gu_ta/translate/figs-ellipsis/01.md

13 KiB

વર્ણન

અનુક્ત શબ્દ (વાક્યમાં કરેલો શબ્દનો લોપ) ત્યારે થાય છે જયારે વક્તા અથવા લેખક વાક્યમાંના એક અથવા વધુ શબ્દો છોડી દે છે, જે સામાન્ય રીતે વાક્યમાં હોવા જોઈએ. વક્તા કે લેખક આ પ્રમાણે કરે છે કારણ કે તે જાણે છે કે સાંભળનાર અથવા વાચક વાક્યના અર્થને સમજશે અને જ્યારે ત્યાં રહેલા શબ્દોને તે સાંભળે છે અને વાંચે છે ત્યારે તે તેના મનમાં તે શબ્દોને ઉમેરી દેશે. ઉદાહરણ તરીકે:

… ન્યાયાસન આગળ દુષ્ટો ઊભા રહી શકશે નહિ, તથા ન્યાયીઓની સભામાં પાપીઓ નહિ. (ગીતશાસ્ત્ર ૧:૫ યુ.એલ.ટી.)

વાક્યના બીજા ભાગમાં આ અનુક્ત છે કારણ કે “ન્યાયીઓની સભામાં પાપીઓ નહિ” તે પૂરું વાક્ય નથી. વક્તા ધારે છે કે અગાઉની કલમની ક્રિયા પરથી જગ્યા ભરીને સાંભળનાર સમજી જશે કે ન્યાયીઓની સભામાં પાપીઓ શું નહિ કરે. તેમાં ક્રિયાનો ઉમેરો કરવા દ્વારા, પૂર્ણ વાક્ય આ રીતે વાંચી શકાશે.

ન્યાયાસન આગળ દુષ્ટો ઊભા રહી શકશે નહિ, તથા ન્યાયીઓની સભામાં પાપીઓ પણ ઊભા રહી શકશે નહિ.

[૧] અંગ્રેજીમાં વિરામચિહ્ન પ્રતીક છે જેને અનુક્ત શબ્દો પણ કહેવાય છે. તે ત્રણ બિંદુઓ (…) ની શ્રેણી છે જેનો ઉપયોગ ઈરાદાપૂર્વક એક શબ્દને, શબ્દસમૂહને, વાક્યને અથવા લખાણમાંથી અમુક લખાણને તેના મૂળભૂત અર્થને બદલ્યા વગર, કાઢી નાંખવાનું સૂચવે છે. આ ટ્રાન્સલેશન અકાદમી લેખ વિરામ ચિહ્નો વિષે નથી, પરંતુ વાક્યમાં જે હોવા જોઈએ તે શબ્દોની નાબૂદી વિષેનો છે.

બે પ્રકારના અનુક્ત શબ્દો

(૧) સબંધીય અનુક્ત શબ્દ ત્યારે થાય છે જ્યારે વાચકે નાબૂદ કરેલા શબ્દને અથવા સંદર્ભમાં શબ્દોને, ઉમેરવાના હોય છે. ઉપરના ઉદાહરણ મુજબ સામાન્ય રીતે શબ્દ અગાઉના વાક્યમાં હોય છે.

(૨) સમ્પૂર્ણ અનુક્ત શબ્દ ત્યારે થાય છે જ્યારે નાબૂદ કરેલ શબ્દ અથવા શબ્દો સંદર્ભમાં હોતા નથી, પરંતુ ભાષામાં શબ્દસમૂહો સર્વસામાન્ય રીતે પૂરતા હોય છે જેથી વાચક પાસે અપેક્ષા હોય છે કે સામાન્ય ઉપયોગમાંથી અથવા પરિસ્થીતીની પ્રકૃતિમાંથી જે ખૂટતું છે તેને વાચક ઉમેરે.

આ અનુવાદની સમસ્યા છે તેના કારણો

વાચકો જેઓ અપૂર્ણ વાક્યો અથવા શબ્દસમૂહો જોતા હોય તે કદાચ જાણતા નથી કે ત્યાં માહિતી ખૂટે છે જે તેઓ ઉમેરે તેવું લેખક ઈચ્છે છે. અથવા વાચકો કદાચ સમજે કે ત્યાં માહિતી ખૂટે છે, પરંતુ તેઓ કદાચ સમજે નહિ કે ત્યાં કઈ માહિતી ખૂટે છે કારણ કે મૂળભૂત બાઈબલ ભાષા, સંસ્કૃતિ અથવા સ્થિતિ જે તે સમયના વાચકો સમજતા હતા તે તેઓ સમજતા નથી. આ સ્થિતિમાં તેઓ  કદાચ ખોટી માહિતી ઉમેરે. અથવા વાચકો અનુક્ત શબ્દો વિષે ગેરસમજ કરે કેમ કે તેઓ તેમની ભાષામાં તે જ પ્રમાણે અનુક્ત શબ્દોનો ઉપયોગ કરતાં નથી.

બાઇબલમાંના ઉદાહરણો                                                                                                                                                                                                  સંબધિત અનુક્ત શબ્દો

તે લબાનોનને વાછરડાની જેમ અને સીર્યોનને જુવાન બળદની જેમ કુદાવે છે. (ગીતશાસ્ત્ર ૨૯:૬ યુ.એલ.ટી.)                                                                                                                                                                                                                                                              લેખક ચાહે છે કે તેના શબ્દો ઓછા હોય અને તેની કવિતા સારી બને. તે એમ નથી કહેતો કે યહોવાહ સીર્યોનને જુવાન બળદની જેમ કુદાવે છે કારણ કે તે જાણે છે કે તેના વાચકો તેઓની જાતે તેમાં માહિતી ભરી દેશે:

તે લબાનોનને વાછરડાની જેમ અને તે સીર્યોનને જુવાન બળદની જેમ કુદાવે છે.

તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે સાવધ રહો-નીર્બુદ્ધની જેમ નહિ પરતું ડાહ્યની જેમ. (એફેસી ૫:૧૫ બી યુ.એલ.ટી.)

આ વાક્યોના બીજા ભાગમાં જે માહિતી વાચકે સમજવાની છે તે વાક્યના પ્રથમ ભાગમાંથી ઉમેરી શકાય.

તેથી તમે કેવી રીતે જીવો છો તે વિષે સાવધ રહો-નીર્બુદ્ધની જેમ ચાલો નહિ પરતું ડાહ્યની જેમ ચાલો.

સમ્પૂર્ણ અનુક્ત શબ્દો

અને જ્યારે તે નજીક આવ્યો ત્યારે તેણે તેને પૂછ્યું, "તું શું ચાહે છે, તારા માટે હું શું કરું?" અને તેથી તેણે કહ્યું, "પ્રભુ, હું મારી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકું." (લૂક ૧૮:૪૦ યુ.એલ.ટી.)

એમ લાગે છે કે તે માણસે અપૂર્ણ વાક્યમાં જવાબ આપ્યો કારણ કે તે નમ્ર બનવા ઈચ્છતો હતો અને ઈસુને સીધું જ સાજપણાનું કહેતો નથી. તે જાણતો હતો કે ઈસુ સમજી જશે કે તેને દ્રષ્ટિ પ્રાપ્ત કરવાનો એક માત્ર માર્ગ એ જ છે કે જ્યારે ઈસુ તેને સાજો કરે. સમ્પૂર્ણ વાક્ય હશે: કરી શકશે જ્યારે ઈસુ તેને સાજો કરશે.

"પ્રભુ, હું ઈચ્છું છું કે તું મને સાજો કરે જેથી હું મારી દ્રષ્ટિ મેળવી શકું."

તિતસ, સામાન્ય વિશ્વાસમાં મારા ખરા દીકરાને, ઈશ્વર પિતા અને ખ્રિસ્ત ઈસુ આપના ઉદ્ધારક તરફથી કૃપા અને શાંતિ હો. (તિતસ ૧:૪ યુ.એલ.ટી.)

સામાન્ય વિશ્વાસમાં મારા ખરા દીકરા તિતસને. તું કૃપા તથા શાંતિ પામે, ઈશ્વર પિતા અને ખ્રિસ્ત ઈસુ આપના ઉદ્ધારક તરફથી.

અનુવાદ વ્યૂહરચનાઓ

જો અનુક્ત કુદરતી છે અને તમારી ભાષામાં યોગ્ય અર્થ કરે છે તો, તેનો ઉપયોગ કરવાનું ધ્યાનમાં લો. જો નહિ તો, અહીં અન્ય વિકલ્પ છે:

૧. અપૂર્ણ શબ્દસમૂહ અથવા વાક્યમાં ખૂટતા શબ્દો ઉમેરો.

અનુવાદની વ્યૂહરચનાઓના લાગુકરણના ઉદાહરણો

૧. અપૂર્ણ શબ્દસમૂહ અથવા વાક્યમાં ખૂટતા શબ્દો ઉમેરો.

  • …ન્યાયાસન આગળ દુષ્ટો ઊભા રહી શકશે નહિ, નહિ ન્યાયીઓની સભામાં પાપીઓ. (ગીતશાસ્ત્ર ૧:૫ યુ.એલ.ટી.)                                                                                                      *… ન્યાયાસન આગળ દુષ્ટો ઊભા રહી શકશે નહિ, તથા ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ.
  • …જ્યારે અંધ વ્યક્તિ નજીક હતો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું, “તું શું ચાહે છે હું તારે માટે શું કરું?” તેણે કહ્યું, “પ્રભુ, હું મારી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકુ.” (લુક ૧૮:૪૦-૪૧ યુ.એલ.ટી.)
    • …જ્યારે અંધ વ્યક્તિ નજીક હતો ત્યારે, ઈસુએ તેને પૂછ્યું, “તું શું ચાહે છે હું તારે માટે શું કરું?” તેણે કહ્યું, “પ્રભુ, હું ચાહું છું તમે મને સાજો કરો જેથી હું મારી દ્રષ્ટિ પ્રાપ્ત કરી શકુ.”
  • તે લબાનોનને વાછરડાની જેમ અને સીર્યોનને જુવાન બળદની જેમ કુદાવે છે. (ગીતશાસ્ત્ર ૨૯:૬ યુ.એલ.ટી.)
    • તે લબાનોનને વાછરડાની જેમ કુદાવે છે અને તે સીર્યોનને જુવાન બળદની જેમ કુદાવે છે.