gu_ta/translate/translate-literal/01.md

5.9 KiB

###વ્યાખ્યા

શાબ્દિક અનુવાદો શક્ય હોય ત્યાં સુધી સ્રોત લખાણના સ્વરૂપને, ફરી ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે.

####અન્ય નામો

શાબ્દિક અનુવાદને આ પણ કહેવામાં આવે છે:

*સ્વરૂપ-આધારિત *શબ્દ-માટે-શબ્દ *સુધારેલું સાહિત્ય

####અર્થ આધારિત સ્વરૂપ

એક શાબ્દિક અનુવાદ એક એવો છે જે લક્ષિત લખાણમાં સ્ત્રોતના લખાણનું સ્વરૂપ પુનઃઉત્પાદિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે, પછી ભલેને તેનો અર્થ બદલાય અથવા તે સમજવું મુશ્કેલ હોય. શાબ્દિક અનુવાદનું અતિ સંસ્કરણ એ કોઈ પણ અન્ય અનુવાદ ન હોવો જોઈએ - તેનામાં સમાન અક્ષરો અને શબ્દો સ્રોત ભાષા તરીકે હશે. આગળનું સૌથી નજીકનું પગલું એ લક્ષિત ભાષાના સમાન શબ્દ સાથે સ્રોત ભાષામાં દરેક શબ્દને બદલવા માટેનું હશે. ભાષાઓમાં વ્યાકરણમાં તફાવતોને કારણે, લક્ષિત ભાષાના શ્રોતાઓ કદાચ આ પ્રકારના અનુવાદને સમજી શકશે નહીં. બાઇબલના કેટલાક અનુવાદકો ખોટી રીતે માનતા હોય છે કે તેમણે લક્ષિત લખાણમાં સ્રોત લખાણના શબ્દનો ક્રમ રાખવો જોઈએ અને સ્રોત ભાષાના શબ્દોના સ્થાને ફક્ત લક્ષિત ભાષાના શબ્દોનો ઉપયોગ કરવો જોઈએ. તેઓ ખોટી રીતે માનતા હતા કે આ સ્રોત લખાણ ઈશ્વરના વચન માટેના આદરને દર્શાવે છે. પરંતુ વાસ્તવમાં આ પ્રકારનો અનુવાદ ઈશ્વરના વચનને સમજવાથી લોકોને દૂર રાખે છે. ઈશ્વરે ઇચ્છે છે કે લોકો તેમના વચનને સમજે, તેથી તે બાઇબલ માટે સૌથી વધુ આદર દર્શાવે છે અને ઈશ્વર બાઇબલનો અનુવાદ કરવાના છે જેથી લોકો તેને સમજી શકે.

####શાબ્દિક અનુવાદની નબળાઈઓ

સામાન્ય રીતે શાબ્દિક અનુવાદમાં નીચે મુજબની મુશ્કેલીઓ રહેલી છે:

*લક્ષિત શ્રોતાઓ અપરિચિત શબ્દોને સમજી શકતા નથી *લક્ષિત ભાષામાં શબ્દનો ક્રમ વિચિત્ર કે અજાણ્યો છે *લક્ષિત ભાષામાં રૂપકોનો ઉપયોગ થતો નથી અથવા સમજવામાં આવતા નથી *લક્ષિત સંસ્કૃતિમાં વસ્તુઓના નામ અસ્તિત્વમાં નથી *રીત રિવાજોનું વર્ણન છે જેને લક્ષિત સંસ્કૃતિમાં સમજી શકાતા નથી *ફકરાઓનું લક્ષિત ભાષામાં કોઈ તાર્કિક જોડાણ નથી *વાર્તાઓ અને સમજૂતીઓનો લક્ષિત ભાષામાં કોઈ અર્થ નથી *ગર્ભિત માહિતીને છોડી દેવામાં આવી છે જે ઇચ્છિત અર્થને સમજવા માટે જરૂરી છે

####શાબ્દિક રીતે અનુવાદ ક્યારે કરવો

શાબ્દિક ભાષાનો અનુવાદ માત્ર ત્યારે જ કરી શકાય છે જ્યારે પ્રવેશમાર્ગની ભાષાની સામગ્રીનો અનુવાદ કરવામાં આવે છે, જેમ કે ULB, જેનો અન્ય ભાષાના અનુવાદકો દ્વારા ઉપયોગ કરવામાં આવશે. મૂળમાં જે રહેલું છે તે અનુવાદકને દર્શાવવું તે ULB નો હેતુ છે. તે છતાં, ULB ખરેખર શાબ્દિક નથી. તે એક સુધારેલું શાબ્દિક ભાષાંતર છે જે લક્ષિત ભાષાના વ્યાકરણનો ઉપયોગ કરે છે જેથી વાચકો તેને સમજી શકે (જુઓ પાઠ \ સુધારેલ શાબ્દિક અનુવાદ). જે જગ્યાઓએ ULB મૂળ અભિવ્યક્તિઓનો બાઈબલમાં ઉપયોગ કરે છે, તે સમજવા મુશ્કેલ હોઈ શકે છે, અમે તેને સમજાવવા માટે અનુવાદની નોંધ આપી છે.