7.6 KiB
7.6 KiB
જીવન, જીવવું, જીવે છે, જીવંત
વ્યાખ્યા:
"જીવન" શબ્દ મૃત નહિના વિરોધાભાસમાં શારીરિક રીતે જીવંત હોવાનો ઉલ્લેખ કરે છે.
1. ભૌતિક જીવન*
- "જીવન" એક વ્યક્તિગત વ્યક્તિનો પણ ઉલ્લેખ કરે છે જેમ કે "એક જીવન બચાવવામાં આવ્યું."
- કેટલીકવાર "જીવન" શબ્દ જીવવાના અનુભવનો ઉલ્લેખ કરે છે જેમ કે, "તેનું જીવન આનંદપ્રદ હતું."
- તે વ્યક્તિના જીવનકાળનો પણ ઉલ્લેખ કરે છે, જેમ કે અભિવ્યક્તિ, "તેના જીવનનો અંત".
- "જીવંત" શબ્દ શારીરિક રીતે જીવંતનો ઉલ્લેખ કરે છે, જેમ કે "મારા માતા હજુ પણ જીવે છે." તે કોઈક જગ્યાએ રહેવાનો પણ ઉલ્લેખ કરે છે, જેમ કે "તેઓ શહેરમાં રહેતા હતા."
- બાઈબલમાં, "જીવન" નો ખ્યાલ મહદઅંશે "મરણ" ના ખ્યાલ કરતાં વિરોધાભાસમાં છે.
2. આત્મિક જીવન
- જ્યારે વ્યક્તિ પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરે ત્યારે તે અનંતજીવન પામે છે. ઈશ્વર તે વ્યક્તિમાં પવિત્ર આત્માને રહેવા દઈ તેને પરિવર્તિત જીવન આપે છે.
- આત્મિક જીવનનું વિરુદ્ધાર્થી આત્મિક મરણ છે, જેનો અર્થ ઈશ્વરથી અલગ અને અનંતકાળની શિક્ષા અનુભવવી તેમ થાય છે.
અનુવાદ માટેના સૂચનો:
- સંદર્ભને આધારે, "જીવન" નું અનુવાદ "અસ્તિત્વ" અથવા "વ્યક્તિ" અથવા "આત્મા" અથવા "અસ્તિત્વ ધરાવનાર" અથવા "અનુભવ" કરી શકાય.
- "જીવવું" શબ્દનું અનુવાદ "વસવું" અથવા "રહેવું/માં નિહિત હોવું" અથવા "અસ્તિત્વમાં હોવું" કરી શકાય.
- "તેના જીવનનો અંત" અભિવ્યક્તિનું અનુવાદ "જ્યારે તેણે જીવવાનું બંધ કર્યું" તરીકે કરી શકાય.
- "તેમના જીવનોને બક્ષી દો" અભિવ્યક્તિનું અનુવાદ "તેમને જીવવા માટે મંજૂરી આપી" અથવા "તેમની હત્યા કરી નહિ" કરી શકાય.
- "તેમણે પોતાના જીવનો જોખમમાં નાખ્યા" અભિવ્યક્તિનું અનુવાદ "તેમણે પોતાને જોખમમાં મૂક્યા" અથવા "તેમણે એવું કંઈક કર્યું જે તેમના જીવનને ખતમ કરી શક્યું હોત" કરી શકાય.
- જ્યારે બઈબલનું વચન અનંતજીવનની વાત કરે છે ત્યારે, સંદર્ભને આધારે "જીવન" નો અનુવાદ નિમ્નલેખિત મુજબ કરી શકાય: "અનંત જીવન" અથવા "ઈશ્વર આપણને આપણાં આત્મામાં જીવંત બનાવી રહ્યા છે" અથવા "ઈશ્વરના આત્મા દ્વારા નવું જીવન" અથવા "આપણાં આંતરિક જીવનમાં જીવંત બનાવવામાં આવેલા".
- સંદર્ભને આધારે, "જીવન આપવું"નો અનુવાદ "જીવવાનું કારણ આપવું" અથવા "અનંતજીવન આપવું" અથવા "અનંતકાળિક રીતે જીવવાને દોરવું" કરી શકાય.
બાઈબલના સંદર્ભો:
- 2 પિત્તર 1:3-4
- પ્રેરિતોના કૃત્યો 10:42-43
- ઉત્પત્તિ 2:7-8
- ઉત્પત્તિ 7:21-22
- હિબ્રૂઓ 10:19-22
- યર્મિયા 44:1-3
- યોહાન 1:4-5
- ન્યાયાધીશો 2:18-19
- લૂક 12:22-23
- માથ્થી 7:13-14
બાઈબલની વાર્તાઓ પરથી ઉદાહરણો:
- 1:10 તેથી ઈશ્વરે થોડી માટી લીધી, તેની માણસમાં રચના કરી, અને તેનામાં જીવનનો શ્વાસ ફૂંક્યો.
- 3:1 ઘણાં લાંબા સમય પછી, ઘણા લોકો જગતમાં જીવી રહ્યા હતા.
- 8:13 જ્યારે યુસફના ભાઈઓ ઘરે પરત ફર્યા અને તેમના પિતા, યાકુબને કહ્યું કે, યુસફ હજુ જીવંત છે, ત્યારે તે ખૂબ ખુશ થયો હતો.
- 17:9 જો કે, તેના અંત સમયે (દાઉદના)જીવનના તેણે ઈશ્વરની આગળ ભયંકર પાપ કર્યું.
- 27:1 એક દિવસ, યહૂદી નિયમનો નિષ્ણાત ઈસુની કસોટી કરવા તેમની પાસે આવ્યો, તેણે પૂછ્યું કે, "શિક્ષક, અનંત જીવનનો વારસો પામવા મારે શું કરવું?"
- 35:5 ઈસુએ પ્રત્યુત્તર આપ્યો, "હું પુનરુત્થાન તથા જીવન છું."
- 44:5 "તમે એ લોકો છો કે જેઓએ રોમન રાજ્યપાલને ઈસુની હત્યા કરવા માટે કહ્યું. તમે જીવનના લેખકને મારી નાખ્યા, પરંતુ ઈશ્વરે તેમણે મરણમાંથી ઉઠાડ્યા."
શબ્દ માહિતી:
- Strong's: H1934, H2416, H2417, H2421, H2425, H5315, G198, G222, G227, G806, G590