gu_tw/bible/kt/wordofgod.md

9.0 KiB

ઈશ્વરનો શબ્દ, ઈશ્વરના શબ્દો, યહોવાહનો શબ્દ, પ્રભુનો શબ્દ, સત્યનો શબ્દ, શાસ્ત્ર, શાસ્ત્રો

વ્યાખ્યા:

બાઇબલમાં "દેવના શબ્દ" કંઈપણ જે ઈશ્વર લોકોની સાથે વાતચીત કરે છે તેનો ઉલ્લેખ કરે છે. તેમાં બોલાયેલા અને લેખિત સંદેશા શામેલ છે ઈસુને પણ "ઈશ્વરનો શબ્દ" કહેવામાં આવે છે.

  • શબ્દ " શાસ્ત્રો " નો અર્થ "લખાણો" થાય છે.

તે ફક્ત નવા કરારમાં જ વપરાય છે અને હીબ્રુ શાસ્ત્રોનો ઉલ્લેખ કરે છે, જે જૂનો કરાર છે. આ લખાણો ઈશ્વરના સંદેશ હતા કે તેમણે લોકોને લખવા માટે કહ્યું હતું જેથી ભવિષ્યમાં લોકો ઘણા વર્ષો વાંચી શકે.

  • સંબંધિત શબ્દો "યહોવાનું વચન" અને "પ્રભુનું વચન" વારંવાર ઈશ્વરતરફથી એક ચોક્કસ સંદેશનો ઉલ્લેખ કરે છે જે બાઇબલમાં પ્રબોધક અથવા અન્ય વ્યક્તિને આપવામાં આવ્યો હતો.
  • કેટલીકવાર આ શબ્દ ફક્ત " વચન " અથવા "મારું વચન" અથવા "તમારૂ વચન "(જ્યારે દેવના શબ્દ વિશે વાત કરે છે) થાય છે.
  • નવા કરારમાં, ઈસુને "શબ્દ" અને "દેવનો શબ્દ" કહેવામાં આવે છે.

આ શિર્ષકોનો અર્થ એ છે કે ઈસુ સંપૂર્ણપણે પ્રગટ કરે છે કે ઈશ્વર કોણ છે, કેમ કે તે પોતે ઈશ્વર છે. "સત્યનો શબ્દ" શબ્દનો અર્થ "દેવનું વચન" નો ઉલ્લેખ કરવાનો અન્ય માર્ગ છે, જે તેનો સંદેશ છે અથવા શિક્ષણ છે. તે માત્ર એક જ શબ્દનો ઉલ્લેખ કરતું નથી

  • ઈશ્વરના સત્યના વચનોમાં, ઈશ્વર દ્વારા લોકોને , તેમના સર્જન અને ઈસુ દ્વારા તારણની તેમની યોજના વિશે લોકોને શીખવવામાં આવેલી બધી વસ્તુઓનો સમાવેશ થાય છે.
  • આ શબ્દ એ હકીકત પર ભાર મૂકે છે કે ઈશ્વર જે કહે છે તે સાચું, વિશ્વાસયોગ્ય અને વાસ્તવિક છે.

અનુવાદ માટેનાં સૂચનો:

  • સંદર્ભને આધારે, આ શબ્દને અનુવાદિત કરવાના અન્ય રીતોમાં "યહોવાનો સંદેશ" અથવા "દેવનો સંદેશ" અથવા "ઈશ્વર તરફથી ઉપદેશ" શામેલ હોઈ શકે છે.
  • આ શબ્દને કેટલીક ભાષાઓમાં બહુવચન બનાવવા વધુ કુદરતી હોઈ શકે છે અને "ઈશ્વરના શબ્દો" અથવા "યહોવાહના શબ્દો" કહે છે.
  • "યહોવાનું વચન આવ્યું" અભિવ્યકિત ઈશ્વરે કંઈક તેના પ્રબોધકો અથવા તેમના લોકોને જણાવી તે રજૂ કરવા માટે વારંવાર વપરાય છે.

આનો અનુવાદ "યહોવાએ આ સંદેશો આપ્યો" અથવા "યહોવાએ આ વચનો કહ્યા." એમ કરી શકાય.

  • " શાસ્ત્ર " અથવા " શાસ્ત્રો " શબ્દનો અનુવાદ "લખાણો" અથવા "ઈશ્વરના લેખિત સંદેશ" તરીકે કરી શકાય છે.

આ "વચન" શબ્દના અનુવાદમાંથી અલગ શબ્દની રીતે અનુવાદ કરવો જોઈએ.

  • જ્યારે "શબ્દ" એકલો હોય છે અને તે ઈશ્વરના શબ્દને દર્શાવે છે, ત્યારેતેનો અનુવાદ "સંદેશ" અથવા "ઈશ્વરનો શબ્દ" અથવા "શિક્ષણ" તરીકે થઈ શકે છે.

ઉપર સૂચવેલ વૈકલ્પિક અનુવાદો પણ ધ્યાનમાં લો.

  • જ્યારે બાઇબલ ઈસુને "શબ્દ" કહે છે, ત્યારે આ શબ્દનો અર્થ "સંદેશ" અથવા "સત્ય" તરીકે ભાષાંતર કરી શકાય છે.
  • "સત્યનાવચન" નું ભાષાંતર "ઈશ્વરના ખરો સંદેશ" અથવા "દેવનું વચન, જે સાચું છે" તરીકે થઈ શકે છે.
  • આ શબ્દના અનુવાદ માટે સાચું હોવું તે મહત્વનું છે.

(આ પણ જુઓ: પ્રબોધક, ખરું, શબ્દ, યહોવાહ)

બાઇબલના સંદર્ભો:

બાઇબલ વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 25:7 ઈશ્વરના વચનમાં તે પોતાના લોકોને આજ્ઞા આપે છે, “ફક્ત તમારા ઈશ્વરની ઉપાસના કરો અને ફક્ત તેમની સેવા કરો.”
  • 33:6 તેથી ઈસુ સમજાવે છે, 'બીજ એ દેવનું વચન છે.
  • 42:3 પછી ઈસુએ તેમને સમજાવ્યું કે દેવનું વચન મસીહ વિષે શું કહે છે.
  • 42:7 ઈસુએ કહ્યું, “મેં તમને કહ્યું હતું કે દેવના વચન માં મારા સંબંધી લખેલું છે તે બધું પૂર્ણ થવું જ જોઈએ.”

પછી તેમણે તેમના મન ખોલ્યાં જેથી તેઓ દેવનું વચન સમજી શક્યા.

  • 45:10 ફિલિપે પણ અન્ય શાસ્ત્રોનો ઉપયોગ કરીને તેને ઈસુ વિષેની સુવાર્તા કહી.
  • 48:12 પરંતુ ઈસુ બધા કરતાં મહાન પ્રબોધક છે. તે __ઈશ્વરનો શબ્દ __ છે.
  • 49:18 ઈશ્વર તમને પ્રાર્થના કરવા, તેના વચનનો અભ્યાસ કરવા, અન્ય ખ્રિસ્તીઓ સાથે તેની ઉપાસના કરવા, અને બીજા લોકોને જણાવવા તેમણે તમારા માટે શું કર્યું છે તે કહે છે.

શબ્દ માહિતી:

  • Strong's: H561, H565, H1697, H3068, G3056, G4487