gu_ta/translate/translate-tform/01.md

3.8 KiB

અર્થનું મહત્વ

જે લોકોએ બાઈબલ લખ્યું હતું તેઓને ઈશ્વર તરફથી સંદેશા પ્રાપ્ત થયા હતા કે ઈશ્વર ઈચ્છે છે કે લોકો તે સમજે. આ મૂળ લેખકોએ તે ભાષાનો ઉપયોગ કર્યો હતો જે તેમના લોકોએ બોલ્યા હતા જેથી તેઓ અને તેમના લોકો ઈશ્વરના સંદેશાઓ સમજી શકે. ઈશ્વર લોકોને આજે તે જ સંદેશાઓ સમજાવવા માંગે છે પરંતુ આજે લોકો એવી ભાષાઓ બોલતા નથી કે જે બાઈબલમાં લાંબા સમય પહેલા લખવામાં આવી હતી. તેથી ઈશ્વર આપણને આજે જે લોકો આજે બોલે છે તે ભાષામાં બાઈબલનું અનુવાદ કરવાનું કાર્ય કરે છે.

લોકો જે ઈશ્વરના સંદેશાની વાતચીત કરવા માટે ઉપયોગ કરે છે તે ચોક્કસ નથી. ઉપયોગમાં લેવાતા ચોક્કસ શબ્દો મહત્વપૂર્ણ નથી. શું મહત્વનું છે એ તે અર્થ એ છે કે જે તે શબ્દો રજૂ કરે છે. અર્થ સંદેશ છે, શબ્દો અથવા ભાષા નથી. આપણે શું અનુવાદ કરવું જોઈએ, તે પછી, સ્રોત ભાષાઓના શબ્દો અથવા શબ્દો સ્વરૂપો નહિ, પરંતુ તેનો અર્થ.

નીચે વાક્યોની જોડીઓ જુઓ

  • આખી રાત વરસાદ વરસ્યો / આખી રાત વરસાદ પડ્યો.

  • યોહાને જ્યારે સમાચાર સાંભળ્યા ત્યારે તે ખૂબ આશ્ચર્ય પામ્યો / આ સમાચારે યોહાનને ખૂબ જ આશ્ચર્ય પમાડ્યું જ્યારે તેણે તે સાંભળ્યું.

  • તે ગરમ દિવસ હતો. / દિવસ ગરમ હતો

  • પીતરનું ઘર / તે ઘર પિતરનું છે.

તમે જોઈ શકો છો કે વાક્યોની દરેક જોડીનો અર્થ એ જ છે, ભલે તે જુદાં જુદાં શબ્દોનો ઉપયોગ કરે છે. આ રીતે તે એક સારું અનુવાદ છે. આપણે સ્ત્રોત લખાણ કરતાં અલગ શબ્દોનો ઉપયોગ કરીશું, પરંતુ આપણે તેનો અર્થ એ જ રાખીશું. આપણે એવા શબ્દોનો ઉપયોગ કરીશું જે આપણા લોકો સમજી શકે અને તેનો ઉપયોગ આપણી ભાષા કુદરતી રીતે થાય. સ્પષ્ટ અને પ્રાકૃતિક રીતે સ્ત્રોત લખાણ તરીકેનો અર્થ એ રીતે અનુવાદિત કરવાનો છે.

સાખ: ઉદાહરણના વાક્યો બાર્નવેલમાંથી લીધેલા છે, પાન નં ૧૯-૨૦, (c) SIL International 1986 પરવાનગી દ્વારા ઉપયોગમાં લેવાયલ છે.