઠા દેવ, ખાધાર્પણ, બલિદાન)
બાઈબલની કલમો:
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 3:14 વહાણમાંથી બહાર નિકળ્યા બાદ નુહે વેદી બાંધી અને બલિદાન માટે ઉપયોગ કરી શકાય, તેવાં થોડા એક પ્રાણીઓનું બલિદાન આપ્યું.
- 5:8 જયારે તેઓ બલિદાનની જગ્યાએ પહોંચ્યા, ઈબ્રાહિમે તેના દિકરા ઈસહાકને બાંધીને વેદી ઉપર સુવાડયો.
- 13:9 યાજક પશુને મારીને વેદી ઉપર તેનું દહન કરતા.
- 16:6 તેણે (ગિદિઓને) મુર્તિઓની વેદી ની નજીકમાં નવી વેદી બાંધી દેવને અર્પણ કરી અને તેની ઉપર દેવ માટે બલિદાન ચઢાવ્યા.
શબ્દ માહિતી:
- Strong's: H741, H2025, H4056, H4196, G1041, G2379