gu_tw/bible/other/census.md

2.8 KiB

વસ્તીગણતરી

વ્યાખ્યા:

“વસ્તીગણતરી” શબ્દ, દેશ અથવા સામ્રાજ્યમાં લોકોના સંખ્યાની ઔપચારિક ગણતરીને દર્શાવે છે. જૂના કરારમાં વિવિધ સમયોમાં નોધવામાં આવ્યું છે દેવે ઈઝરાએલના માણસોની ગણતરી કરવી માટે આદેશ આપ્યો, જેમકે જયારે ઈઝરાએલીઓએ પ્રથમ મિસર છોડ્યું અને ત્યાર બાદ તેઓ ક્નાનમાં પ્રવેશ્યાં પહેલા વસ્તીગણતરી કરવામાં આવી.

  • મોટેભાગે વસ્તીગણતરીનો હેતુ, કેટલા લોકો કરની ચુકવણી કરે છે તેનો આંકડો જાણવાનો હતો.
  • ઉદાહરણ તરીકે નિર્ગમનમાં એક સમયે ઈઝરાએલી પુરુષોની ગણતરી કરવામાં આવી હતી જેથી કરીને મંદિરની કાળજી લેવા માટે દરેક જણ અડધો શેકેલ ચૂકવે.
  • જયારે ઈસુ બાળક હતા ત્યારે રોમન સરકારે પોતાના સામ્રાજ્યમાં રહેતાં બધાંજ લોકોની વસ્તી ગણતરી કરી કે જેથી લોકો તેમને કર ચૂકવે.

ભાષાંતરના સૂચનો

  • સંભવિત રીતે આ શબ્દનું ભાષાંતર, “નામોની ગણતરી” અથવા “નામોની યાદી” અથવા “નામ નોંધણી” નો સમાવેશ કરી થઇ શકે છે.
  • “વસ્તીગણતરી કરવી” વાક્યનું ભાષાંતર, “લોકોના નામોની નોંધણી કરવી” અથવા “લોકોના નામો લખવા” એમ કરી શકાય છે.

(આ પણ જુઓ: રાષ્ટ્ર, રોમ)

બાઈબલની કલમો:

શબ્દ માહિતી:

  • Strong's: H3789, H5674, H5921, H6485, H7218, G582, G583