gu_ta/translate/translate-levels/01.md

3.6 KiB

###અર્થના સ્તર

એક સારા અનુવાદમાં જરૂરી છે કે લક્ષિત ભાષા અને સ્રોતની ભાષા બંનેમાં અર્થ એકસમાન રહેવો જોઈએ.

બાઈબલની સાથે, કોઈપણ લખાણમાં અર્થના ઘણા વિવિધ સ્તર રહેલા છે. આ સ્તરમાં આનો સમાવેશ થાય છે કે:

*શબ્દોના અર્થ *શબ્દસમૂહોના અર્થ *વાક્યોના અર્થ *ફકરાઓના અર્થ *અધ્યાયોના અર્થ *પુસ્તકોના અર્થ

###શબ્દોમાં અર્થ રહેલો છે

આપણે એવું વિચારવા ટેવાએલા છીએ કે લખાણનો અર્થ શબ્દોમાં રહેલો છે. પરંતુ આ અર્થને તેમાં રહેલા દરેક શબ્દના સંદર્ભમાં નિયંત્રિત કરવામાં આવે છે. એટલે કે, દરેક શબ્દોના અર્થને, તેમજ શબ્દસમૂહોને, વાક્યોને, અને ફકરાઓને તેની ઉપરના સ્તર દ્વારા નિયંત્રિત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, “આપવું” જેવા એક શબ્દના સંદર્ભ આધારિત નીચે મુજબના અર્થ હોઈ શકે છે (ઉચ્ચ સ્તરના):

*ભેટ આપવી *ભાંગી પડવું કે તોડી નાખવું *સમર્પણ કરવું *છોડી દેવું *માન્ય કરવું *પૂરું પાડવું *વગેરે.

###વિશાળ અર્થની રચના કરવી

દરેક સંદર્ભમાં પ્રત્યેક શબ્દનો શું અર્થ થાય છે તે અનુવાદકે નક્કી કરવું જોઈએ, અને પછી અનુવાદિત લખાણમાં તે જ અર્થનો પુનરોદ્ભભવ કરવો. એનો અર્થ એ કે શબ્દોનો વ્યક્તિગત રીતે અનુવાદ થતો નથી, પરંતુ તે અર્થો જ્યારે શબ્દસમૂહો, વાક્યો, ફકરા અને અધ્યાયો સાથે જોડાય છે ત્યારે બીજા શબ્દો સાથે મળીને તે અર્થની રચના કરે છે. એટલા માટે અનુવાદકએ સંપૂર્ણ ફકરા, પ્રકરણ અથવા પુસ્તકનો અનુવાદ કરવાનું શરૂ કરતા પહેલાં તેમને વાંચવા જોઈએ. મોટા સ્તરે વાંચીને તેઓ સમજી જશે કે કેવી રીતે દરેક નીચલા સ્તરો સંપૂર્ણ રીતે બંધબેસે છે, અને દરેક ભાગનો અનુવાદ કરશે જેથી તે અર્થને એવી રીતે પ્રત્યાયન કરે કે જે ઉચ્ચ સ્તરો સાથે તેને સૌથી વધુ અર્થપૂર્ણ બનાવે.