gu_ta/translate/writing-pronouns/01.md

15 KiB

સમજૂતી

જ્યારે આપણે વાત કરીએ છીએ અથવા લખીએ છીએ, ત્યારે આપણે હંમેશા સંજ્ઞા અથવા નામનું પુનરાવર્તન કર્યા વિના લોકો અથવા વસ્તુઓનો સંદર્ભ આપવા માટે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. સામાન્ય રીતે, જ્યારે આપણે વાર્તામાં પ્રથમ વખત કોઈનો ઉલ્લેખ કરીએ છીએ, ત્યારે આપણે વર્ણનાત્મક શબ્દસમૂહ અથવા નામનો ઉપયોગ કરીએ છીએ. બીજી વાર આપણે સાદી સંજ્ઞા સાથે અથવા નામ દ્વારા તે વ્યક્તિનો ઉલ્લેખ કરી શકીએ છીએ. તે પછી, જ્યાં સુધી આપણે વિચારીએ છીએ કે અમારા શ્રોતાઓ સહેલાઈથી સમજી શકશે કે સર્વનામ કોને સંદર્ભિત કરે છે ત્યાં સુધી આપણે તેનો ઉલ્લેખ ફક્ત સર્વનામ સાથે કરી શકીએ છીએ.

હવે ત્યાં ફરોશીઓમાંથી એક માણસ હતો જેનું નામ નિકોદેમસ હતું, એક યહૂદી આગેવાન હતો. આ માણસ રાત્રે ઈસુ પાસે આવ્યો. ઈસુએ જવાબ આપ્યો અને તેને કહ્યું ... (યોહાન 3:1, 2a, 3a ULT)

યોહાન 3 માં, નિકોદેમસને સૌપ્રથમ સંજ્ઞા શબ્દસમૂહો અને તેના નામ સાથે ઓળખવામાં આવે છે. પછી તેને "આ માણસ" નામના શબ્દસમૂહ સાથે ઓળખવામાં આવે છે. પછી તેને "તેમ" સર્વનામ સાથે ઓળખવામાં આવે છે.

દરેક ભાષામાં લોકો અને વસ્તુઓનો ઉલ્લેખ કરવાની આ સામાન્ય રીત માટે તેના નિયમો અને અપવાદો છે.

  • કેટલીક ભાષાઓમાં, ફકરા અથવા પ્રકરણમાં પ્રથમ વખત કોઈ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવે છે, તેનો ઉલ્લેખ સર્વનામને બદલે નામ દ્વારા કરવામાં આવે છે.
  • જેના વિશે વાર્તા છે એ વ્યક્તિ મુખ્ય પાત્ર છે. કેટલીક ભાષાઓમાં, વાર્તામાં મુખ્ય પાત્રનો પરિચય થયા પછી, તેને સામાન્ય રીતે સર્વનામ દ્વારા ઓળખવામાં આવે છે. કેટલીક ભાષાઓમાં વિશિષ્ટ સર્વનામ હોય છે જે ફક્ત મુખ્ય પાત્રનો સંદર્ભ આપે છે.
  • કેટલીક ભાષાઓમાં, ક્રિયાપદ ને ચિન્હિત કરવાથી લોકોને તે વ્યક્તિ કોણ છે તે જાણવામાં મદદ મળે છે. (જુઓ ક્રિયાપદ.) આમાંની કેટલીક ભાષાઓમાં, શ્રોતાઓ વ્યક્તિ કોણ છે તે સમજવામાં મદદ કરવા માટે આ નિશાની પર આધાર રાખે છે. બોલનાર જ્યારે તેઓ કાં તો ભાર આપવા અથવા વિષય કોણ છે તે સ્પષ્ટ કરવા માંગતા હોય ત્યારે સર્વનામ, સંજ્ઞા શબ્દસમૂહ અથવા યોગ્ય નામનો ઉપયોગ કરશે..

આ અનુવાદની સમસ્યા છે કારણ કે,

  • જો અનુવાદકો તેમની ભાષા માટે ખોટા સમયે સર્વનામનો ઉપયોગ કરે છે, તો લેખક કોના વિશે વાત કરી રહ્યા છે તે અંગે કદાચ વાચકો અજાણ રહેશે.
  • જો અનુવાદકો વારંવાર નામ દ્વારા મુખ્ય પાત્રનો ઉલ્લેખ કરે છે, તો કેટલીક ભાષાઓના શ્રોતાઓ કદાચ સમજી શકશે નહીં કે તે વ્યક્તિ મુખ્ય પાત્ર છે, અથવા તેઓ વિચારી શકે છે કે તે જ નામનું નવું પાત્ર છે.
  • જો અનુવાદકો ખોટા સમયે સર્વનામ, સંજ્ઞાઓ અથવા નામોનો ઉપયોગ કરે છે, તો લોકો એવું વિચારી શકે છે કે તે વ્યક્તિ અથવા વસ્તુ જેનો ઉલ્લેખ કરે છે તેના પર કોઈ ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

બાઇબલમાંથી ઉદાહરણો

નીચેનું ઉદાહરણ પ્રકરણની શરૂઆતમાં આવે છે. કેટલીક ભાષાઓમાં સર્વનામ કોનો સંદર્ભ આપે છે તે સ્પષ્ટ હોતું નથી.

પછી ઈસુ ફરીથી સભાસ્થાનમાં આવ્યા, અને ત્યાં એક માણસ હતો જેનો હાથ સુકાઈ ગયો હતો. કેટલાક લોકો તેને નજીકથી જોતા હતા કે શું તે વિશ્રામવારના દિવસે તેને સાજો કરશે કે નહીં જેથી તેઓ તેના પર આરોપ લગાવી શકે. (માર્ક 3:1-2 ULT)

નીચેના ઉદાહરણમાં, પ્રથમ વાક્યમાં બે પુરુષોનું નામ આપવામાં આવ્યા છે. બીજા વાક્યમાં "તે" કોનો ઉલ્લેખ કરે છે તે અસ્પષ્ટ હોઈ શકે.

હવે થોડા દિવસો વીતી ગયા પછી, રાજા અગ્રીપા અને બરનિકા ફેસ્તસને માન આપવા માટે કૈસરિઆમાં આવ્યા. તે ઘણા દિવસો સુધી ત્યાં રહ્યા પછી, ફેસ્તસે રાજાને પાઉલ વિશેની બાબતો રજૂ કરી. (પ્રેરિતોનાં કૃત્યો 25:13-14)

ઈસુ માથ્થીના પુસ્તકનું મુખ્ય પાત્ર છે, પરંતુ નીચેની કલમોમાં તેનો ચાર વખત નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આનાથી કેટલીક ભાષાઓના વક્તાઓ એવું વિચારી શકે છે કે ઈસુ મુખ્ય પાત્ર નથી. અથવા તે તેમને વિચારવા તરફ દોરી શકે છે કે આ વાર્તામાં ઈસુ નામની એક કરતાં વધુ વ્યક્તિઓ છે. અથવા કોઈ અગત્યતા ન દર્શાવ્યા હોવા છતાં તે તેમને વિચારવા તરફ દોરી શકે છે કે કોઈ ખાસ ભાર મુકવામાં આવ્યો છે.

તે સમયે ઈસુ વિશ્રામવારના દિવસે અનાજના ખેતરોમાંથી પસાર થતા હતા. તેના શિષ્યો ભૂખ્યા થયા અને અનાજના કણસલાંઓ તોડીને ખાવા લાગ્યા. પરંતુ જ્યારે ફરોશીઓએ તે જોયું, ત્યારે તેઓએ ઈસુને કહ્યું, "જો, તારા શિષ્યો વિશ્રામવારે જે કરવું નિયમ વિરુદ્ધનું છે તે કરે છે." પણ ઈસુએ તેઓને કહ્યું, "શું તમે ક્યારેય વાંચ્યું નથી કે દાઉદે જ્યારે તે ભૂખ્યો હતો શું કર્યું, અને તેની સાથેના માણસોએ શું કર્યું?" પછી ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં ગયા. (માથ્થી 12:1-3,9 ULT)

અનુવાદ માટેની વ્યૂહરચના

(1) જો તમારા વાચકોને તે સ્પષ્ટ ન હોય કે સર્વનામ કોને અથવા શેનો સંદર્ભ આપે છે, તો નામ અથવા સંજ્ઞાનો ઉપયોગ કરો.
(2) જો કોઈ સંજ્ઞા અથવા નામનું પુનરાવર્તન કરવાથી લોકો એવું વિચારે છે કે મુખ્ય પાત્ર મુખ્ય પાત્ર નથી, અથવા લેખક તે નામ સાથે એક કરતાં વધુ વ્યક્તિઓ વિશે વાત કરી રહ્યો છે, અથવા અથવા કોઈ અગત્યતા ન દર્શાવ્યા હોવા છતાં તે તેમને વિચારવા તરફ દોરી શકે છે કે કોઈ ખાસ ભાર મુકવામાં આવ્યો છે , તો તેના બદલે સર્વનામનો ઉપયોગ કરો.

લાગુ કરેલ અનુવાદ વ્યૂહરચનાનાં ઉદાહરણો

(1) જો તમારા વાચકોને તે સ્પષ્ટ ન હોય કે સર્વનામ કોને અથવા શેનો સંદર્ભ આપે છે, તો નામ અથવા સંજ્ઞાનો ઉપયોગ કરો.

ફરીથી તે સભાસ્થાનમાં ગયો, અને ત્યાં સુકાયેલ હાથ ધરાવતો એક માણસ હતો. કેટલાક ફરોશીઓ તેને જોતા હતા કે શું તે વિશ્રામવારના દિવસે માણસને સાજો કરશે કે કેમ.. (માર્ક 3:1-2)

ફરીથી ઈસુ સભાસ્થાનમાં ગયા, અને ત્યાં એક સુકાઈ ગયેલો હાથ હતો. કેટલાક ફરોશીઓએ ઈસુને જોયા કે શું તે વિશ્રામવારના દિવસે માણસને સાજો કરશે કે કેમ.

(2) જો કોઈ સંજ્ઞા અથવા નામનું પુનરાવર્તન કરવાથી લોકો એવું વિચારે છે કે મુખ્ય પાત્ર મુખ્ય પાત્ર નથી, અથવા લેખક તે નામ સાથે એક કરતાં વધુ વ્યક્તિઓ વિશે વાત કરી રહ્યો છે, અથવા અથવા કોઈ અગત્યતા ન દર્શાવ્યા હોવા છતાં તે તેમને વિચારવા તરફ દોરી શકે છે કે કોઈ ખાસ ભાર મુકવામાં આવ્યો છે , તો તેના બદલે સર્વનામનો ઉપયોગ કરો.

તે સમયે ઈસુ વિશ્રામવારના દિવસે અનાજના ખેતરોમાંથી પસાર થતા હતા. તેના શિષ્યો ભૂખ્યા હતા અને અનાજના કણસલાંઓ તોડીને ખાવા લાગ્યા. પરંતુ જ્યારે ફરોશીઓએ તે જોયું, ત્યારે તેઓએ ઈસુને કહ્યું, "જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારે જે કરવું નિયમ વિરુદ્ધનું છે તે કરે છે." પણ ઈસુએ તેઓને કહ્યું, "શું તમે ક્યારેય વાંચ્યું નથી કે દાઉદે શું કર્યું, જ્યારે તે ભૂખ્યો હતો અને તેની સાથેના માણસોએ શું કર્યું?" પછી ઈસુ ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં ગયા. (મેથ્યુ 12:1-3,9 ULT)

આનું આ રીતે ભાષાંતર કરી શકાય છે:

તે સમયે ઈસુ વિશ્રામવારના દિવસે અનાજના ખેતરોમાંથી પસાર થતા હતા. તેના શિષ્યો ભૂખ્યા હતા અને અનાજના કણસલાંઓ તોડીને ખાવા લાગ્યા. પરંતુ જ્યારે ફરોશીઓએ તે જોયું, ત્યારે તેઓએ તેને કહ્યું, "જુઓ, તમારા શિષ્યો વિશ્રામવારે જે કરવું નિયમ વિરુદ્ધનું છે." પણ તેણે તેઓને કહ્યું, "શું તમે ક્યારેય વાંચ્યું નથી કે દાઉદે શું કર્યું, જ્યારે તે ભૂખ્યો હતો અને તેની સાથેના માણસોએ શું કર્યું?" પછી*તે* ત્યાંથી નીકળીને તેઓના સભાસ્થાનમાં ગયો.