5.5 KiB
5.5 KiB
પાસ્ખા, પાસ્ખાપર્વ
તથ્યો:
ઈશ્વરે કેવી રીતે તેઓના પૂર્વજોને એટલે કે ઇઝરાયલીઓને ઈજીપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની યાદગીરીમાં યહૂદીઓ દર વર્ષે જે ધાર્મિક પર્વ મનાવતા હતા તેનું નામ “પાસ્ખાપર્વ” છે.
- આ પર્વનું નામ એ હકીકત પર આધારિત છે કે જ્યારે ઈશ્વરે ઈજીપ્તના લોકોના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો ત્યારે તેમણે ઇઝરાયલીઓના ઘરોને ટાળ્યા અને તેઓના પુત્રોનો સંહાર કર્યો નહિ.
- પાસ્ખાપર્વની ઉજવણીમાં એક સંપૂર્ણ હલવાન (ઘેટું) કે જેને હલાલ કરીને તથા શેકીને અને ખમીર વગરની રોટલીનું તૈયાર કરેલું ખાસ ભોજન કરવામાં આવતું હતું.
આ ખોરાક તેમને તે ભોજનની યાદ અપાવતો હતો કે જેને ઇઝરાયલીઓએ ઈજિપ્તમાંથી છૂટકારો પામ્યા તેની આગલી રાત્રે ખાધું હતું.
- કેવી રીતે ઈશ્વરે તેઓના ઘરોને “ટાળ્યા” અને તેઓને ઈજીપ્તની ગુલામીમથી મુક્ત કર્યા તેને યાદ કરવા અને તેનો ઉત્સવ મનાવવા ઈશ્વરે ઇઝરાયલીઓને આ ભોજન દર વર્ષે ખાવા કહ્યું હતું.
અનુવાદ માટેના સૂચનો:
- “પાસ્ખાપર્વ” શબ્દનો અનુવાદ “પસાર થવું” અને “ઉપરથી” એ બંને શબ્દોને જોડીને અથવા તો આવો અર્થ ધરાવતા બીજા શબ્દોને જોડવા દ્વારા કરી શકાય.
- આ પર્વના નામ માટે જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવે તે શબ્દો દૂતે ઇઝરાયલીઓના ઘરોને ટાળવામાં અને તેઓના પુત્રોને બચાવવામાં જે કર્યું તેની સાથે સ્પષ્ટ રીતે જોડાયેલા હોય તો તે મદદરૂપ થશે.
બાઇબલના સંદર્ભો:
- 1 કાળવૃતાંત 5:6-8
- 2 કાળવૃતાંત 30:13-15
- 2 રાજા 23:21-23
- પુનર્નિયમ 16:1-2
- નિર્ગમન 12:26-28
- એઝરા 6:21-22
- યોહાન 13:1-2
- યહોશુઆ 5:10-11
- લેવીય 23:4-6
- ગણના 9:1-3
બાઇબલ વાતાાઓમાંથી ઉદાહરણો:
- 12:14 ઈશ્વરે દર વર્ષે પાસ્ખાપર્વ પાળવા દ્વારા ઇઝરાયલીઓને ઈશ્વરનો ઈજિપ્તના લોકો પરનો વિજય અને ઇઝરાયલીઓનો ગુલામીમાંથી છૂટકારો યાદ રાખવા આજ્ઞા આપી.
- 38:1 યહૂદીઓ દર વર્ષે પાસ્ખાપર્વ પાળતા. ઘણી સદીઓ અગાઉ કેવી રીતે ઈશ્વરે તેઓના પૂર્વજોને ઈજિપ્તની ગુલામીમાંથી છોડાવ્યા હતા તેની આ ઉજવણી હતી.
- 38:4 ઈસુએ પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વ મનાવ્યું.
- 48:9 જ્યારે ઈશ્વરે રક્ત જોયું ત્યારે, તેમણે તેઓના ઘરોને ટાળ્યા અને તેઓના પ્રથમજનિત પુત્રોનો સંહાર કર્યો નહીં. આ ઘટનાને પાસ્ખાપર્વ કહેવામાં આવે છે.
- 48:10 ઈસુ આપણું પાસ્ખાપર્વનું હલવાન છે.
તેઓ સંપૂર્ણ અને પાપરહિત હતા અને તેમને પાસ્ખાપર્વની ઉજવણી દરમ્યાન મારી નાખવામાં આવ્યા હતા.
શબ્દ માહિતી:
- Strong's: H6453, G3957