gu_ta/translate/guidelines-church-approved/01.md

6.0 KiB

મંડળી-માન્ય અનુવાદ

સારા અનુવાદના પ્રથમ ત્રણ ગુણો છે સરળ (જુઓ સરળ અનુવાદ કરો), કુદરતી (જુઓ [કુદરતી અનુવાદ કરો]), અને સચોટ (જુઓ [સચોટ અનુવાદ કરો]). આ ત્રણેય સીધા જ અનુવાદમાં વપરાતા શબ્દો અને શબ્દસમુહોને અસર કરે છે. જો અનુવાદ આ ત્રણમાંથી એક નથી, તો જે શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેને ફક્ત બદલીને અથવા પુનઃક્રમાંકમાં ગોઠવીને સમસ્યાને ઠીક કરી શકાય છે. ચોથો ગુણ, મંડળી માન્ય, કે જેને ઉપયોગમાં લેવામાં આવતાં શબ્દો સાથે ઓછી અને ઉપયોગમાં લેવાયેલ પ્રક્રિયા સાથે વધુ મહત્વ છે.

અનુવાદનો ધ્યેય

બાઈબલની સામગ્રીનો અનુવાદ કરવાનો ધ્યેય માત્ર ઉચ્ચ ગુણવત્તાવાળુ અનુવાદ કરવાનું જ નહિ, પરંતુ એવું ઉચ્ચ ગુણવત્તાવાળુ અનુવાદ કરે છે કે જેનો ઉપયોગ અને મંડળી દ્વારા પ્રેમ કરવામાં આવે છે. ઉચ્ચ ગુણવત્તાવાળુ અનુવાદ સરળ, કુદરતી અને સચોટ હોવું જોઈએ. પરંતુ અનુવાદનો ઉપયોગ અને મંડળી દ્વારા પ્રેમ મેળવવા માટે, તે મંડળી માન્ય હોવું જોઈએ.

મંડળી માન્ય અનુવાદ કેવી રીતે તૈયાર કરવું

મંડળી માન્ય અનુવાદ કરવું એ બધું અનુવાદ, ચકાસણી અને વિતરણની પ્રક્રિયા વિષે છે. આ પ્રક્રિયામાં જેટલા વધુ મંડળીના માળખાં સામેલ, તેટલી વધુ સંભાવના છે કે તેઓ અનુવાદને માન્ય કરશે.

અનુવાદનું કાર્ય શરુ કરતાં અગાઉ, શક્ય હોય તેટલી વધુ મંડળીનો સંપર્ક કરી અને અનુવાદમાં ભાગ લેવા માટે ઉત્સાહિત કરવું જોઈએ અને તેઓના થોડા લોકોને અનુવાદ કરનાર જૂથમાં ભાગ લેવા માટે પણ કહો. તેઓની સલાહ લેવી જોઈએ અને તેમને અનુવાદ કાર્યક્રમ, તેના ધ્યેયો અને પ્રક્રિયા માટે પૂછવું જોઈએ.

તે જરૂરી નથી કે મંડળી સક્રિય રીતે અનુવાદને દોરવણી આપે અને તમામ પ્રયત્નોનું સંકલન કરે, પરંતુ તે જરૂરી છે કે જે કોઈ અનુવાદને દોરવાની આપતું હોય તે મંડળીના માળખાં દ્વારા માન્ય થયેલ હોય, તેઓ શરૂઆત કરે તે અગાઉથી કરવું તેને પ્રાધાન્ય આપવું.

મંડળી દ્વારા માન્યતા અને તપાસના સ્તરો

મંડળીની માન્યતાની જરૂરીયાત સરળપણે તપાસના સ્તરોમાં જોવા મળે છે. હકીકતમાં, તપાસના સ્તરો મોટેભાગે કેવી વિસ્તૃત રીતે મંડળી અનુવાદને માન્ય કરે છે તેનું માપ છે.

  • પ્રથમ સ્તર જણાવે છે કે મંડળી માન્ય થયેલ અનુવાદ કરનાર જૂથ દ્વારા અનુવાદને માન્ય કરેલ છે.
  • બીજું સ્તર જણાવે છે કે સ્થાનિક મંડળીના પાળકો અને આગેવાનો દ્વારા અનુવાદને માન્ય કરેલ છે. ત્રીજું સ્તર જણાવે છે કે બહુવિધ મંડળીના માળખાં દ્વારા અનુવાદને માન્ય કરેલ છે.

દરેક સ્તરે, અનુવાદને દોરનાર લોકોએ મંડળીના માળખાંમાંની ભાગીદારી અને તેમના હિસ્સાને પ્રોત્સાહન આપવું જોઈએ. આ પ્રક્રિયાના ઉપયોગ દ્વારા, અમે આશા રાખીએ છીએ કે શક્ય હોય તેટલા મંડળીના માળખાંમાં અનુવાદને મંડળીની માલિકીને પ્રોત્સાહિત કરો. આ માન્યતા સાથે, મંડળીને મજબૂત અને પ્રોત્સાહિત કરવા માટે ઉપયોગમાં લેવાથી અનુવાદમાં કંઈ પણ અવરોધરૂપ નહિ હોય.