gu_ta/translate/translate-wforw/01.md

9.3 KiB

વ્યાખ્યા

શબ્દ-માટે-શબ્દ સ્થાનાંતરણ એ અનુવાદનો સૌથી વધુ શાબ્દિક સ્વરૂપ છે. સારા અનુવાદો કરવા માટે તે શ્રેષ્ઠ વિકલ્પ નથી. શબ્દ-માટે-શબ્દનો અનુવાદ સ્રોત ભાષામાં દરેક શબ્દ માટે લક્ષ્ય ભાષામાં સમાન શબ્દનો ઉપયોગ કરે છે.

શબ્દ માટે શબ્દના અનુવાદોમાં

  • એક સમયે એક શબ્દ પર ધ્યાન આપો
  • કુદરતી વાક્યનું માળખું, શબ્દસમૂહ માળખાં અને લક્ષ્ય ભાષાના શબ્દાલંકારને અવગણવામાં આવે છે.
  • શબ્દ માટે શબ્દ અનુવાદની પ્રક્રિયા ખૂબ સરળ છે.
    • સ્ત્રોત લખાણમાં પ્રથમ શબ્દને સમક્ષ શબ્દ દ્વારા અનુવાદિત કરવામાં આવે છે.
    • પછી આગામી શબ્દ કરવામાં આવે છે. કલમનો અનુવાદ થાય ત્યાં સુધી આ ચાલુ રહે છે.
  • શબ્દ માટે શબ્દ અભિગમ આકર્ષક છે કારણ કે તે ખૂબ સરળ છે. જો કે, તે નબળી ગુણવત્તાવાળા અનુવાદમાં પરિણમે છે.

શબ્દ-માટે-શબ્દ અવેજીકરણનાં પરિણામમાં અનુવાદોને વાંચવા માટે અનાડી છે. તેઓ ઘણીવાર ગૂંચવણમાં મૂકે છે અને ખોટા અર્થ અથવા તો કોઈ અર્થ પણ આપતા નથી. તમારે આ પ્રકારની અનુવાદ કરવાનું ટાળવું જોઈએ. અહીં કેટલાક ઉદાહરણો છે:

શબ્દનો ક્રમ

અહીં ULB માં લુક ૩:૧૬ નું ઉદાહરણ છે:

યોહાને બધાને ઉત્તર આપતા કહ્યું કે, "હું તમને પાણીથી બાપ્તિસ્મા આપું છું, પણ કોઈ એવી વ્યક્તિ આવે છે કે જે મારા કરતા વધારે સામર્થ્યવાન છે, અને તેના ચંપલની વાધરી ઉતારવાને પણ હું લાયક નથી. તે પવિત્ર આત્માથી અને અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે."

તે અનુવાદ સ્પષ્ટ અને સમજવામાં સરળ છે. પરંતુ માનો કે અનુવાદકોએ શબ્દ-માટે-શબ્દ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. અનુવાદ કેવું લાગવું જોઈએ?

અહીં, અંગ્રેજીમાં અનુવાદ, મૂળ ગ્રીક જેવા શબ્દોનો ક્રમ જેવું કરેલ છે.

યોહાને બધાને કહ્યું કે મેં તમને પાણીથી બાપ્તિસ્મા ખરેખર કર્યું પણ, જે મારી પાછડ આવે છે તે મારા કરતાં વધારે બળવાન છે, અને તેના પગની વધરી ઉતારવાને પણ હું લાયક નથી. તે પવિત્ર આત્માથી અને અગ્નિથી તમારું બાપ્તિસ્મા કરશે. "

આ અનુવાદ અતિશય ગૂંચવણ ભર્યું છે અને અંગ્રેજીમાં તેનો કોઈ અર્થ થતો નથી.

ULBની ઉપર આવૃત્તિ ફરીથી જુઓ. અંગ્રેજી ULB અનુવાદકોએ મૂળ ગ્રીક શબ્દ ક્રમાક રાખ્યો નહિ. તેઓએ અંગ્રેજી વ્યાકરણનાં નિયમોને બંધ વેસાડવા માટે શબ્દોનો અહી તહિ ઉપયોગ કરે છે. તેઓએ કેટલાક વાક્યો પણ બદલ્યાં છે. ઉદાહરણ તરીકે, અંગ્રેજી ULB કહે છે, “યોહાને બધાને ઉત્તર આપતા કહ્યું." ને બદલે "યોહાને તે બધાને કહેવા દ્વારા ઉત્તર આપ્યો". તેઓ અલગ અલગ શબ્દનો ઉપયોગ અલગ અલગ ક્રમમાં કરવા માટે ટેક્સ્ટ અવાજને કુદરતી બનાવવા જેથી તે સફળતાપૂર્વક મૂળ અર્થને સંચાર કરી શકે.

અનુવાદ એ ગ્રીક ટેક્સ્ટ જેવા જ અર્થવ્યવસ્થામાં હોવા જોઈએ. આ ઉદાહરણમાં, યુ.એલ.બી એ અયોગ્ય શબ્દ-માટે-શબ્દ સંસ્કરણ કરતાં વધુ સારું અંગ્રેજી અનુવાદ છે.

શબ્દના અર્થનું અંતર

વધુમાં, શબ્દ-માટે-શબ્દ સ્થાનાંતરણ સામાન્ય રીતે ધ્યાનમાં લેતું નથી કે તમામ ભાષાઓમાંના મોટાભાગનાં શબ્દોમાં અર્થોની શ્રેણી છે કોઈપણ એક ભાગમાં, સામાન્ય રીતે લેખકે માત્ર તે જ અર્થો ધ્યાનમાં રાખ્યા હતા. એક અલગ ભાગ, તે ધ્યાનમાં અલગ અલગ અર્થ હોઈ શકે છે. પરંતુ શબ્દ માટે શબ્દના અનુવાદમાં, સામાન્ય રીતે ફક્ત એક અર્થ પસંદ કરવામાં આવે છે અને સમગ્ર અનુવાદમાં તેનો ઉપયોગ થાય છે.

ઉદાહરણ તરીકે, ગ્રીક શબ્દ "એગિલોસ" માનવ સંદેશવાહક અથવા કોઈ દૂતનો ઉલ્લેખ કરે છે.

"એના સંબંધી એમ લખેલું છે, 'જુઓ, હું મારા સંદેશવાહકને તમારી પહેલાં મોકલું છું, જે તમારી અગાઉ તમારે માટે માર્ગ તૈયાર કરશે.' (લુક ૭:૨૭)

અહીં "એગિલોસ" શબ્દ માનવ સંદેશવાહકનો ઉલ્લેખ કરે છે. ઈસુ યોહાન બાપ્તિસ્ત વિષે વાત કરતા હતા.

દૂતો તેમની પાસેથી સ્વર્ગમાં ગયા હતા (લુક ૨:૧૫)

અહીં "એગિલોસ" શબ્દ સ્વર્ગમાંના દૂતોનો ઉલ્લેખ કરે છે.

શબ્દ-માટે-શબ્દની અનુવાદની પ્રક્રિયા બંને કલમોમાં એક જ શબ્દનો ઉપયોગ કરી શકે છે, તેમ છતાં તેનો ઉપયોગ બે જુદા જુદા પ્રકારના વ્યક્તિઓનો સંદર્ભ માટે થાય છે. આ વાચકને મૂંઝવણમાં મૂકે છે.

શબ્દાલંકાર

અંતમાં, શબ્દાલંકારને શબ્દ-માટે-શબ્દના અનુવાદમાં યોગ્ય રીતે અભિવ્યક્ત કરવામાં આવતાં નથી. શબ્દાલંકારના અર્થો છે જે વ્યક્તિગત શબ્દોથી અલગ છે કે જે તેઓનાથી બને છે. જ્યારે તેઓ શબ્દ-માટે-શબ્દ અનુવાદ કરવામાં આવે છે, ત્યારે શબ્દાલંકાર તેનો અર્થ ગુમાવે છે. જો તે અનુવાદિત કરવામાં આવે તો પણ તેઓ લક્ષ્ય ભાષાના સામાન્ય શબ્દ ક્રમનું પાલન કરે છે, તો વાચકો તેનો અર્થ સમજી શકશે નહીં. તેઓને યોગ્ય રીતે અનુવાદ કરવા માટે શબ્દાલંકાર પૃષ્ઠને જુઓ.