gu_tw/bible/kt/jesus.md

8.8 KiB

ઈસુ, ઈસુ ખ્રિસ્ત, ખ્રિસ્ત ઈસુ

સત્યો/તથ્યો:

ઈસુ ઈશ્વરના પુત્ર છે. “ઈસુ” નામનો અર્થ “યહોવા બચાવે છે.” “ખ્રિસ્ત” શબ્દ એ શીર્ષક છે જેનો અર્થ “અભિષિક્ત” છે અને તે મસીહા માટેનો બીજો શબ્દ છે.

  • આ બે નામો મોટેભાગે “ઈસુ ખ્રિસ્ત” અથવા “ખ્રિસ્ત ઈસુ” તરીકે સંયુક્ત કરવામાં આવે છે. આ નામો ઈશ્વરના પુત્ર કે જે મસીહા છે તેના પર ભાર મૂકે છે, કે જે લોકોને તેઓના પાપો માટેની અનંતકાળની સજાથી બચાવવા આવ્યા હતા.
  • ચમત્કારિક રીતે, પવિત્ર આત્માએ અનંતકાળિક ઈશ્વરના દીકરાને મનુષ્ય તરીકે જન્મ આપ્યો. એક દૂત દ્વારા તેમની માતાને તેને “ઈસુ” કહેવા કહેવાયું હતું કારણ કે તે લોકોને તેઓના પાપોથી બચાવવા નિર્મિત થયેલા હતા.
  • ઈસુએ ઘણા ચમત્કારો કર્યા કે જે પ્રગટ કરે છે કે તે ઈશ્વર છે અને તેજ ખ્રિસ્ત, અથવા મસીહા છે.

ભાષાંતરના સૂચનો:

  • ઘણી ભાષાઓમાં “ઈસુ” અને “ખ્રિસ્ત” ની જોડણી એવી રીતે કરવામાં આવી છે કે તે શક્ય રીતે વધુમાં વધુ અસલ જોડણી સાથે મળતા રાખી શકાય. ઉદાહરણ તરીકે, “જેસુક્રીસ્તો,” “જેઝુસ ખ્રીસ્તુસ,” અને “યેસુસ ખ્રીસ્તસ” અને "હેસુખ્રીસ્તો" એ અમુક રીતો છે જે દ્વારા આ નામોનું ભાષાંતર અલગ અલગ ભાષાઓમાં કરવામાં આવ્યું છે.
  • “ખ્રિસ્ત” શબ્દ માટે કદાચ કેટલાક અનુવાદકો આખો વખત ફક્ત “મસીહા” શબ્દ વાપરવાનું પસંદ કરે.
  • એ પણ ધ્યાન રાખવું કે આ નામોની જોડણી નજીકની સ્થાનિક અને રાષ્ટ્રીય ભાષામાં કેવી રીતે કરવામાં આવી છે.

(ભાષાંતરના સૂચનો: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું)

(આ પણ જુઓ: ખ્રિસ્ત, ઈશ્વર, ઈશ્વર પિતા, પ્રમુખ યાજક, ઈશ્વરનું રાજ્ય, મરિયમ, ઉદ્ધારકર્તા, ઈશ્વરના પુત્ર)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 22:4 દૂતે કહ્યું, “તને ગર્ભ રહેશે અને તું પુત્રને જન્મ દેશે. તું તેનું નામ ઈસુ પાડશે અને તે મસીહા કહેવાશે.”
  • 23:2 "તેનું નામ ઈસુ રાખજે (જેનો અર્થ, ‘યહોવા બચાવે છે'), કારણકે તે લોકોને તેઓના પાપોથી બચાવશે."
  • 24:7 તેથી યોહાને (ઈસુ) ને બાપ્તિસ્મા આપ્યું, જો કે ઈસુએ કદી પાપ કર્યું નહોતું .
  • 24:9 ફક્ત એક જ ઈશ્વર છે. પણ યોહાને ઈશ્વરપિતાની વાણી સાંભળી, અને ઈસુને તથા પવિત્ર આત્માને જોયા જ્યારે તેણે ઈસુ ને બપ્તિસ્મા આપ્યું.
  • 25:8 ઈસુ શેતાનના પરીક્ષણોને સોંપાયા નહિ, તેથી શેતાન તેમને છોડી ચાલ્યો ગયો.
  • 26:8 પછી ઈસુ સમગ્ર ગાલીલના વિસ્તારમાં ગયા, અને મોટું ટોળું તેમની પાસે આવ્યું. તેઓ ઘણા લોકોને લાવ્યા કે જેઓ માંદા અથવા અપંગ કે જેઓ જોઈ, ચાલી, સાંભળી, અથવા બોલી શકતા ન હતા અને ઈસુએ તેઓને સાજા કર્યા.
  • 31:3 પછી ઈસુ પ્રાર્થના પૂરી કરીને શિષ્યો પાસે ગયા. તે સરોવરની બીજી બાજુએ તેઓની હોડી તરફ પાણી ઉપર ચાલ્યા!
  • 38:2 તે (યહૂદા) જાણતો હતો કે યહૂદી આગેવાનોએ ઈસુનો મસીહા તરીકે નકાર કર્યો હતો અને તેઓ તેમને મારી નાંખવાનું કાવતરું કરતા હતા.
  • 40:8 ઈસુ એ તેમના મૃત્યુ દ્વારા, લોકો માટે ઈશ્વરની પાસે આવવાનો માર્ગ ખોલ્યો.
  • 42:11 પછી ઈસુ ને સ્વર્ગમાં ઉપર લઈ લેવામાં આવ્યા હતા, અને એક વાદળે તેમને તેઓની દ્રષ્ટિથી ઢાંકી દીધા. ઈસુ સઘળી બાબતો પર રાજ કરવા ઈશ્વરને જમણે હાથે બિરાજમાન છે.
  • 50:17 ઈસુ અને તેના લોકો નવી પૃથ્વી પર રહેશે, અને જે બધું અસ્તિત્વમાં છે તેના પર તે સદાકાળ રાજ કરશે. તે દરેક આંસુને લૂછી નાખશે અને ત્યાં વધુ પીડા, નિરાશા, રુદન, દુષ્ટતા, દુઃખ, અથવા મરણ હશે નહિ. ઈસુ શાંતિ અને ન્યાયથી તેનું રાજ્ય ચલાવશે, અને તે તેમના લોકો સાથે સદાકાળ રહેશે.

શબ્દ માહિતી:

  • Strong's: G2424, G5547