gu_ta/translate/figs-hendiadys/01.md

10 KiB

વર્ણન

જ્યારે વક્તા બે શબ્દોનો ઉપયોગ કરીને એક વિચારને વ્યક્ત કરે છે જે “અને” થી જોડાયેલા હોય છે, તેને “સંયોજકો/હેન્ડીડેઝ” કહેવામાં આવે છે. સંયોજકો/હેન્ડીડેઝમાં, બે શબ્દો સાથે કાર્ય કરે છે. સામાન્ય રીતે એક શબ્દ પ્રાથમિક વિચાર છે અને બીજો શબ્દ પ્રાથમિક વિચારને વર્ણવે છે.

… તેમનું પોતાનું રાજ્ય અને મહિમા. (૧ થેસ્સાલોનિકી ૨:૧૨ યુ.એલ.ટી.)

જો કે “રાજ્ય” અને “મહિમા” બંને નામ છે, “મહિમા” ખરેખર બતાવે છે કે રાજ્ય કયા પ્રકારનુ છે: તે મહિમાનું રાજ્ય છે અથવા મહિમાવંત રાજ્ય છે.

બે શબ્દસમૂહો "અને" દ્વારા જોડાયેલ હોય તે જયારે એક વ્યક્તિ, વસ્તુ અથવા ઘટનાનો ઉલ્લેખ કરે ત્યારે તે પણ સયોજકો/હેન્ડીડેઝ હોય શકે છે.

તિતસ ૨:૧૩ બે સયોજકો/હેન્ડીડેઝ ધરાવે છે. "મહિમાવંત આશા" અને "મહિમાવંત રીતે પ્રગટ થવું" એક જ બાબતનો ઉલ્લેખ છે અને વિચારને મજબૂત કરે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરાગમન એ ખૂબ અને અદભૂત રીતે અપેક્ષિત છે. વધુમાં, "આપણા મહાન પ્રભુ" અને "ઉધ્ધારકર્તા પ્રભુ ઈસુ" બે નહીં પરંતુ એક જ વ્યક્તિની વાત કરે છે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

  • વારંવાર હેન્ડીડેઝ અમૂર્ત/ગૂઢ નામનો સમાવેશ કરે છે. કેટલીક ભાષાઓમાં સમાન અર્થ સાથે નામ ના હોઈ શકે.
  • ઘણી ભાષાઓ હેન્ડીડેઝનો ઉપયોગ નથી કરતી, તેથી લોકો તે સમજી નથી શકતા કે બે શબ્દો કેવી રીતે સાથે કામ કરે છે; બીજો શબ્દ કેવી રીતે વધુમાં પ્રથમ શબ્દનુ વર્ણન કરે છે.
  • ઘણી ભાષાઓ હેન્ડીડેઝનો ઉપયોગ નથી કરતી, તેથી લોકો તે સમજી નથી શકતા કે બે નહીં પરંતુ એક જ વ્યક્તિ અથવા વસ્તુનો અર્થ રહેલ છે.

બાઈબલમાંથી ઉદાહરણો

… માટે હું તમને આપીશ શબ્દો અને ડહાપણ… (લુક ૨૧:૧૫ યુ.એલ.ટી.)

“શબ્દો” અને “ડહાપણ” બંને નામ છે, પરંતુ આ વાક્ય રચનામાં “ડહાપણ” તે “શબ્દો”નુ વર્ણન કરે છે.

…જો તમે તૈયાર અને આજ્ઞાકારી છો… (યશાયા ૧:૧૯ યુ.એલ.ટી.)

“તૈયાર” અને “આજ્ઞાકારી” બંને વિશેષણો છે, પરંતુ “તૈયારી” “આજ્ઞાપાલન” વર્ણવે છે.

અનુવાદની વ્યૂહરચનાઓ

જો હેન્ડીડેઝ તે કુદરતી છે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ કરે છે તો, તેનો ઉપયોગ કરવો ધ્યાનમાં લેજો. જો નહિ, અહિયાં અન્ય વિકલ્પો છે:

(૧) વર્ણન કરનાર નામને એ વિશેષણ સાથે બદલી નાખો જેનો અર્થ સમાન જ થાય છે.

(૨) વર્ણન કરનાર નામને એ શબ્દસમૂહ સાથે બદલી નાખો જેનો અર્થ સમાન જ થાય છે.

(૩) વર્ણન કરનાર વિશેષણને એ ક્રિયાવિશેષણ સાથે બદલી નાખો જેનો અર્થ સમાન જ થાય છે.

(૪) જેનો અર્થ સમાન થાય છે તે વાક્યના ભાગને બદલી નાંખો અને એક શબ્દ કે શબ્દસમૂહ દર્શાવો જે બીજા શબ્દનુ વર્ણન કરે છે.

(૫) એક જ બાબતનો ઉલ્લેખ છે તેવું જો અસ્પષ્ટ હોય તો શબ્દસમૂહને બદલી નાંખો જેથી સ્પસ્ટતા થઇ જાય.

અનુવાદની વ્યૂહરચનાઓના ઉદાહરણોનું લાગુકરણ

(૧) વર્ણન કરનાર નામને એ વિશેષણ સાથે બદલી નાખો જેનો અર્થ સમાન જ થાય છે.

  • કેમ કે હું તમને આપીશ શબ્દો અને ડહાપણ (લુક ૨૧:૧૫ યુ.એલ.ટી.)
  • કેમ કે હું તમને આપીશ સમજણપૂર્વકના શબ્દો
  • કે તમે ઈશ્વરના તેડાને યોગ્ય થઈને ચાલો, જેમણે તમને તેડ્યા છે તેમના પોતાના રાજ્ય અને મહિમા પ્રમાણે. (૧ થેસ્સાલોનિકી ૨:૧૨ યુ.એલ.ટી.)

કે તમે ઈશ્વરના તેડાને યોગ્ય થઈને ચાલો, જેમણે તમને તેડ્યા છે તેમના પોતાના મહિમાવંત રાજ્ય પ્રમાણે.

(૨) વર્ણન કરનાર વિશેષણને એ શબ્દસમૂહ સાથે બદલી નાખો જેનો અર્થ સમાન જ થાય છે.

  • કેમ કે હું તમને આપીશ શબ્દો અને ડહાપણ (લુક ૨૧:૧૫ યુ.એલ.ટી.)
  • કેમ કે હું તમને આપીશ ડહાપણના શબ્દો.
  • કે તમે ઈશ્વરના તેડાને યોગ્ય થઈને ચાલો, જેમણે તમને તેડ્યા છે તેમના પોતાના રાજ્ય અને મહિમા પ્રમાણે. (૧ થેસ્સાલોનિકી ૨:૧૨ યુ.એલ.ટી.)
  • કે તમે ઈશ્વરના તેડાને યોગ્ય થઈને ચાલો, જેમણે તમને તેડ્યા છે તેમના પોતાના મહિમાના રાજ્ય પ્રમાણે.

(૩) વર્ણન કરનાર વિશેષણને એ ક્રિયાવિશેષણ સાથે બદલી નાખો જેનો અર્થ સમાન જ થાય છે.

  • જો તમે તૈયાર અને આજ્ઞાકારી છો (યશાયા ૧:૧૯અ યુ.એલ.ટી.)
  • જો તમે સ્વેચ્છાથી આજ્ઞાકારી છો

(૪) જેનો અર્થ સમાન થાય છે તે વાક્યના ભાગને બદલી નાંખો અને એક શબ્દ કે શબ્દસમૂહ દર્શાવો જે બીજા શબ્દનુ વર્ણન કરે છે.

વિશેષણ "આધિનતા" ક્રિયાપદ "આધીન થવું" સાથે બદલી શકાય.

  • જો તમે સ્વેચ્છાથી આધીન થાઓ

(૪) અને (૫) જો તે અસ્પષ્ટ હોય કે ફક્ત એક જ અર્થ રહેલો છે તો શબ્દસમૂહને બદલી નાખો જેથી સ્પસ્ટતા થઈ શકે.

"અમારા મહાન પ્રભુ અને ઉધ્ધારકર્તા પ્રભુ ઈસુ" ની "આશીર્વાદિત આશા અને મહિમામાં પ્રગટ થવા"ને માટે અમે રાહ જોઈએ છે. (તિતસ ૨:૧૩બ યુ.એલ.ટી)

"મહિમામાં" નામને વિશેષણ "મહિમાવંત" થી બદલી શકીએ છીએ જેથી એ સ્પસ્ટ થાય કે આપણે જે આશા રાખીએ છે તે ઈસુના પ્રગટ થવા વિષે છે. તદઉપરાંત "ઈસુ ખ્રિસ્ત" શબ્દસમૂહની આગળ ખસેડી શકાય અને "મહાન ઈશ્વર અને ઉધ્ધારકર્તા"ને સબંધિત કલમમાં મૂકી શકાય જે વર્ણન કરે, એક વ્યક્તિનું, ઈસુ ખ્રિસ્ત.

અમે આશા રાખીએ છે એ પ્રાપ્ત કરવાની "જેની અમે ઝંખના ધરાવીએ છીએ, આશીર્વાદિત અને મહિમાવંત પ્રગટ થવાની" "ઈસુ ખ્રિસ્ત, જે અમારા મહાન પ્રભુ અને ઉધ્ધારકર્તા છે.