gu_tw/bible/kt/believe.md

13 KiB

વિશ્વાસ કરવો, વિશ્વાસી, માન્યતા, અવિશ્વાસી, અનાસ્થા/અશ્રદ્ધા

વ્યાખ્યા:

“વિશ્વાસ કરવો” અને “તેમાં વિશ્વાસ રાખવો” આ શબ્દોમાં નજીકનો સંબંધ રહેલો છે, પણ તેના અર્થ થોડા અલગ થાય છે.

1. વિશ્વાસ કરવો

  • કોઈ બાબત પર વિશ્વાસ કરવો એટલે તે સ્વીકારવું અથવા તે સાચું છે તેવો ભરોસો કરવો.
  • કોઈકને માન્ય કરવું એટલે સ્વીકારવું કે જે તે વ્યક્તિએ કહ્યું છે તે સાચું છે.

2. તેમાં વિશ્વાસ રાખવો

  • કોઈકમાં "વિશ્વાસ કરવો” એટલે કે તે વ્યક્તિ “પર ભરોસો કરવો.” તેનો અર્થ થાય છે કે તે વ્યક્તિ જે કહે છે તે તે છે તેવો ભરોસો રાખવો, કે તે હંમેશા સત્ય કહે છે, અને તેણે જે વચન આપ્યું છે તે તે કરશે.
  • જયારે વ્યક્તિ કોઈ બાબતમાં ખરેખર વિશ્વાસ રાખે છે, ત્યારે તે એ રીતે વર્તશે જે તેની માન્યતાને દર્શાવશે.
  • “તેમાં વિશ્વાસ હોવો” તે વાક્યનો અર્થ સામાન્યપણે “તેમાં વિશ્વાસ કરવા” જેવો જ થાય છે.
  • “ઈસુમાં વિશ્વાસ કરવો” એટલે કે તે ઈશ્વરના પુત્ર છે તેમ માનવું, કે જે સ્વયં ઈશ્વર છે જે માણસ પણ બન્યા અને આપણા પાપોના બલિદાન માટે મૃત્યુ પામી તેમણે કિંમત ચૂકવી. તેનો અર્થ છે કે તેમના પર તારનાર તરીકે વિશ્વાસ કરવો અને એવી રીતે જીવવું કે જે તેમને સન્માન આપે છે.

3. વિશ્વાસી

બાઈબલમાં, “વિશ્વાસી” શબ્દ એક એવા વ્યક્તિનો ઉલ્લેખ કરે છે જે ઈસુ ખ્રિસ્તમાં ઉદ્ધારક તરીકે  વિશ્વાસ રાખે છે અને આધારિત રહે છે.

  • “વિશ્વાસી” શબ્દનો શાબ્દિક અર્થ, “વ્યક્તિ કે જે વિશ્વાસ કરે છે.”
  • “ખ્રિસ્તી” શબ્દ, સમયકાળે વિશ્વાસીઓ માટેનું મુખ્ય શીર્ષક બની ગયો કારણકે તે સૂચવે છે કે તેઓ ખ્રિસ્તમાં માને છે અને તેમના શિક્ષણને પાળે છે.

4. અવિશ્વાસ

“અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે કોઈક બાબતમાં અથવા કોઈક પર વિશ્વાસ ન કરવો.

  • બાઈબલમાં “અવિશ્વાસ” શબ્દ દર્શાવે છે, કે ઈસુને પોતાના ઉદ્ધારક તરીકે ના માનવા અથવા તેવો વિશ્વાસ ના કરવો.
  • જે વ્યક્તિ ઈસુ ખ્રિસ્તમાં માનતો નથી તેને “અવિશ્વાસી” કહેવામાં આવે છે.

ભાષાંતરના સુચનો:

  • “વિશ્વાસ કરવો” શબ્દનું ભાષાંતર, “સાચું હોવું તે જાણે છે” અથવા “ઉચિત હોવું તે જાણે છે” તરીકે કરી શકાય.
  • “તેમાં માનવું” તે શબ્દનું ભાષાંતર, “સંપૂર્ણપણે ભરોસો કરવો” અથવા “ભરોસો રાખવો અને આધીન થવું” અથવા “સંપૂર્ણપણે આધાર રાખવો અને પાછળ ચાલવું,” એમ થઈ શકે છે.
  • કેટલાક ભાષાંતર “ઈસુમાં વિશ્વાસી” અથવા “ખ્રિસ્તમાં વિશ્વાસી” કહેવાની પસંદ કરી શકે છે.
  • આ શબ્દનું ભાષાંતર, કોઈ એક શબ્દ અથવા શબ્દસમૂહ દ્વારા થઇ શકે છે જેનો અર્થ, “વ્યક્તિ કે જે ઈસુમાં વિશ્વાસ કરે છે” અથવા “કોઈક જે ઈસુને જાણે છે અને તેમના માટે જીવે છે.”
  • “વિશ્વાસી” શબ્દનું બીજું ભાષાંતર “ઈસુને અનુસરનાર” અથવા “વ્યક્તિ કે જે ઈસુને ઓળખે છે અને તેમને આધીન થાય છે” તેમ કરી શકાય.
  • “વિશ્વાસી” શબ્દ, ખ્રિસ્તના દરેક વિશ્વાસી માટે સામાન્ય શબ્દ છે, જયારે “શિષ્ય” અને “પ્રેરિત” શબ્દ, વધુ ચોક્કસપણે ઈસુ જ્યારે પૃથ્વી પર જીવતા હતા અને જે લોકો તેમને ઓળખતા હતા, તેઓ માટે વપરાયો હતો. આ દરેક શબ્દનું અલગ અલગ રીતે ભાષાંતર કરવું સારું છે જેથી તેઓ વચ્ચેનું અંતર જળવાઈ રહે.
  • “અવિશ્વાસ” શબ્દનું ભાષાંતર બીજી રીતે કરીએ તો, “વિશ્વાસનો અભાવ” અથવા “ન માનવું” તેમ થઇ શકે છે.
  • “અવિશ્વાસી” શબ્દનું ભાષાંતર આ રીતે પણ કરી શકાય છે કે “વ્યક્તિ જે ઈસુમાં વિશ્વાસ કરતો નથી” અથવા “જે કોઈ ઈસુ પર તારનાર તરીકે ભરોસો કરતો નથી.”

(આ પણ જુઓ: માનવું, પ્રેરિત, ખ્રિસ્તી, શિષ્ય, વિશ્વાસ, ભરોસો)

બાઈબલની કલમો:

બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:

  • 3:4 નૂહે આવનાર જળપ્રલય વિષે લોકોને ચેતવણી આપી અને તેઓને ઈશ્વર તરફ ફરવા કહ્યું, પણ તેઓએ તેનું માન્યું નહીં.
  • 4:8 ઈબ્રાહિમે ઈશ્વરનું વચન માન્યું. ઈશ્વરે જાહેર કર્યું કે ઈબ્રાહિમ ન્યાયી હતો, કારણકે તેણે ઈશ્વરનું વચન માન્યું.
  • 11:2 જે કોઈ તેમના પર વિશ્વાસ કરે છે, તેઓના પ્રથમજનિતને બચાવવા માટે ઈશ્વરે રસ્તો પૂરો પાડ્યો.
  • 11:6 પણ મિસરીઓએ ઈશ્વરને અથવા તેમની આજ્ઞાઓને માની નહીં.
  • 37:5 “ઈસુએ જવાબ આપ્યો, પુનરુત્થાન તથા જીવન હું જ છું. જે કોઈ મારામાં વિશ્વાસ કરે, જો કે તે મરી જાય તો પણ તે જીવશે. દરેક જણ કે જે મારામાં વિશ્વાસ કરે છે, તે કદી મરશે નહિ. શું તમે આ માનો છો?”
  • 43:1 ઈસુ સ્વર્ગમાં પાછા ગયા પછી, ઈસુએ જેમ કરવાની શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓ યરૂશાલેમમાં રહ્યા. ત્યાં વિશ્વાસીઓ સતત પ્રાર્થના કરવા માટે હંમેશા એકઠા થતા.
  • 43:3 જયારે વિશ્વાસીઓ ભેગા થયા હતા ત્યારે એકાએક સખત પવન જેવા અવાજ સાથે, તેઓ જે ઘરમાં રહેતા હતા તે ભરાઈ ગયું. ત્યારબાદ તેઓમાંના દરેક વિશ્વાસી ના માથાં પર અગ્નિની જ્વાળા જેવું કાંઇક દેખાઈ આવ્યું.
  • 43:13 દરરોજ વધુ લોકો વિશ્વાસીઓની બન્યા.
  • 46:6 તે દિવસે યરૂશાલેમમાં ઘણાં લોકોએ ઈસુના અનુયાયીઓની સતાવણી કરવાની શરૂઆત કરી, તેથી વિશ્વાસીઓ અન્ય સ્થળોએ ભાગી ગયા. પરંતુ તેમ છતાં તેઓ જ્યાં જ્યાં ગયા ત્યાં તેઓએ ઈસુ વિશે પ્રચાર કર્યો.
  • 46:1 શાઉલ એક યુવાન માણસ હતો કે જેણે સ્તેફેનને મારી નાખનારના ઝભ્ભા (લૂગડાં) સાચવ્યા હતા. તેણે ઈસુ પર વિશ્વાસ કર્યો ન હતો, તેથી તેણે વિશ્વાસીઓની સતાવણી કરી.
  • 46:9 અમુક વિશ્વાસીઓ જેઓ યરૂશાલેમની સતાવણીથી ભાગી ગયા હતા તેઓ અંત્યોખ સુધી દૂર ગયા અને તેઓએ ત્યાં ઈસુ વિશે પ્રચાર કર્યો. એતો અંત્યોખ હતું કે જ્યાં વિશ્વાસીઓ પ્રથમ “ખ્રિસ્તી” કહેવાયા.
  • 47:14 તેઓએ મંડળીઓના વિશ્વાસીઓને પ્રોત્સાહન તથા શિક્ષણ આપવા માટે ઘણાં પત્રો લખ્યા.

શબ્દ માહિતી:

  • Strong's: H539, H540, G543, G544, G569, G570, G571, G3982, G4100, G4102, G4103, G4135