gu_ta/translate/guidelines-sonofgod/01.md

6.0 KiB

ઈશ્વર તે એક વ્યક્તિ છે અને તે પવિત્ર ત્રિએક તરીકે અસ્તિત્વ ધરાવે છે, કે જે, પિતા, પુત્ર, અને પવિત્ર આત્મા છે.

બાઈબલ આપણને શીખવે છે કે ફક્ત માત્ર એક જ ઈશ્વર છે.

જુના કરારમાં:

યહોવાહ, તે ઈશ્વર છે; ત્યાં અન્ય કોઈ ઈશ્વર નથી! (૧ રાજાઓ ૮:૬૦ ULB)

નવા કરારમાં:

ઈસુએ કહ્યું,... “અનંતજીવન એ છે: કે તેઓ તમને એકલા સાચા ઈશ્વરને ઓળખે. (યોહાન ૧૭:૩ ULB)

(આ પણ જુઓ: પુનર્નિયમ ૪:૩૫, એફેસીઓ ૪:૫-૬, ૧ તિમોથી 2:૫, યાકૂબ ૨:૧૯)

જુનો કરાર ઈશ્વરને ત્રણ વ્યક્તિઓ તરીકે પ્રગટ કરવાનું શરૂ કરે છે.

ઈશ્વરેઆકાશો બનાવ્યા... ઈશ્વરનો આત્મા હાલતો હતો... “આઓ આપણે આપણા સ્વરૂપ પ્રમાણે માણસ બનાવીએ.” (ઉત્પત્તિ ૧:૧-૨ ULB)

</બંધઅવતરણ>ઈશ્વરે પુત્ર દ્વારા આપણી સાથે વાત કરી...તેમના દ્વારા તેમણે જગતની રચના કરી. તેમનો પુત્ર તેમના મહિમાનો પ્રકાશ છે, તેમના ચરિત્રની આબેહૂબ પ્રતિમા... પુત્ર વિષે તેઓ કહે છે..... “આદિએ, પ્રભુએ, પૃથ્વીનો પાયો નાખ્યો; આકાશો તમારા હાથોની કૃતિ છે.” (હિબ્રુ ૧:૨-૩ અને ૮-૧૦ ULB લખે છે ગીતશાસ્ત્ર ૧૦:૨૫) </બંધઅવતરણ>

મંડળીએ હંમેશા તે જણાવવું જરૂરી છે કે નવો કરાર ખાતરીપૂર્વક ઈશ્વર વિષે કહે છે કે તે ત્રણ અલગ વ્યક્તિઓ તરીકે અસ્તિત્વ ધરાવે છે. પિતા, પુત્ર અને પવિત્ર આત્મા.

ઈસુએ કહ્યું, “...તેઓને પિતા, પુત્ર અને પવિત્ર આત્મા ના નામે બાપ્તિસ્મા આપો.” (માથ્થી ૨૮:૧૯ ULB)

</બંધઅવતરણ>ઈશ્વરે સ્ત્રીથી જન્મેલા તેમના પુત્રને મોકલ્યા,.. ઈશ્વરે આપણાં હૃદયમાં પોતાના પુત્રનો આત્મા મોકલ્યો છે, જે “અબ્બા, પિતા કહીને હાંક મારે છે. (ગલાતીઓ ૪:૪-૬ ULB) </બંધઅવતરણ>

આ પણ જુઓ: John 14:16-17, 1 Peter 1:2

ઈશ્વરમાંના દરેક વ્યક્તિ સંપૂર્ણ ઈશ્વર છે અને બાઈબલમાં તેમને ઈશ્વર કહેવામાં આવે છે.

તો પણ આપણા માટે તો એક જ ઈશ્વર પિતા છે... (૧ કરીંથી ૮:૬ ULB)

</બંધઅવતરણ> થોમાએ ઉત્તર આપ્યો અને તેમને કહ્યું, “મારા પ્રભુ અને મારા ઈશ્વર.” ઈસુએ તેને કહ્યું, “તેં મને જોયો છે માટે તેં વિશ્વર કર્યો છે. આશીર્વાદિત છે તેઓ કે જે જોયા વિના વિશ્વાસ કરે છે.” (યોહાન ૨૦:૨૮-૨૯ ULB) </બંધઅવતરણ>

</બંધઅવતરણ>પરંતુ પિતરે કહ્યું, “અનાન્યા, પવિત્ર આત્માને જૂઠું કહેવાનું તથા જમીનના મૂલ્યમાંથી થોડું પોતાની પાસે રાખવાનું શેતાને તારા હ્રદયમાં કેમ ભર્યું છે?... તેં માણસોને નહિ પરંતુ ઈશ્વરને જૂઠું કહ્યું છે.” (પ્રેરિતોના કૃત્યો ૫:૩-૪ ULB) </બંધઅવતરણ>

દરેક વ્યક્તિ અન્ય બે વ્યક્તિઓ કરતાં અલગ છે. ત્રણેય વ્યક્તિઓ એક જ સમયે અલગ દેખાઈ શકે છે. નીચેની કલમોમાં, ઈશ્વર પુત્રનું બાપ્તિસ્મા થાય છે ત્યારે ઈશ્વર આત્મા નીચે ઉતરી આવે છે અને ઈશ્વર પિતા સ્વર્ગમાંથી વાણી કહે છે.

તેમનું બાપ્તિસ્મા થયા પછી, ઈસુ પાણીમાંથી બહાર આવ્યા... તેમણે ઈશ્વરનો આત્મા નીચે ઉતરતો જોયો..., અને વાણી [પિતાની] સ્વર્ગમાંથી થઈ કે, “આ મારો પ્રિય પુત્રછે...” (માથ્થી ૩:૧૬-૧૭ ULB)