11 KiB
વર્ણન
બાઈબલમાં ઘણા આંકડા આપેલા છે. તેઓને શબ્દોમાં લખી શકાય છે, જેમ કે “પાંચ” જે આંકડાકીય રીતે “૫” છે. કેટલાક આંકડાઓ ઘણા લાંબા છે, જેવા કે “બસ્સો” (૨૦૦), “બાવીસ હજાર” (૨૨,૦૦૦), અથવા “સો મીલીયન” (૧૦૦,૦૦૦,૦૦૦.) કેટલીક ભાષાઓમાં આ આંકડાઓ માટે કોઈ શબ્દો નથી. આંકડાઓનો કેવી રીતે અનુવાદ કરવો અને તેઓને શબ્દોમાં લખવા કે આંકડાકીય રીતે લખવા તે અનુવાદકે નક્કી કરવાનું છે.
કેટલાક આંકડાઓ ચોક્કસ છે અને કેટલાક આશરે લખવામાં આવે છે. જ્યારે હાગારે ઇબ્રામને માટે ઈશ્માએલ જણ્યો ત્યારે >ઇબ્રાહિમછ્યાસીવર્ષનો વૃદ્ધ હતો. (ઉત્પત્તિ ૧૬:૧૬ ULB)
છ્યાસી (૮૬)એ ચોક્કસ આંકડો છે.
તે દિવસે લોકોમાંથી આશરેત્રણ હજારમાણસ મરણ પામ્યા. (નિર્ગમન ૩૨:૨૮ ULB)
અહીં ત્રણ હજાર એ આશરે આંકડો છે. તેનાથી કદાચ વધારે પણ હોઈ શકે અને તેનાથી ઓછો પણ હોય. “આશરે” શબ્દ દર્શાવે છે કે તે ચોક્કસ આંકડો નથી.
કારણ કે આ અનુવાદ માટેનો મુદ્દો છે: કેટલીક ભાષાઓમાં આ આંકડાઓ માટે કોઈ શબ્દો નથી.
અનુવાદ માટેના સિદ્ધાંતો
- ચોક્કસ આંકડાઓનો બની શકે તેટલો ચોક્કસ અને નજીક એવો અનુવાદ કરવો જોઈએ.
- આશરે આંકડાઓનો વધુ સામાન્ય રીતે અનુવાદ કરી શકાય છે.
બાઈબલના ઉદાહરણો
અને યારેદ૧૬૨વર્ષનો થયો ત્યારે, તેને હનોખ થયો. અને હનોખનો જન્મ થયા પછી યારેદઆઠસો વર્ષજીવ્યો. તેને ઘણા દીકરાદીકરીઓ થયા. યારેદ૯૬૨વર્ષ જીવ્યો, અને તે મરી ગયો. (ઉત્પત્તિ ૫:૧૮-૨૦ ULB)
૧૬૨, આઠસો, અને ૯૬૨ એ ચોક્કસ આંકડાઓ છે અને તેઓને શક્ય તેટલા નજીક અને ચોકસાઈથી અનુવાદિત કરવા જોઈએ.
અમારી બહેન, તું કરોડોનીમા થજો (ઉત્પત્તિ ૨૪:૬૦ ULB)
આ આશરે આંકડો છે. તે ચોક્કસપણે જણાવતું નથી કે તેના કેટલા વંશજો થશે, પરંતુ તે ઘણો મોટો આંકડો છે.
અનુવાદની વ્યૂહરચના
૧. અંકનો ઉપયોગ કરીને આંકડાઓ લખો. ૧. તે આંકડાઓ માટે તમારી ભાષાના કે પ્રવેશમાર્ગી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીને આંકડાઓ લખો. ૧. શબ્દોનો ઉપયોગ કરીને આંકડાઓ લખો, અને તેમના પછીના કૌંસમાં સંખ્યાઓ મૂકો. ૧. મોટા આંકડાઓ માટે શબ્દો એકઠા કરો. ૧. ખૂબ મોટા આશરે આંકડાઓ માટે ખૂબ જ સામાન્ય અભિવ્યક્તિનો ઉપયોગ કરો અને પછી કૌંસમાં આંકડા લખો.
અનુવાદની વ્યૂહરચના લાગુ કરેલ ઉદાહરણો
આપણા ઉદાહરણમાં આપણે નીચે મુજબની કલમોનો ઉપયોગ કરીશું:
જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારુ ૧૦૦,૦૦૦તાલંત સોનું તથાદશ લાખતાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે. (૧ કાળવૃતાંત ૨૨:૧૪ ULB)
૧. અંકનો ઉપયોગ કરીને આંકડાઓ લખો.
- જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારુ ૧૦૦,૦૦૦તાલંત સોનું તથા૧,૦૦૦,૦૦૦તાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે.
૧. તે આંકડાઓ માટે તમારી ભાષાના કે પ્રવેશમાર્ગી ભાષાના શબ્દોનો ઉપયોગ કરીને આંકડાઓ લખો.
જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારુ એક લાખતાલંત સોનું તથાએક મીલીયનતાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે.
૧. શબ્દોનો ઉપયોગ કરીને આંકડાઓ લખો, અને તેમના પછીના કૌંસમાં સંખ્યાઓ મૂકો.
જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારુ એક લાખ (૧૦૦,૦૦૦)તાલંત સોનું તથાદશ લાખ (૧,૦૦૦,૦૦૦)તાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે.
૧. મોટા આંકડાઓ માટે શબ્દો એકઠા કરો.
- જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારુ એક લાખતાલંત સોનું તથાએક હજાર હજારતાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે.
૧. ખૂબ મોટા આશરે આંકડાઓ માટે ખૂબ જ સામાન્ય અભિવ્યક્તિનો ઉપયોગ કરો અને પછી કૌંસમાં આંકડા લખો.
જો, સંકટમાં છતાં મેં યહોવાના મંદિરને સારુ ૧૦૦,૦૦૦તાલંત સોનું તથાદશ લાખતાલંત રૂપું તૈયાર રાખ્યું છે; અને પિત્તળ તથા લોઢું પણ અણતોલ છે.
સાતત્ય
તમારા અનુવાદમાં સાતત્ય જાળવો. આંકડાઓ કે અંકનો ઉપયોગ કરીને આંકડાઓનો કેવી રીતે અનુવાદ કરવો તે નક્કી કરો. સાતત્ય જાળવવા માટેના ઘણા અલગ અલગ માર્ગો છે.
- દરેક વખતે આંકડાઓને રજૂ કરવા માટે શબ્દોનો ઉપયોગ કરો. (તમારી પાસે કદાચ લાંબા શબ્દો હોઈ શકે.)
- દરેક વખતે આંકડાઓને રજૂ કરવા માટે શબ્દોનો ઉપયોગ કરો.
- સંખ્યાઓને રજૂ કરવા માટે તમારી ભાષામાં જે શબ્દો હોય તેના માટે શબ્દોનો તેમજ જે અંકો માટે શબ્દો ન હોય તેને માટે અંકોનો ઉપયોગ કરો.
- નાના આંકડા માટે શબ્દો અને મોટા આંકડા માટે અંકનો ઉપયોગ કરો.
- આંકડાઓ માટે શબ્દોનો ઉપયોગ કરો કે જેને ઓછા શબ્દોની જરૂર છે અને સંખ્યાઓ માટે અંકનો ઉપયોગ કરો જેને હજુ થોડા ઓછા શબ્દોની જરૂર છે.
- આંકડાઓને રજૂ કરવા માટે શબ્દોનો ઉપયોગ કરો, અને તે પછી કૌંસમાં અંક લખો.
ULB અને UDBમાં સાતત્ય
- અનલોકડ લીટરલ બાઈબલ*(ULB) અને અનલોકડ ડાયનેમિક બાઈબલ( UDB)માં આંકડાઓ માટે શબ્દોનો ઉપયોગ કરો એક જે માત્ર એક કે બે શબ્દોમાં હોય(નવ,સોળ,ત્રણસો). તેઓ આંકડાઓ માટે અંકનો ઉપયોગ કરે છે જેમાં બેથી વધારે શબ્દો હોય (“૧૩૦”ની જગ્યા એ “એકસો ત્રીસ”).
જ્યારે આદમ૧૩૦વર્ષનો થયો ત્યારે, તેને પોતાની પ્રતિમા તથા સ્વરૂપ પ્રમાણે દીકરો થયો, અને તેણે તેનું નામ શેથ પાડ્યું. અને શેથનો જન્મ થયા પછી, આદમના દિવસ આઠસો વર્ષ હતા. અને તેને દીકરાદીકરીઓ થયા. અને આદમના સર્વ દહાડા ૯૩૦વર્ષ હતા, અને તે મરી ગયો. (ઉત્પત્તિ ૫:૩-૫ ULB)