82 lines
14 KiB
Markdown
82 lines
14 KiB
Markdown
## તાર્કિક સબંધો
|
||
|
||
કેટલાક સંયોજકો બે શબ્દસમૂહો, કલમો, વાક્યો અથવા લખાણના ભાગો વચ્ચે તાર્કિક સબંધોની સ્થાપના કરે છે.
|
||
|
||
### ધ્યેય (અથવા હેતુ) સંબંધ
|
||
|
||
#### વર્ણન
|
||
|
||
એક ધ્યેય (અથવા હેતુ) સંબંધ એ એક તાર્કિક સબંધ છે જેમાં બીજી ઘટના એ પ્રથમ ઘટનાનો હેતુ અથવા ધ્યેય હોય છે. કશુક, ધ્યેય અથવા હેતુ સંબંધ હોય તે માટે બીજી ઘટના થશે તેવા હેતુસર કોઈક પ્રથમ ઘટના કરે, તે જરૂરી છે.
|
||
|
||
#### આ પ્રશ્ન/મુદ્દો ભાષાંતરનો છે, તેનું કારણ
|
||
|
||
શાસ્ત્ર (બાઈબલ)માં હેતુ અથવા ધ્યેયને પ્રથમ કે દ્રિતીય દર્શાવવામાં આવ્યો હોય. પરંતુ કેટલીક ભાષાઓમાં, તાર્કિક સબંધની સમજ માટે, હેતુ અથવા ધ્યેય એક જ સ્થિતિમાં દ્રષ્ટિમાન થવા જોઈએ (કાં તો પ્રથમ અથવા દ્રિતીય). તમારે (ભાષાંતરકારે) તે બે ભાગો વચ્ચેના સંબંધને સમજવા જોઈએ અને પછી તમારી ભાષામાં ચોક્કસ રીતે/સાચી રીતે જણાવવા જોઈએ. આ માટે બંને ઘટનાઓના ક્રમ બદલવાની જરૂર પડે. ચોક્કસ શબ્દો દ્વારા એ પણ દર્શાવવાની જરૂર પડે કે એક તે બીજાનો ધ્યેય અથવા હેતુ છે. અંગ્રેજીમાં સામાન્ય રીતે ધ્યેય સંબંધ દર્શાવવા માટે "ના/તે અનુસાર," "તે ક્રમ અનુસાર/મુજબ" અથવા "જેથી" નો ઉપયોગ થાય છે. તે અગત્યનું છે કે જે શબ્દો, ધ્યેય સંબંધને ચિહ્નિત કરે છે તે શબ્દોને ભાષાંતરકાર ઓળખે અને તે સબંધને કુદરતી રીતે ભાષાંતર કરે.
|
||
|
||
#### ઓ.બી.એસ. અને બાઈબલમાંથી ઉદાહરણો
|
||
|
||
> તેણી ગુસ્સે થઇ અને તેણીએ યુસુફ પર જુઠો આરોપ મૂક્યો કે **જેથી તેની ધરપકડ થાય અને તેને કેદખાનામાં મોકલવામાં આવે.** (વાર્તા ૮ બાંધો ૫ ઓ.બી.એસ.)
|
||
|
||
સ્ત્રીના જૂઠા આરોપનો હેતુ અથવા ધ્યેય યુસુફની ધરપકડ કરાવી તેને જેલમાં મોકલવાનો હતો.
|
||
|
||
> તે દરમ્યાન તેનો પુત્ર, ગિદિયોન, **મિદ્યાનીઓની નજરથી છુપાવવા માટે,** કોલુમાં ઘઉં ઝૂડતો હતો. (ન્યાયાધીશો ૬:૧૧બ યુ.એલ.ટી.)
|
||
|
||
અહીં પૂર્વનિર્ધારિત શબ્દસમૂહની શરૂઆત "છુપાવવા માટે"થી શરુ થાય છે.
|
||
|
||
> હવે જો હું તમારી નજરમાં કૃપા પામ્યો હોઉં તો, મને તમારા માર્ગો જણાવો **જેથી હું તમને વધુ ઓળખી શકું અને સતત તમારી નજરમાં કૃપા પામી રહું.** યાદ રાખજો કે આ પ્રજા તમારા લોક છે. (નિર્ગમન ૩૩:૧૩ યુ.એલ.ટી.)
|
||
|
||
મૂસા ઈશ્વરની ઓળખ પામતો રહે અને સતત ઈશ્વરની પસંદગી પામતો રહે તે ધ્યેય અથવા હેતુ માટે મૂસા ઈચ્છે છે કે ઈશ્વર તેને તેમના માર્ગો જણાવે.
|
||
|
||
> અને એ ખાતરી રાખો કે તમે તમારા પૂળાઓમાંથી થોડા કણસલાં ખેંચી કાઢીને બહાર રહેવા દો **કે** **તે તેને વીણી લે ,** અને તેને તે માટે ઠપકો આપશો નહીં! (રૂથ ૨:૧૬ યુ.એલ.ટી.)
|
||
|
||
તેના માણસો તેમના પૂળાઓમાંથી થોડા કણસલા ખેંચી કાઢીને બહાર રહેવા દે, તેવી સૂચના તેઓને આપવા પાછળ બોઆઝનો ધ્યેય અથવા હેતુ એ હતો કે, તેથી રૂથ તેનો સંગ્રહ કરી શકે/(વીણી શકે).
|
||
|
||
> ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, "આવો આપણે જરૂરથી બેથલેહેમ જઈએ **અને આ જે** **ઘટના** **બની છે તેને જોઈએ,** જેને ઈશ્વરે આપણી સમક્ષ પ્રગટ કરી છે." (લૂક ૨:૧૫ યુ.એલ.ટી.)
|
||
|
||
બેથલેહેમ જવાનો હેતુ એ હતો કે જે ઘટના બની છે તેને જોઈ શકાય. અહીં હેતુને ચિહ્નિત કરવામાં આવ્યો નથી અને તેથી તે વિષે ગેરસમજ થઇ શકે છે.
|
||
|
||
> “… જો તારે **અનંતજીવન પામવું હોય તો,** આજ્ઞાઓ પાળ." (માથ્થી ૧૯:૧૭બ યુ.એલ.ટી.)
|
||
|
||
આજ્ઞાઓ પાળવાનો હેતું અનંત જીવન પામવા માટેનો છે.
|
||
|
||
> તેનાથી જમણે કે ડાબે ફરતો મા **જેથી** જે સર્વ માર્ગે તું ચાલે છે **તેમાં તું બુદ્ધિમાન બને.** (યહોશુઆ ૧:૭સી યુ.એલ.ટી.)
|
||
|
||
મૂસાએ ઈઝરાયેલીઓને જે આજ્ઞાઓ આપી તેનાથી ફરી ના જવાનું કહેવાની સૂચનાઓનો હેતુ એ હતો કે તેઓ બુધ્ધિમાન ઠરે.
|
||
|
||
> પરંતુ દ્રાક્ષવાડીના મજૂરોએ દિકરાને જોયો ત્યારે તેઓએ માહોમાંહ કહ્યું કે, 'આ વારસદાર છે. ચાલો તેને મારી નાખીએ **અ ને** **તેનો વારસો પડાવી લઈએ.'** તેથી તેઓએ તેને પકડી, મારી નાખીને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો. (માથ્થી ૨૧:૩૮-૩૯ યુ.એલ.ટી.)
|
||
|
||
દ્રાક્ષવાડીના વારસને મારી નાખવા પાછળ દ્રાક્ષાવાડીના મજૂરોનો હેતુ એ હતો કે તેઓ વારસો મેળવી શકે. તેઓએ બંને ઘટનાઓને એક યોજના તરીકે રજૂ કરી, અને તે ઘટનાઓને **"અને"** દ્વારા જોડી. ત્યારપછી **"તેથી"** શબ્દ પ્રથમ ઘટના વિષે રજૂઆત કરે છે, પરંતુ બીજી ઘટના (ધ્યેય અથવા હેતુ)ની રજૂઆત કરતો નથી.
|
||
|
||
#### ભાષાંતરની વ્યૂહરચનાઓ
|
||
|
||
જો ધ્યેય અથવા હેતુના સબંધની રજૂઆત જેમ લખાણમાં છે તે જ રીતે તમારી ભાષામાં છે તો તેનો ઉપયોગ તે જ રીતે કરો.
|
||
|
||
(૧) જો ધ્યેય વાક્યનું બંધારણ અસ્પષ્ટ હોય તો જે વાક્યનું બંધારણ વધુ સ્પસ્ટ છે તેના દ્વારા તે વાક્યને બદલો.
|
||
|
||
(૨) જો વાક્યનો ક્રમ વાંચક માટે, ધ્યેય વાક્યને અસ્પષ્ટ અથવા ગુંચવણભર્યું બનાવે છે તો વાકયનો ક્રમ બદલો.
|
||
|
||
#### ભાષાંતર વ્યૂહરચનાઓના અમલીકરણના ઉદાહરણો
|
||
|
||
(૧) જો ધ્યેય વાક્યનું બંધારણ અસ્પષ્ટ હોય તો જે વાક્યનું બંધારણ વધુ સ્પસ્ટ છે તેના દ્વારા તે વાક્યને બદલો.
|
||
|
||
> "અને એ ખાતરી રાખો કે તમે તમારા પૂળાઓમાંથી થોડા કણસલાં ખેંચી કાઢીને બહાર રહેવા દો **કે** **તે તેને વીણી લે ,** અને તેને તે માટે ઠપકો આપશો નહીં!" (રૂથ ૨:૧૬ યુ.એલ.ટી.)
|
||
>
|
||
> > "અને એ ખાતરી રાખો કે તમે તમારા પૂળાઓમાંથી થોડા કણસલાં ખેંચી કાઢીને બહાર રહેવા દો, **જેથી** **તે તેને વીણી લે ,** અને તેને તે માટે ઠપકો આપશો નહીં!"
|
||
|
||
> ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, "આવો આપણે જરૂરથી બેથલેહેમ જઈએ **અને આ જે** **ઘટના** **બની છે તેને જોઈએ,** જેને ઈશ્વરે આપણી સમક્ષ પ્રગટ કરી છે." (લૂક ૨:૧૫ યુ.એલ.ટી.)
|
||
>
|
||
> > ઘેટાંપાળકોએ એકબીજાને કહ્યું કે, "આવો આપણે જરૂરથી બેથલેહેમ જઈએ **જેથી** **આ જે** **ઘટના** **બની છે તેને આપણે જોઈ શકીએ,** જેને ઈશ્વરે આપણી સમક્ષ પ્રગટ કરી છે."
|
||
|
||
(૨) જો વાક્યનો ક્રમ વાંચક માટે, ધ્યેય વાક્યને અસ્પષ્ટ અથવા ગુંચવણભર્યું બનાવે છે તો વાકયનો ક્રમ બદલો.
|
||
|
||
> “… જો તારે **અનંતજીવન પામવું હોય તો,** આજ્ઞાઓ પાળ." (માથ્થી ૧૯:૧૭બ યુ.એલ.ટી.)
|
||
>
|
||
> > “… આજ્ઞાઓ પાળ જો **તારે** **અનંતજીવન પામવું હોય તો."** અથવા: "આજ્ઞાઓ પાળ **કે જેથી તું અનંતજીવનમાં પ્રવેશ પામી શકે."**
|
||
|
||
> પરંતુ દ્રાક્ષવાડીના મજૂરોએ દિકરાને જોયો ત્યારે તેઓએ માહોમાંહ કહ્યું કે, 'આ વારસદાર છે. ચાલો તેને મારી નાખીએ **અ ને** **તેનો વારસો પડાવી લઈએ.'** તેથી તેઓએ તેને પકડી, મારી નાખીને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો. (માથ્થી ૨૧:૩૮-૩૯ યુ.એલ.ટી.)
|
||
|
||
(૧) અને (૨)
|
||
|
||
> પરંતુ દ્રાક્ષવાડીના મજૂરોએ દિકરાને જોયો ત્યારે તેઓએ માહોમાંહ કહ્યું કે, 'આ વારસદાર છે. ચાલો તેને મારી નાખીએ **અ ને** **તેનો વારસો પડાવી લઈએ.'** તેથી તેઓએ તેને પકડી, મારી નાખીને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો. (માથ્થી ૨૧:૩૮-૩૯ યુ.એલ.ટી.)
|
||
|
||
> > પરંતુ દ્રાક્ષવાડીના મજૂરોએ દિકરાને જોયો ત્યારે તેઓએ માહોમાંહ કહ્યું કે, 'આ વારસદાર છે. ચાલો તેને મારી નાખીએ **જેથી** આપણે **તેના વારસા પર કબ્જો જમાવી શકીએ.'** તેથી તેઓએ તેને પકડી, મારી નાખીને દ્રાક્ષાવાડીની બહાર ફેંકી દીધો **જેથી** તેઓ **તેના વારસા પર કબ્જો જમાવી શશકે.**
|