4.9 KiB
વર્ણન
અભિવ્યક્ત અલંકાર (સીનેકડોકે) ત્યારે છે જ્યારે કોઈ વક્તા કોઈ ભાગનો સંદર્ભ આપવા માટે તેમાંના કોઈ એક ભાગનો અથવા સંપૂર્ણ વાતનો ઉલ્લેખ કરે છે.
મારો આત્મા પ્રભુને મોટા માને છે. (લુક ૧:૪૬બ યુ.એલ.ટી.)
પ્રભુ જે કરી રહ્યા છે તે વિષે મરિયમ ખૂબ જ ખુશ હતી, તેથી તેણે કહ્યું “મારો આત્મા,” તેનો અર્થ આંતરિક, તેની અંદરનો લાગણીશીલ ભાગ, જે તેના સંપૂર્ણ વ્યક્તિત્વનો ઉલ્લેખ કરે છે.
તેથી ફરોશીઓએ તેમને કહ્યું, “જુઓ, જે ઉચિત નથી તે તેઓ કેમ કરે છે…?” (માર્ક ૨:૨૪અ યુ.એલ.ટી.)
જે ફરોશીઓ ત્યાં ઊભા હતા તેઓ સર્વએ એક જ સમયે એક સમાન શબ્દો કહ્યા નહોતા. તેને બદલે, એક વ્યક્તિ કે જે તે જૂથનું પ્રતિનિધિત્વ કરે છે તેણે તે શબ્દો કહ્યાં.
આ અનુવાદની સમસ્યા છે તેના કારણો
- કેટલાક વાચકો તેને અભિવ્યક્ત અલંકાર તરીકે સમજશે નહીં અને તેનો અર્થ શાબ્દિક રીતે કરી, તે વિષે ગેરસમજ કરશે.
- કેટલાક વાચકોને ખ્યાલ આવે છે કે તે શબ્દોને, તેઓએ શબ્દશઃ સમજવાના નથી પરંતુ તેનો અર્થ શું છે તે તેઓ કદાચ જાણતા હોય નહીં.
બાઈબલમાંથી ઉદાહરણ
જે સર્વ કાર્યો મારા હાથોએ કર્યા હતાં તે પર મેં નજર કરી (સભાશિક્ષક ૨:૧૧અ યુ.એલ.ટી.)
“મારા હાથો” તે સમગ્ર વ્યક્તિ માટેનું અભિવ્યક્ત અલંકાર (સીનેકડોકે) છે, કારણ કે સ્પષ્ટ રીતે હાથો અને બાકીનું આખું શરીર અને મન પણ વ્યક્તિની સફળતાઓમાં સામેલ હતાં. વ્યક્તિના પ્રતિનિધિ તરીકે હાથોની પસંદગી કરવામાં આવી કેમ કે આ કાર્યમાં સામેલ શરીરના ભાગોમાં હાથો જ ખૂબ પ્રત્યક્ષ રીતે સામેલ હતા.
અનુવાદની વ્યૂહરચનાઓ
જો અભિવ્યક્ત અલંકાર (સીનેકડોકે) કુદરતી છે અને તે તમારી ભાષામાં યોગ્ય અર્થ આપે છે, તો તેનો ઉપયોગ કરવો ધ્યાનમાં લો. જો નહિ, તો અહીં અન્ય વિકલ્પ છે:
૧. અભિવ્યક્ત અલંકાર (સીનેકડોકે) જેનો ઉલ્લેખ કરે છે તેને ખાસ કરીને લખો.
અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ
૧. અભિવ્યક્ત અલંકાર (સીનેકડોકે) જેનો ઉલ્લેખ કરે છે તેને ખાસ કરીને લખો.
- ”મારો આત્મા પ્રભુને મોટા માને છે. (લુક ૧:૪૬બ યુ.એલ.ટી.)
- ”હું પ્રભુને મોટા માનું છું.
- તેથી ફરોશીઓએ તેમને કહ્યું (માર્ક ૨:૨૪અ યુ.એલ.ટી.)
- ફરોશીઓના એક પ્રતિનિધિએ તેમને કહ્યું…
- જે સર્વ કાર્યો મારા હાથોએ કર્યા હતાં તે પર મેં નજર કરી… (સભાશિક્ષક ૨:૧૧અ યુ.એલ.ટી.) જે સર્વ કાર્યો મેં કર્યા હતાં તે પર મેં નજર કરી