gu_ta/translate/translate-aim/01.md

13 KiB

###અનુવાદક શિકારી જેવો છે

અનુવાદક શિકારી જેવો છે, જે તેની બંદૂકને તે પ્રાણી તરફ તાકે છે જેને તે મારી નાંખવા ઈચ્છતો હોય. તેને જે પ્રકારના પ્રાણીનો શિકાર કરવાનો છે તેના વિષે તેણે જાણવું જ જોઈએ, કારણ કે ઉદાહરણ તરીકે કાળીયારને અને પક્ષીઓને એક જ પ્રકારની ગોળીઓથી વીંધી શકાતા નથી.

જ્યારે આપણે બીજા લોકો સાથે વાત કરીએ છીએ તેનું પણ આવું જ છે. આપણે પુખ્ત વયનાઓ સાથે જે રીતે વાત કરીએ છે બરાબર તે જ પ્રમાણે આપણે નાના બાળકો સાથે વાત કરતાં નથી. કે આપણે જેમ પ્રધાનમંત્રી કે આપણા દેશના શાસક સાથે તેઓ આપણા મિત્રો હોય તેવી રીતે વાત કરતાં નથી.

આ બધા કિસ્સામાં, આપણે અલગ અલગ શબ્દો અને હાવભાવનો ઉપયોગ કરવાનું નક્કી કરીએ છીએ. ઉદાહરણ તરીકે, જો હું નાના બાળકની સાથે સુવાર્તા વિષે વાત કરતો હોઉં તો, મારે તેને એમ કહેવું ન જોઈએ કે, “પસ્તાવો કર, અને પ્રભુ તને તેમની કૃપા આપશે.” તેને બદલે, મારે આવું કંઈક કહેવું જોઈએ કે, “તેં જે ખોટી બાબતો કરી છે તેને વિષે તારે દુઃખી થવું જોઈએ, અને ઈસુને કહે કે તું તેના વિષે દુઃખી છે. પછી તે તારો આવકાર કરશે, કારણ કે તે તને પ્રેમ કરે છે.”

દરેક ભાષામાં, એવા શબ્દો છે જેનો માત્ર પુખ્ત લોકો જ ઉપયોગ કરે છે, એવા શબ્દો કે જેને બાળકો તો હજુ શીખ્યા પણ નથી. અલબત્ત, બાળકો આમાંના ઘણા શબ્દો ધીરે ધીરે શીખશે. પરંતુ જો તમે આમાંના ઘણા બધા શબ્દો બાળકોને એકસાથે કહેશો તો, તેઓને માટે તમને સમજવાનું અઘરું થઇ પડશે.

તે ઉપરાંત, ભાષાઓ વૃક્ષ જેવી છે જેના નવા પાંદડા ઉગે છે અને જૂના ખરી પડે છે: હંમેશા નવા શબ્દો ભાષાની રચના કરતા રહે છે, અને કેટલાક શબ્દો હંમેશા બિન ઉપયોગી બની જાય છે. આ શબ્દો નાશ પામે છે અને પાંદડાની જેમ કરી પડે છે;આ એ શબ્દો છે જેણે વૃદ્ધ લોકો જાણે છે પરંતુ જુવાન લોકો તેનો ઉપયોગ કરવાનું શીખતા નથી. જૂની પેઢી જતી રહે છે તે પછી, આ જૂના શબ્દો પણ તે ભાષામાં વધુ ઉપયોગમાં આવતા નથી. ઉદાહરણ તરીકે શબ્દકોશમાં, તેઓને જે સ્વરૂપમાં હોવા જોઈએ તેમાં લખવામાં આવ્યા હોય તો પણ જુવાન લોકો કદાચ તેઓનો ફરી ઉપયોગ કરશે નહીં.

આ કારણોના લીધે, બાઈબલના અનુવાદ્કોએ નક્કી કરવું જોઈએ કે તેઓ જે લોકોને અનુલક્ષીને અનુવાદ કરી રહ્યા છે તે લોકો કોણ હશે. અહીં તેઓની પસંદગીઓ આપવામાં આવી છે:

####ભવિષ્ય તરફનો ધ્યેય

અનુવાદકો લક્ષિત ભાષા બોલતી યુવાન માતાઓ અને તેમના બાળકો પર તેમનો ધ્યેય નું બનાવી શકે છે, કારણ કે આ લોકો તેમની ભાષાના ભાવિને રજૂ કરે છે. જો અનુવાદક આ પ્રમાણે કાર્ય કરે તો, જે જૂના શબ્દો જુવાન લોકો જાણતા નથી તેનો ઉપયોગ કરવાનું તેઓ ટાળી શકે. તેને બદલે, તેઓ શક્ય એટલું રોજીંદા સામાન્ય શબ્દોનો ઉપયોગ કરશે. તે ઉપરાંત, કેટલાક અનુવાદકો આ બીજા નિયમોને અનુસરશે:

૧. તેઓ અન્ય ભાષાઓમાંથી બાઇબલના સામાન્ય શબ્દને લક્ષિત ભાષામાં અનુવાદિત કરવાનો પ્રયત્ન કરતા નથી. ઉદાહરણ તરીકે, આનો અર્થ એ થાય કે તેઓ "સભાસ્થાન" જેવા બાઈબલના કોઈક શબ્દને "સીનાગોગ" શબ્દમાં પરિવર્તિત કરવાનો અને પછી લોકોને તેનો અર્થ શીખવવાનો પ્રયાસ કરશે નહીં. તેઓ બાઈબલના શબ્દ “દૂત” ને “એન્જેલ” એવા કોઈ શબ્દમાં પરિવર્તીત કરવાનો અને પછી લક્ષિત ભાષાના વાચકોને તેનો અર્થ સમજાવવાનો પ્રયત્ન કરશે નહીં. ૧. જે એક વિચાર તેઓને બાઈબલમાંથી મળે છે તેને માટે તેઓ નવા શબ્દોની શોધ કરવાનો પ્રયત્ન કરશે નહીં. ઉદાહરણ તરીકે, જો લક્ષિત ભાષામાં એવા વિચારો સૂચવતા કોઈ શબ્દો ન હોય જેવા કે “કૃપા” કે “પવિત્ર કરવું”, તો અનુવાદક તેને માટે નવા શબ્દો તૈયાર કરશે નહીં. તેને બદલે, તેઓ બાઈબલના જે ફકરા પર કામ કરી રહ્યા છે તેના શબ્દના મુખ્ય ભાગને રજૂ કરતો યોગ્ય શબ્દસમૂહ શોધી કાઢશે. ૧. તેઓ યાદ રાખે કે તેમણે લક્ષિત ભાષામાંથી જાણીતા શબ્દો લઈને તેને નવા અર્થ વડે ભરી દેવાના નથી. તેઓ જાણે છે કે જો તેઓ આવું કરવાનો પ્રયત્ન કરે તો, લોકો નવા અર્થને અવગણી નાંખશે. તેના પરિણામે, લખાણમાંથી તમે જે રજૂ કરવા માગો છો તેના અર્થનું લોકો ખોટું અર્થઘટન કરશે. ૧. તેઓ બાઈબલના વિચારોને સ્પષ્ટ અને વાસ્તવિક રીતે સમજાવવાનું યાદ રાખશે. (જુઓ:સ્પષ્ટ અનુવાદ કરો, [વાસ્તવિક અનુવાદ કરો])

જ્યારે અનુવાદક આ નિયમોને અનુસરે છે ત્યારે, જે પરિણામ પ્રાપ્ત થાય છે તેને આપણે સરળ ભાષાની આવૃત્તિ કહીએ છીએ. જો તમે કોઈ ભાષાને તેનું પ્રથમ બાઈબલ પૂરું પાડવા માટે કાર્ય કરી રહ્યા હોય તો, અમે તમને જણાવીએ છીએ કે તમે આ માર્ગદર્શિકાને અનુસરો. અંગ્રેજી ભાષાની સરળ અનુવાદની આવૃત્તિમાં આજની અંગ્રેજી આવૃત્તિ અને સરળ અંગ્રેજી બાઈબલનો સમાવેશ થાય છે. પણ યાદ રાખો કે તમારી લક્ષિત ભાષા કદાચ ઘણા વિચારોને રજૂ કરતી હશે જે આ અંગ્રેજી આવૃત્તિ કરતાં ઘણી અલગ હશે.

####બાઈબલ અભ્યાસ અનુવાદનો ધ્યેય

અનુવાદકો ખ્રિસ્તીઓને ધ્યાનમાં રાખીને તેમનો ધ્યેય નક્કી કરી શકે, કે જેઓ બાઈબલનો એવી રીતે અભ્યાસ કરવા માગે છે કે જે નવા ખ્રિસ્તીઓ બાઈબલ વાંચે તેનાથી તેઓનો અભ્યાસ વધુ ઊંડો હોય. અનુવાદકો આ કરવાનો નિર્ણય કરી શકે છે જો લક્ષિત ભાષામાં પહેલાથી જ સારું બાઇબલ ઉપલબ્ધ હોય જે અવિશ્વાસીઓ અને નવા વિશ્વાસીઓ સાથે સારી રીતે વાત કરે. જો અનુવાદક આ રીતે કાર્ય કરે તો, તેઓએ નક્કી કરવું જોઈએ:

૧. બાઈબલની ભાષાઓમાં જોવા મળતા વ્યાકરણીય માળખાને વધુ અનુસરવાનો પ્રયત્ન કરો. ઉદાહરણ તરીકે, જ્યારે બાઈબલ એવું કહે છે કે “ઈશ્વરનો પ્રેમ,” ત્યારે અનુવાદકે અસ્પષ્તાને દૂર કરવાનું નક્કી કરવું જોઈએ. જો તેઓ આ કરે તો, તેઓ એવું નક્કી નહીં કરે કે “લોકો પાસે ઈશ્વરનો જે પ્રે છે તે” અથવા “ઈશ્વર પાસે લોકો માટે જે પ્રેમ છે તે”. જ્યારે બાઈબલ કહે છે કે, “ખ્રિસ્ત ઈસુમાં આપણામાં જે પ્રેમ છે”, ત્યારે અનુવાદક નક્કી કરી શકે કે તે એવું નહિ કહે કે “ખ્રિસ્ત ઈસુના લીધે” અથવા “ખ્રિસ્ત ઈસુ સાથે જોડાએલા હોવાને લીધે”. ૧. અનુવાદમાં વિવિધ સમીકરણોમાં ગ્રીક અથવા હિબ્રુ શબ્દ "પાછળ ઊભા" છે તે કહેવાનો પ્રયાસ કરો. ઉદાહરણ તરીકે, તેઓ પાદનોંધ દ્વારા આ કરી શકે છે. ૧. લક્ષિત ભાષામાં નવી અભિવ્યકિત શોધ કરવાનો પ્રયાસ કરો જે બાઇબલના શબ્દો દ્વારા લેવાયેલા અર્થને વધુ સંકેત આપે છે. જો અનુવાદકો આવું કરે, તો તેઓ લક્ષિત ભાષામાં સર્જનાત્મક બનવા જોઈએ.

જ્યાં સુધી લક્ષિત ભાષામાં બાઇબલનો અનુવાદ છે જે સ્પષ્ટ અને વાસ્તવિક રજૂઆત રીતે કરે છે ત્યાં સધી તમે આ બીજો રસ્તો અનુસરો એવી અમે ભલામણ કરતાં નથી.