gu_ta/translate/guidelines-historical/01.md

3.7 KiB

(“શાસ્ત્રોનો અનુવાદ - સંસ્કૃતિ” માટે http://ufw.io/trans_culture પર વિડિઓ જુઓ.)

ઐતિહાસિક વ્યાખ્યા અનુવાદ ઐતિહાસિક ઘટનાઓ અને સત્યોને સચોટતાથી રજૂ કરે છે. મૂળ સામગ્રીના મૂળ પ્રાપ્તિકર્તા તરીકે સમાન સંદર્ભ અને સંસ્કૃતિનો હિસ્સો નથી તેવા લોકો માટે સચોટ સંદેશો કહેવો માટે આવશ્યક એવી વધારાની માહિતી આપવી.

ઐતિહાસિક સચોટતા સાથે સારી રીતે વાતચીત કરવા માટે, તમારે બે વસ્તુઓ યાદ રાખવાની જરૂર છે:

૧. બાઈબલ એક ઐતિહાસિક દસ્તાવેજ છે. બાઈબલમાંની ઘટનાઓ ઈતિહાસમાં અલગ અલગ સમયે જેમ વર્ણવી છે તેમ બની હતી. તેથી, જ્યારે તમે બાઈબલનો અનુવાદ કરો, તમારે તે રીતે કહેવાની જરૂર છે કે આ ઘટનાઓ બની હતી, અને જે કંઈ બન્યું હતું તેમાં કંઈપણ ફેરફાર કરશો નહિ. ૧. બાઈબલમાંના પુસ્તકો ઈતિહાસમાં કોઈ નિશ્ચિત સમયે કોઈ ચોક્કસ સંસ્કૃતિના લોકો માટે લખવામાં આવ્યા હતાં. એનો મતલબ એ છે કે બાઈબલમાંની કેટલીક બાબતો મૂળ સાંભળનારાઓ અને વાંચનારાઓ માટે ખૂબ જ સ્પષ્ટ હતી જે તે આજે બાઈબલ વાંચનાર અલગ સમયના અને અલગ સંસ્કૃતિના લોકો માટે એટલી સ્પષ્ટ નહિ હોય. આનું કારણ છે કે જે લેખકે લખ્યું હતું તે વિષે બંને લેખક અને વાચક ઘણી એવી પ્રણાલીઓથી પરિચિત હતા, અને તેથી લેખકે તેને સમજાવવાની જરૂર નહોતી. આપણે, અન્ય સમયો અને સંસ્કૃતિઓમાંથી, આ વસ્તુઓ સાથે પરિચિત નથી, અને તેથી કોઈ તેને આપણને સમજાવે તેની જરૂર પડે છે. આ પ્રકારની માહિતીને “ગર્ભિત (અથવા અસ્પષ્ટ) માહિતી” કહેવામાં આવે છે. જુઓ અનુમાનિત જ્ઞાન અને ગર્ભિત માહિતી”)

અનુવાદકો તરીકે, આપણે ઐતિહાસિક વિગતોને સચોટ રીતે અનુવાદ કરવાની જરૂર છે, પરંતુ જ્યારે આપણે વિચારીએ કે આપણા વાચકોને જરૂર પડશે ત્યારે આપણે કેટલાક ખુલાસા પૂરા પાડવા જોઈએ જેથી તેઓ અનુવાદ શેના વિષે છે તે સમજી શકે.