6.9 KiB
6.9 KiB
આશીર્વાદ આપવો, આશીર્વાદિત (ધન્ય), આશીર્વાદ
વ્યાખ્યા:
કોઈકને “આશીર્વાદ” આપવો એનો અર્થ એમ કે, કોઈ માટે અથવા કંઈક સારું અને ફાયદાકારક કાર્ય કરવામાં આવે જેથી કોઈ વસ્તુ અથવા વ્યક્તિ આશીર્વાદિત થાય.
- કોઈને આશીર્વાદ આપવો એનો અર્થ એમ પણ થાય કે કોઈ માટે હકારાત્મક અને ફાયદાકારક ઈચ્છાને વ્યક્ત કરવી કે જે તે વ્યક્તિ માટે થાય.
- બાઈબલના સમયોમાં, ઘણીવાર એક પિતા તેના બાળકો ઉપર ઔપચારિક રીતે આશીર્વાદ ઉચ્ચારે છે.
- જયારે લોકો દેવને “ધન્ય કહે છે” અથવા પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે કે ઈશ્વર ધન્ય હો, એટલે કે તેઓ દેવની પ્રસંશા કરે છે.
“આશીર્વાદ આપવો” એ શબ્દનો ઉપયોગ, ખોરાક ખવાયા પહેલા ખોરાકને પવિત્ર કરવા, અથવા ખોરાક માટે દેવની આભાર અને સ્તુતિ કરવા માટે થાય છે
ભાષાંતરના સૂચનો:
- આશીર્વાદ આપવો” તેનું ભાષાંતર, “સમૃદ્ધપણે પુરું પાડવું” અથવા “ખૂબ દયાળુ અને કૃપાળુ હોવું” એમ પણ કરી શકાય.
- “દેવ મહાન આશીર્વાદ લાવ્યો” તેનું ભાષાંતર, “દેવે ઘણા સારા વાનાં આપ્યાં” અથવા “દેવે ભરપૂરપણે પૂરું પાડ્યું” અથવા “દેવે ઘણું સારું થવા દીધું” એમ પણ કરી શકાય.
- “તે આશીર્વાદિત છે” તેનું ભાષાંતર, “તેને ખુબજ ફાયદો થશે” અથવા “તેને સારી વસ્તુઓનો અનુભવ થશે” અથવા “દેવ તેના વિકાસનું કારણ બનશે” આ રીતે પણ કરી શકાય છે.
- ”વ્યક્તિ કે જે ધન્ય (આશીર્વાદિત) છે” તેનું ભાષાંતર, “તે વ્યક્તિ માટે તે કેટલું સારું છે” એમ પણ થઇ શકે છે.
- “પ્રભુને ધન્ય હો” જેવી અભિવ્યક્તિનું ભાષાંતર “પ્રભુની સ્તુતિ થાઓ” અથવા “પ્રભુની સ્તુતિ” અથવા “હું પ્રભુની સ્તુતિ કરું છું” એમ થઇ શકે છે.
- આશીર્વાદિત ખોરાકના સંદર્ભમાં, તેનું ભાષાંતર, “ખોરાક માટે આભાર” અથવા “તેઓને ખોરાક આપ્યો માટે દેવની સ્તુતિ થાઓ” અથવા “દેવની સ્તુતિ દ્વારા તે ખોરાક પવિત્ર કરવો” એમ પણ થઇ શકે છે.
(આ પણ જુઓ : સ્તુતિ)
બાઈબલની કલમો:
- 1 કરંથી 10:14-17
- પ્રેરિતો 13:32-34
- એફેસી 1:3-4
- ઉત્પત્તિ 14:19-20
- યશાયા 44:3-4
- યાકૂબ 1:22-25
- લૂક 6:20-21
- માથ્થી 26:26
- નહેમ્યા 9:5-6
- રોમન 4:9-10
બાઈબલની વાર્તાઓમાંથી ઉદાહરણો:
- 1:7 દેવે જોયું કે તે સારું છે અને તેણે તેઓને આશીર્વાદ આપ્યો.
- 1:15 દેવે આદમ અને હવાને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યા. તેણે તેઓને આશીર્વાદ આપ્યો અને કહ્યું કે, “ઘણા સંતાનોથી તથા પૌત્ર-પુત્રીઓથી, પૃથ્વીને ભરપૂર કરો.
- 1:16 જેથી દેવે જે બધું કર્યું, તેનાથી તેણે આરામ લીધો.
તેણે સાતમા દિવસને આશીર્વાદ આપ્યો અને પવિત્ર ઠરાવ્યો, કારણકે આ દિવસે તેણે પોતાના કામથી આરામ લીધો.
- 4:4 “હું તારું નામ મોટું કરીશ. જેઓ તને આશીર્વાદ આપશે તેઓને હું આશીર્વા આપીશ અને જેઓ શાપ આપે છે તેઓને હું શાપ આપીશ. પૃથ્વી પરના બધાં જ પરિવારો તારા લીધે આશીર્વાદિત થશે.”
- 4:7 મલ્ખીસદેકે ઈબ્રામને આશીર્વાદ આપ્યો અને કહ્યું, સર્વોચ્ચ ઈશ્વર કે જે આકાશ અને પૃથ્વીનો માલિક છે તે ઈબ્રામને આશીર્વાદ આપો.”
- 7:3 ઈસહાક તેનો આશીર્વાદ એસાવને આપવા માંગતો હતો.
- 8:5 જેલમાં પણ, યુસફ દેવને વિશ્વાસુ રહ્યો, અને દેવે તેને આશીર્વાદ આપ્યો.
શબ્દ માહિતી:
- Strong's: H833, H835, H1288, H1289, H1293, G1757, G2127, G2128, G2129, G3106, G3107, G3108, G6050