gu_tw/bible/kt/life.md

7.6 KiB

જીવન, જીવવું, જીવે છે, જીવંત

વ્યાખ્યા:

"જીવન" શબ્દ મૃત નહિના વિરોધાભાસમાં શારીરિક રીતે જીવંત હોવાનો ઉલ્લેખ કરે છે.

1. ભૌતિક જીવન*

  • "જીવન" એક વ્યક્તિગત વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે જેમ કે "એક જીવન બચાવવામાં આવ્યું."
  • કેટલીકવાર "જીવન" શબ્દ જીવવાના અનુભવનો ઉલ્લેખ કરે છે જેમ કે, "તેનું જીવન આનંદપ્રદ હતું."
  • તે વ્યક્તિના જીવનકાળનો પણ ઉલ્લેખ કરે છે, જેમ કે અભિવ્યક્તિ, "તેના જીવનનો અંત".
  • "જીવંત" શબ્દ શારીરિક રીતે જીવંતનો ઉલ્લેખ કરે છે, જેમ કે "મારા માતા હજુ પણ જીવે છે." તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ કે "તેઓ શહેરમાં રહેતા હતા."
  • બાઈબલમાં, "જીવન" નો ખ્યાલ મહદઅંશે "મરણ" ના ખ્યાલ કરતાં વિરોધાભાસમાં છે.

2. આત્મિક જીવન

  • જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે ત્યારે તે અનંતજીવન પામે છે. ઈશ્વર તે વ્યક્તિમાં પવિત્ર આત્માને રહેવા દઈ તેને પરિવર્તિત જીવન આપે છે.
  • આત્મિક જીવનનું વિરુદ્ધાર્થી આત્મિક મરણ છે, જેનો અર્થ ઈશ્વરથી અલગ અને અનંતકાળની શિક્ષા અનુભવવી તેમ થાય છે.

અનુવાદ માટેના સૂચનો:

  • સંદર્ભને આધારે, "જીવન" નું અનુવાદ "અસ્તિત્વ" અથવા "વ્યક્તિ" અથવા "આત્મા" અથવા "અસ્તિત્વ ધરાવનાર" અથવા "અનુભવ" કરી શકાય.
  • "જીવવું" શબ્દનું અનુવાદ "વસવું" અથવા "રહેવું/માં નિહિત હોવું" અથવા "અસ્તિત્વમાં હોવું" કરી શકાય.
  • "તેના જીવનનો અંત" અભિવ્યક્તિનું અનુવાદ "જ્યારે તેણે જીવવાનું બંધ કર્યું" તરીકે કરી શકાય.
  • "તેમના જીવનોને બક્ષી દો" અભિવ્યક્તિનું અનુવાદ "તેમને જીવવા માટે મંજૂરી આપી" અથવા "તેમની હત્યા કરી નહિ" કરી શકાય.
  • "તેમણે પોતાના જીવનો જોખમમાં નાખ્યા" અભિવ્યક્તિનું અનુવાદ "તેમણે પોતાને જોખમમાં મૂક્યા" અથવા "તેમણે એવું કંઈક કર્યું જે તેમના જીવનને ખતમ કરી શક્યું હોત" કરી શકાય.
  • જ્યારે બઈબલનું વચન અનંતજીવનની વાત કરે છે ત્યારે, સંદર્ભને આધારે "જીવન" નો અનુવાદ નિમ્નલેખિત મુજબ કરી શકાય: "અનંત જીવન" અથવા "ઈશ્વર આપણને આપણાં આત્મામાં જીવંત બનાવી રહ્યા છે" અથવા "ઈશ્વરના આત્મા દ્વારા નવું જીવન" અથવા "આપણાં આંતરિક જીવનમાં જીવંત બનાવવામાં આવેલા".
  • સંદર્ભને આધારે, "જીવન આપવું"નો અનુવાદ "જીવવાનું કારણ આપવું" અથવા "અનંતજીવન આપવું" અથવા "અનંતકાળિક રીતે જીવવાને દોરવું" કરી શકાય.

(આ પણ જુઓ: મરણ, અનંતકાળિક)

બાઈબલના સંદર્ભો:

બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:

  • 1:10 તેથી ઈશ્વરે થોડી માટી લીધી, તેની માણસમાં રચના કરી, અને તેનામાં જીવનનો શ્વાસ ફૂંક્યો.
  • 3:1 ઘણાં લાંબા સમય પછી, ઘણા લોકો જગતમાં જીવી રહ્યા હતા.
  • 8:13 જ્યારે યુસફના ભાઈઓ ઘરે પરત ફર્યા અને તેમના પિતા, યાકુબને કહ્યું કે, યુસફ હજુ જીવંત છે, ત્યારે તે ખૂબ ખુશ થયો હતો.
  • 17:9 જો કે, તેના અંત સમયે (દાઉદના)જીવનના તેણે ઈશ્વરની આગળ ભયંકર પાપ કર્યું.
  • 27:1 એક દિવસ, યહૂદી નિયમનો નિષ્ણાત ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યો, તેણે પૂછ્યું કે, "શિક્ષક, અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું?"
  • 35:5 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, "હું પુનરુત્થાન તથા જીવન છું."
  • 44:5 "તમે એ લોકો છો કે જેઓએ રોમન રાજ્યપાલને ઈસુની હત્યા કરવા માટે કહ્યું. તમે જીવનના લેખકને મારી નાખ્યા, પરંતુ ઈશ્વરે તેમણે મરણમાંથી ઉઠાડ્યા."

શબ્દ માહિતી:

  • Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590