gu_tw/bible/kt/save.md

9.0 KiB

બચાવવું, બચાવે છે, બચાવ્યા, સલામત, તારણ

વ્યાખ્યા:

“બચાવવું” શબ્દ કોઈકને કંઇક ખરાબ અથવા નુકસાનકારક અનુભવતા દુર રાખવું તેનો ઉલ્લેખ કરે છે. “સલામત રહેવું” તેનો અર્થ નિકસન અથવા જોખમથી સુરક્ષિતએમ થાય છે.

  • શારીરિક અર્થમાં, લોકોને નુકસાન, જોખમ, અથવા મરણથી બચાવવામાં અથવા છોડાવવામાં આવે.
  • આત્મિક અર્થમાં, જો વ્યક્તિને “બચાવવામાં”આવ્યો છે, તો પછી ઈશ્વરે, ઈસુના વધસ્તંભના મરણ દ્વારા, તેને માફ કર્યો છે અને નરકમાં પોતાના પાપોની શિક્ષા ભોગવતા છોડાવ્યો છે.
  • લોકો બીજા લોકોને બચાવી શકે અથવા જોખમમાંથી છોડાવી શકે, પરંતુ માત્ર ઈશ્વર જ લોકોને તેઓના પાપોની અનંતકાળની શિક્ષાથી બચાવી શકે.

“તારણ” શબ્દ બચાવવામાં આવ્યા અથવા દુષ્ટતાથી અને જોખમથી છોડાવવામાં આવ્યા તેવો ઉલ્લેખ કરે છે.

  • બાઈબલમાં, “તારણ” જેઓએ પોતાના પાપોનો પસ્તાવો કર્યો છે અને ઈસુમાં વિશ્વાસ કર્યો છે તેઓનો આત્મિક અને અનંતકાળ છુટકારો ઈશ્વર દ્વારા માન્ય થયો છે તેનો ઉલ્લેખ કરે છે.
  • બાઈબલ ઈશ્વર તેમના લોકોને તેમના શારીરિક શત્રુઓથી બચાવે અથવા છોડાવે છે એ વિશે પણ વાત કરે છે.

અનુવાદ માટેના સૂચનો:

  • “બચાવવું” નું અનુવાદ કરવાની રીતોમાં “છોડાવવું” અથવા “નુકસાનથી દુર રાખવું” અથવા “નુકસાનના માર્ગેથી બહાર લાવવું” અથવા “મરણથી દુર રાખવું” નો સમાવેશ કરી શકાય.
  • “જે કોઈ પોતાનો જીવ બચાવે” તે અભિવ્યક્તિમાં “બચાવે” શબ્દનો અનુવાદ “સાચવવું” અથવા “રક્ષણ” એમ કરી શકાય.
  • “સલામત” શબ્દનો અનુવાદ “જોખમથી સુરક્ષિત” અથવા “એવી જગ્યામાં કે જ્યાં કશું પણ નુકસાન ન કરી શકે” એમ કરી શકાય.
  • “તારણ” શબ્દનો અનુવાદ “બચાવવું” અથવા “છોડાવવું” શબ્દોનો ઉપયોગ કરીને કરી શકાય જેવી રીતે “ઈશ્વર દ્વારા બચાવવામાં આવેલા લોકો (તેમના પાપોની શિક્ષામાંથી)” અથવા “ઈશ્વર પોતાના લોકોને છોડાવે છે (તેમના શત્રુઓથી)” તે રીતે.
  • “ઈશ્વર મારું તારણ છે” તેનું અનુવાદ “ઈશ્વર એ છે કે જે મને બચાવે છે” એમ કરી શકાય.
  • “તમે તારણના ઝરાઓમાંથી પાણી ભરશો” નું અનુવાદ “તમે પાણીથી તાજગી પામશો કારણ કે ઈશ્વર તમને છોડાવે છે.”

(આ પણ જુઓ: વધસ્તંભ, છોડાવવું, શિક્ષા, પાપ, તારણહાર)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 9:8 મુસાએ પ્રયત્ન કર્યો બચાવવાને માટે તેના સાથી ઈઝરાયેલીને.
  • 11:2 ઈશ્વરે માર્ગ કરી આપ્યો બચાવવા માટે કોઈપણના પ્રથમજનિત દીકરાને જેઓએ તેમના પર વિશ્વાસ કર્યો હોય.
  • 12:5 મુસાએ ઈઝરાયેલીઓને કહ્યું, “ભયભીત થવાનું મૂકી દો! ઈશ્વર તમ્રે માટે આજે લડશે અને બચાવશે તમને.”
  • 12:13 ઈઝરાયેલીઓએ તેમની નવી સ્વતંત્રતા ઉજવવા માટે ઘણાં ગીતો ગાયા અને ઈશ્વરની સ્તુતિ કરી કારણ કે તેમણે બચાવ્યા તેઓને ઈજીપ્તના લશ્કરથી.
  • 16:17 આ માળખું ઘણીવાર પુનરાવર્તિત થયું: ઈઝરાયેલીઓ પાપ કરે, ઈશ્વર તેઓને શિક્ષા કરે, તેઓ પસ્તાવી કરે, અને ઈશ્વર છોડાવનાર મોકલે બચાવવા માટે તેઓને.
  • 44:8 “તમે ઈસુને વધસ્તંભે જડ્યા, પરંતુ ઈશ્વરે તેઓને સજીવન કર્યા! તમે તેઓને નકાર્યા, પરંતુ બીજો કોઈ રસ્તો નથી તારણ પામવાનો સિવાય ઈસુના સામર્થ્ય દ્વારા!”
  • 47:11 જ્યારે દરોગો પાઉલ અને સિલાસ પાસે ધ્રુજતો ધ્રુજતો આવ્યો અને પૂછ્યું, “મારે શું કરવું જોઈએ તારણ પામવા માટે?" પાઉલે જવાબ આપ્યો, “ઈસુ પર વિશ્વાસ કર, કે જે માલિક છે, અને તું અને તારું કુટુંબ તારણ પામશો.”
  • 49:12 સારી કરણીઓ બચાવી શકશે નહિ તમને.
  • 49:13 ઈશ્વર બચાવશે દરેકને જેઓ ઈસુ પર વિશ્વાસ કરે છે અને તેઓને પોતાના માલિક તરીકે સ્વીકારે છે તેઓને. પરંતુ તેઓ બચાવશે નહિ કોઈને જેઓ તેમનામાં વિશ્વાસ નથી કરતાં તેઓને.

શબ્દ માહિતી:

  • Strong's: H983, H2421, H3444, H3467, H3468, H4190, H4422, H4931, H6403, H7682, H7951, H7965, H8104, H8668, G803, G804, G806, G1295, G1508, G4982, G4991, G4992, G5198