2.7 KiB
2.7 KiB
પ્રભુ ભોજન
વ્યાખ્યા:
પ્રેષિત પાઉલ દ્વારા " પ્રભુ ભોજન " શબ્દનો ઉપયોગ યહુદી નેતાઓ દ્વારા ધરપકડ કરવામાં આવેલી તે રાતે ઈસુએ શિષ્યો સાથે છેલ્લું ભોજન લીધું હતું તે પાસ્ખાપર્વના ભોજનનો ઉલ્લેખ કરવા માટે કર્યો હતો.
- આ ભોજન દરમિયાન, ઈસુએ પાસ્ખાપર્વના રોટલીને ટુકડાઓમાં તોડીને તેને તેનું શરીર કહયું, જે ટૂંક સમયમાં જ મારવામાં અને મારી નાખવામાં આવશે.
- તેણે દ્રાક્ષારસના કપને તેનું લોહી કહ્યું, જે પાપ માટે બલિદાન તરીકે જલ્દીથી વહેવડાવીને મૃત્યુ પામવાના હતા.
- ઈસુએ આજ્ઞા આપી કે તેમના અનુયાયીઓ સાથે મળીને આ ભોજનને લેતા, ત્યારે તેઓએ તેમના મૃત્યુ અને પુનરુત્થાનને યાદ રાખવું જોઈએ.
- કોરીંથીઓને લખેલા પત્રમાં, પ્રેષિત પાઊલે પણ ઈસુના વિશ્વાસીઓ માટે નિયમિત પ્રથા તરીકે પ્રભુ ભોજનની સ્થાપના કરી.
- મંડળીઓ આજે પ્રભુ ભોજનનો ઉલ્લેખ કરવા માટે "કમ્યુનિયન" શબ્દનો ઉપયોગ કરે છે.
"છેલ્લું ભોજન" શબ્દનો ઉપયોગ કેટલીક વખત થાય છે.
અનુવાદ માટેનાં સૂચનો:
- આ શબ્દનો અનુવાદ "પ્રભુ ભોજન" અથવા "આપણા પ્રભુ ઈસુનું ભોજન" અથવા "પ્રભુ ઈસુની યાદમાં ભોજન" તરીકે પણ થઈ શકે છે.
(આ પણ જુઓ: પાસ્ખાપર્વ)
બાઇબલના સંદર્ભો:
શબ્દ માહિતી:
- Strong's: G1173, G2960