2.5 KiB
2.5 KiB
શાસ્ત્રી, શાસ્ત્રીઓ
વ્યાખ્યા:
શાસ્ત્રીઓ અધિકૃત હતા કે જેઓ સરકારી અથવા ધાર્મિક મહત્વના દસ્તાવેજો હાથથી લખવા અથવા નકલ કરવા જવાબદાર હતા. યહૂદી શાસ્ત્રીનું બીજું નામ “યહૂદી નિયમમાં પારંગત” હતું.
- શાસ્ત્રીઓ જુના કરારના પુસ્તકોની નકલ કરવા અને સાચવવા જવાબદાર હતા.
- તેઓએ ઈશ્વરના નિયમ પર ધાર્મિક અભિપ્રાયો અને વિવરણની પણ નકલ, સાચવણી, અને અર્થઘટન પણ કર્યું હતું.
- એક સમયે, શાસ્ત્રીઓ મહત્વના સરકારી અધિકૃત હતા.
- બાઈબલ આધારિત મહત્વના શાસ્ત્રીઓમાં બારૂખ અને એઝરાનો સમાવેશ થતો હતો.
- નવા કરારમાં, “શાસ્ત્રીઓ” શબ્દનો અનુવાદ “નિયમના શિક્ષકો” તરીકે પણ થયો છે.
- નવા કરારમાં, શાસ્ત્રીઓ સામાન્ય રીતે ધાર્મિક જૂથ “ફરોશી” નામના જૂથના ભાગ હતા, અને બને જૂથનો ઉલ્લેખ વારંવાર સાથે જ કરવામાં આવ્યો છે.
બાઈબલના સંદર્ભો:
- પ્રેરિતોના કૃત્યો 4:5-7
- લૂક 7:29-30
- લૂક 20:45-47
- માર્ક 1:21-22
- માર્ક 2:15-16
- માથ્થી 5:19-20
- માથ્થી 7:28-29
- માથ્થી 12:38-40
- માથ્થી 13:51-53
શબ્દ માહિતી:
- Strong's: H5608, H5613, H7083, G1122