13 KiB
“જો સૂર્ય પ્રકાશ આપવાનું બંધ કરે...”, “જો સૂર્ય પ્રકાશ આપવાનું બંધ કરે તો શું...”, “ધારો કે સૂર્ય પ્રકાશતો બંધ થઈ જાય...”, “જો માત્ર સૂર્ય પ્રકાશતો બંધ ન હોત.” અમે આવી અભિવ્યક્તિઓનો ઉપયોગ કાલ્પનિક પરિસ્થિતિઓને સુયોજિત કરવા માટે કરીએ છીએ, કલ્પના કરો કે શું બન્યું હશે અથવા ભવિષ્યમાં શું બની શકે છે પરંતુ લગભગ નહિ બને. અમે તેનો ઉપયોગ અફસોસ અને ઈચ્છાઓ વ્યક્ત કરવા માટે પણ કરીએ છીએ. આવું ઘણીવાર બાઈબલમાં બને છે. આપણે તેનું અનુવાદ એવી રીતે કરવાનું છે કે જેથી લોકો જાણે કે તે ઘટના હકીકતમાં બની નથી, અને તેઓ સમજી શકે કે કેમ તે ઘટનાની કલ્પના કરવામાં આવી હશે.
વર્ણન
આનુમાનિક પરિસ્થિતિઓ એટલે એવી પરિસ્થિતિ કે જે વાસ્તવિક નથી. તેઓ ભૂતકાળ, વર્તમાન અથવા ભવિષ્યમાં હોઈ શકે છે. આનુમાનિક પરિસ્થિતિઓ ભૂતકાળ અને વર્તમાનમાં નથી બની, અને ભવિષ્યમાં બનવાની કોઈ અપેક્ષા નથી.
લોકો ઘણીવાર શરતો વિષે વાત કરે અને શું બનશે જો તે શરતો પૂરી થઈ તો, પરંતુ તેઓ જાણે છે કે આ બાબતો બની નથી અથવા લગભગ બનશે પણ નહિ. (શરતો એ ભાગ છે જેની શરૂઆત “જો” સાથે થાય છે.)
- જો તેણે ઉજવણી વિષે જાણ્યું હોત, તો તે તેમાં આવ્યો હોત. (પરંતુ તે આવ્યો નહિ.)
- જો તે ઉજવણી વિષે જાણતો હોત, તો તે અહીં હોત. (પરંતુ તે અહી નથી.)
- જો તે ઉજવણી વિષે જાણે, તો તે તેમાં આવશે. (પરતું લગભગ નહિ આવે.)
લોકો ઘણીવાર બાબતો વિષે તેમની ઈચ્છાઓ પ્રગટ કરે છે જે બની નથી અથવા કોઈ અપેક્ષા નથી એ તે બનશે.
- હું ઈચ્છું છું કે તે આવ્યો હોત.
- મારી ઈચ્છા છે કે તે અહીં હોત.
- હું ઈચ્છું છું કે તે આવે.
લોકો ઘણીવાર બાબતો વિષે અફસોસ વ્યક્ત કરે છે જે બની નથી હોતી અથવા બનવાની અપેક્ષા નથી હોતી.
- જો માત્ર તે આવ્યો હોત.
- જો માત્ર તે અહી હોત.
- જો માત્ર તે આવે.
આ અનુવાદની સમસ્યા છે તેનું કારણ
- અનુવાદકોએ બાઈબલમાની અલગ અલગ પ્રકારની આનુમાનિક પરિસ્થિતિઓને જાણી લેવાની જરૂર છે.
- અનુવાદકોએ
બાઈબલમાંના ઉદાહરણો
૧. ભૂતકાળમાં આનુમાનિક પરિસ્થિતિઓ
”તમને અફસોસ, બેથસૈદા, તને અફસોસ! કેમ કે જે પરાક્રમી કામો તમારામાં થયા, જો તે તૂર અને સિદોનમાં થયા હોત તો તેઓએ ટાટ તથા રાખમાં બેસીને ક્યારનો પસ્તાવો કર્યો હોત.” (માથ્થી ૧૧:૨૧ ULB)
અહીં માથ્થી ૧૧:૨૧ માં ઈસુ એ કહ્યું કે જો જે લોકો તૂર અને સિદોન જેવા પ્રાચીન નગરોમાં વસતાં લોકો તેમના કરેલા ચમત્કારો જોઈ શક્યા હોત, તેઓએ ઘણાં સમય અગાઉ પસ્તાવો કર્યો હોત. તૂર અને સિદોનના લોકોએ તેમના ચમત્કારો જોયા નહિ અને પસ્તાવો કર્યો નહિ. તેમણે આ વચનો ખોરાઝીન અને બેથસૈદાને ઠપકો આપતા કહ્યા જેમણે તેમના ચમત્કારો જોયા હતા પરંતુ પસ્તાવો કર્યો નહિ.
ત્યારે માર્થાએ ઈસુને કહ્યું કે, “પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરત નહિ.” (યોહાન ૧૧:૨૧ ULB)
માર્થાએ આ પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું કે ઈસુ વહેલા આવ્યા હોત. પરંતુ ઈસુ વહેલા આવ્યા નહિ, અને તેનો ભાઈ મરણ પામ્યો.
૧. વર્તમાનમાં આનુમાનિક પરિસ્થિતિઓ
વળી, કોઈ માણસ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં ભરતો નથી. જો તે એવું કરે, તો નવો દ્રાક્ષારસ જૂની મશકોની તોડી નાંખે, અને દ્રાક્ષારસ ઢળી જાય, અને મશકો તૂટી જાય. (લુક ૫:૩૭ ULB)
ઈસુએ કહ્યું કે જો કોઈ માણસ નવો દ્રાક્ષારસ જૂની મશકોમાં ભરે તો શું થઈ શકે છે. પરંતુ કોઈ તેવું કરશે નહિ. તેમણે આ કાલ્પનિક પરિસ્થિતિવાળા ઉદાહરણનો ઉપયોગ કર્યો તે બતાવવા માટે કે ત્યાં એવો સમય આવે છે કે જ્યારે નવી સાથે જૂની વસ્તુઓ ભેળવવી મુર્ખામી ભરી હોય છે. તેમણે આ કર્યું જેથી લોકોએ સમજી શકે કે કેમ તેમના શિષ્યો પરંપરાગત રીતે લોકોની જેમ ઉપવાસ કેમ કરતાં નહોતા.
ઈસુએ તેઓને કહ્યું, “શું તમારામાનો માણસ, કે જે જોકે જેની પાસે એક જ ઘેટું છે, અને તે ઘેટું સાબ્બાથના દિવસે ઊંડા ખાડામાં પડી જાય, તો શું તેને પકડીને બહાર નહિ કાઢે? *માથ્થી ૧૨:૧૧ ULB)
ઈસુએ ધાર્મિક આગેવાનોને પૂછ્યું કે તેઓ શું કરશે જો સાબ્બાથના દિવસે તેઓનું ઘેટું ખાડામાં પડી જાય. તે તેઓને નથી કહેતા કે તેઓનું ઘેટું ઊંડા ખાડામાં પડી જશે. તેમણે ત્યાં કાલ્પનિક પરિસ્થિતિનો ઉપયોગ કર્યો તે બતાવવા માટે કે તેઓ ખોટા હતા તેમનો ન્યાય કરવા માટે કેમકે તેમણે લોકોને સાબ્બાથના દિવસે સજાપણું આપ્યું.
૧. ભવિષ્યમાં આનુમાનિક પરિસ્થિતિ
જ્યાં સુધી તે દિવસ ટૂંકા હોય ત્યાં સુધી, કોઈ દેહ બચવા પામશે નહિ; પરંતુ પસંદ કરાયેલાઓને લીધે, તે દિવસોને ટૂંકા કરવામાં આવશે. (માથ્થી ૨૪:૨૨ ULB)
ઈસુ ભવિષ્યના સમયની વાત કરી રહ્યા ચી જ્યારે ખૂબજ ભૂંડી વાતો બનશે. તેમણે તેઓને કહ્યું કે શું થશે જો મુશ્કેલીના દિવસો લાંબા સમય સુધી ચાલે તો. તેમણે તે બતાવવા માટે આ કર્યું કે તે દિવસો કેટલા ભૂંડા હશે, એટલા ભૂંડા કે જો તે લાંબા સમય ચાલે તો, કોઈ પણ બચવા પામશે નહિ. પરંતુ ત્યારે તેમણે તે સ્પષ્ટ કર્યું કે ઈશ્વર તે દિવસોને ટૂંકાવી નાખશે, જેથી કે (જેઓને તેમણે પસંદ કર્યા છે) પસંદ કરેલા બચી જાય.
૧. આનુમાનીક પરિસ્થિતિ વિષે લાગણી વ્યક્ત કરવી
દિલગીરી અને શુભેચ્છાઓ ખૂબ સમાન છે.
ઇઝરાયલીઓએ તેઓને કહ્યું, “જો અમે માંસના ઘડાઓ પાસે બેસીને ધરાતા સુધી રોટલી ખાતા હતા, ત્યારે મિસર દેશમાં અમે યહોવાહના હાથે મૂઆ હોત તો કેવું સારું. કેમકે તમે શું અમારા આખા સમુદાયને ભૂખે મારવા માટે અરણ્યમાં લાવ્યા છો.” (નિર્ગમન ૧૬:૩ ULB)
અહિયાં ઇઝરાયલીઓને તે ડર લાગ્યો કે અરણ્યમાં તેઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને ભૂખથી મરી જશે, અને તેથી તેઓએ ઈચ્છા કરી કે તેઓ મિસરમાં રહ્યા હોત અને તેઓના પેટ ભરીને મૃત્યુ પામ્યા હોત તો કેવું સારું. તેઓ ફરિયાદ કરી રહ્યા હતાં, દિલગીરી વ્યક્ત કરતાં કે આ બન્યું નહિ.
હું જાણું છું તમે શું કર્યું છે, અને તમે ઠંડા નથી કે ગરમ નથી. હું ઈચ્છા રાખું છું કે તું ઠંડો અથવા ગરમ હોય! (પ્રકટીકરણ ૩:૧૫ ULB)
ઈસુ ચાહે છે કે લોકો ઠંડા અથવા ગરમ હોય, પરંતુ તેઓ બંને નહોતા. તે તેઓને ઠપકો આપતા હતાં, આ માટે ગુસ્સો વ્યક્ત કરતાં હતા.
અનુવાદની વ્યૂહરચનાઓ
લોકો તમારી ભાષા કેવી રીતે બોલે છે તે જાણો:
- તે કંઈક થઈ શકતું હતું, પણ થયું નહિ.
- તે કંઈક અત્યારે સાચું હોત, પરતું નથી.
- કે કંઈક ભવિષ્યમાં બની શકતું હોત, પરંતુ જો કંઈક બદલાય નહિ તો તે બનશે નહિ.
- કે તેઓ કંઈક વિષે ઈચ્છા રાખે છે, પરંતુ તે બનતું નથી.
- કે તેઓ દિલગીર થાય છે કેમકે કંઈક થયું નહિ.
આ બધી બાબતો બતાવવાને માટે તમારી ભાષાનો ઉપયોગ કરો.
તમે આ વિડીયો http://ufw.io/figs_hypoજોવા માંગો તો.