gu_ta/translate/bita-part3/01.md

32 KiB

વર્ણન

સાંસ્કૃતિક ઉદાહરણો માનસિક છબીઓના જીવનના ભાગો અથવા વર્તન છે. આ છબીઓ આપણને કલ્પના કરવામાં અને આ વિષયો પર વાત કરવામાં મદદ કરે છે. ઉદાહરણ તરીકે, અમેરિકનો ઘણી બાબતો વિષે વિચારે છે, લગ્ન અને મિત્રતા વિષે પણ, જેમ જે તેઓ યંત્ર હોય. અમેરિકનો એમ કહી શકે કે, “તેનું લગ્ન તૂટી રહ્યું છે” અથવા “તેઓની મિત્રતા ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે.” આ ઉદાહરણમાં, માનવ સંબધોને યંત્ર તરીકે રજૂ કરવામાં આવે છે.

કેટલાક સાંસ્કૃતિક ઉદાહરણો, અથવા માનસિક ચિત્રો, જે બાઈબલમાં જોવા મળે છે તેની યાદી નીચે મુજબ છે. પ્રથમ ત્યાં ઈશ્વર માટેના ઉદાહરણો છે, પછી માનવોના, વસ્તુઓના અને અનુભવોના. દરેક શીર્ષકના ઉદાહરણ જે મોટા અક્ષરોમાં લખેલ છે. તે શબ્દ અથવા વાક્ય દરેક કલમમાં જરૂરી નથી કે દ્રશ્યમાં હોય, પરંતુ તે વિચાર પ્રદર્શિત કરે છે.

ઈશ્વરને માનવજાત તરીકે રજૂ કરવામાં આવે છે

જો કે બાઈબલ સ્પષ્ટરીતે નકારે છે કે ઈશ્વર તે માનવજાત જેવા છે, તે ઘણીવાર મનુષ્યોની જેમ વસ્તુઓ કરવાની વાત કહે છે. પરંતુ ઈશ્વર મનુષ્ય નથી, તેથી જ્યારે બાઈબલ કહે છે કે ઈશ્વર કહે છે, આપણે એવું ના વિચારવું જોઈએ કે તેમની પાસે ધ્વની તરંગો વાળો કંઠ છે. અને જ્યારે તે કંઈક કહે છે તેમણે કંઈક પોતાના હાથેથી કરવા વિષે, આપણે એવું ના વિચારવું જોઈએ કે તેમને શારીરિક હાથ છે.

જો આપણે યહોવાહ આપણા ઈશ્વરનો અવાજ લાંબા સમય સુધી સાંભળીએ, તો આપણે મરણ પામીશું. (પુનર્નીયમ ૫:૨૫ ULB)

</બંધઅવતરણ> મારા ઈશ્વર યહોવાહના હાથે મને બળવાન કર્યો હતો (એઝરા ૭:૨૮ ULB) </બંધઅવતરણ>

યહોવાહના વચન દ્વારા તેમની આજ્ઞા પ્રમાણે કરવાને, રાજા અને આગેવાનોને એક હૃદય આપવાને ઈશ્વરનો હાથ યહૂદિયા પર આવ્યો. (૨ કાળવૃતાંત ૩૦:૧૨ ULB)

“હાથ” શબ્દ અહીં એક ઉપનામ છે જેનો ઉલ્લેખ ઈશ્વરના સામર્થ્ય તરીકે થાય છે. (જુઓ: ઉપનામ)

ઈશ્વરને રાજા તરીકે રજૂ કરવામાં આવે છે

કેમ કે ઈશ્વર તે આખી પૃથ્વી ઉપર રાજા છે; (ગીતશાસ્ત્ર ૪૭:૭ ULB)

કેમ કે રાજ્ય તો યહોવાહનું છે; તે દેશો પર રાજ કરનાર છે. (ગીતશાસ્ત્ર ૨૨:૨૮ ULB)

હે ઈશ્વર, તમારું રાજ્યાસન સદાકાળનું છે; તમારો ન્યાયનો રાજદંડ તે તમારા રાજ્યનોરાજદંડ છે. (ગીતશાસ્ત્ર ૪૫:૬ ULB)

આ યહોવાહ કહે છે, “આકાશ મારું રાજ્યાસન, અને પુથ્વી મારું પાયાસન છે. (યશાયા ૬૬:૧ ULB)

ઈશ્વર દેશો પર રાજ કરે છે; ઈશ્વર તેમના પવિત્ર રાજ્યાસન પર બિરાજે છે. લોકોના રાજકુમારો એકઠા થયા છે ઈબ્રાહીમના ઈશ્વરની સમક્ષ; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે ઘણાં મોટા મનાયેલા છે. (ગીતશાસ્ત્ર ૪૭:૮-૯ ULB)

ઈશ્વરને ઘેટાપાળક તરીકે અને તેમના લોકોને ઘેટાં તરીકે રજૂ કરવામાં આવે છે

યહોવાહ મારા પાળક છે, મને કશી ખોટ પડશે નહિ. (ગીતશાસ્ત્ર ૨૩:૧ ULB)

તેમના લોકો ઘેટાં છે.

કેમ કે તે આપણા ઈશ્વર છે, અને આપણે તેમના તેમના ચારાના લોક અને તેમના હાથના ઘેટાં છીએ. (ગીતશાસ્ત્ર ૯૫:૭ ULB)

તે પોતાના લોકોને ઘેટાંની જેમ દોરે છે.

તે પોતાના લોકોને બહાર ઘેટાંની જેમ અને અરણ્યની બહાર તેઓને ટોળાનીજેમ દોરવણી આપી. (ગીતશાસ્ત્ર ૭૮:૫૨ ULB)

તે પોતાના ઘેટાંને બચાવવા માટે મૃત્યુ પામવા પણ તૈયાર છે.

હું ઉત્તમ ઘેટાંપાળક છું, અને મારાને હું ઓળખું છે, અને મારા મને ઓળખે છે. પિતા મને ઓળખે છે, અને હું પિતાને ઓળખું છે, અને મારા ઘેટાંને સારું હું મારો જીવ આપું છું. મારા બીજા ઘેટાં પણ છે જેઓ આ વાડામાં નથી. તેઓને, પણ મારે લાવવા છે, અને તેઓ મારો સાદ સાંભળશે અને તેથી ત્યાં એક જ ટોળું અને એક જ ઘેટાંપાળક થશે. (યોહાન ૧૦:૧૪-૧૫ ULB)

ઈશ્વરને યોધ્ધા તરીકે રજૂ કરવામાં આવ્યા છે.

યહોવાહ એક યોધ્ધા છે; (નિર્ગમન ૧૫:૩ ULB)

યહોવાહ યોધ્ધાની જેમ બહાર આવશે; તે વીરની જેમ આગળ વધશે. તે તેમના ઉત્સાહને જગાડશે. તે મોટેથી પોકારશે, હા, તે યુદ્ધનો પોકાર કરશે; તે તેમના શત્રુઓને તેમનું સામર્થ્ય બતાવશે. (યશાયા ૪૨:૧૩ ULB)

હે યહોવાહ, તમારા જમણા હાથમાં સામર્થ્યના મહિમાછે; હે યહોવાહ, તમારા જમણા હાથે શત્રુઓને વિખેરી નાંખ્યા છે. (નિર્ગમન ૧૫:૬ ULB)

પરંતુ ઈશ્વર તેઓને મારશે; અચાનક તેઓ તેમના બાણોથી ઘવાઈ જશે. (ગીતશાસ્ત્ર ૬૫:૭ ULB)

</બંધઅવતરણ>કેમ કે તમે તેઓને પાછા ફેરવશો; તમે તમારી પણછતેઓની પહેલા ખેંચશો. (ગીતશાસ્ત્ર ૨૧:૧૨ ULB) </બંધઅવતરણ>

આગેવાનને ઘેટાપાળક તરીકે અને જેને તે દોરે છે તેઓને ઘેટાં તરીકે રજૂ કરવામાં આવ્યા છે

ત્યારે ઇઝરાયલના દરેક કુળો હેબ્રોનમાં દાઉદની પાસે આવ્યા અને કહ્યું, “જુઓ....જ્યારે શાઉલ અમારા ઉપર રાજા હતો, ત્યારે તે જ ઇઝરાયલ સેનાનને દોર્યું હતું. યહોવાહે તને કહ્યું, ‘તું મારા ઇઝરાયલના લોકોનો ઘેટાંપાળક બનીશ, અને તું ઇઝરાયલ પર રાજ કરશે. (2 સેમ્યુઅલ 5:1-2 ULB)

</બંધઅવતરણ> “ઘેટાંપાળકને અફસોસ, જેઓએ મારા ચારાનાઘેટાંનોનાશ કર્યો અને તેઓને વિખેરી નાખ્યા - એમ યહોવાહ કહે છે.” (યર્મિયા ૨૩:૧ ULB) </બંધઅવતરણ>

તેથી પોતાના વિષે કાળજી રાખો, અને સર્વ ટોળા વિષે, કે જેના ઉપર પવિત્ર આત્માએ તમને આગેવાન ઠેરવ્યા છે. પાળકો વિષે એટલે પ્રભુની સભા વિષે સાવધ રહો, કે જે તેને તેના રક્તથી ખરીદ્યું છે. હું જાણું છું કે મારા ગયા પછી, ક્રૂર વરુઓ તમારી મધ્યે દાખલ થશે, અને ટોળાને છોળશે નહિ. હું તે પણ જાણું છું કે તમારા પોતાનામાંથી એવા લોકો આવશે, જે શિષ્યોને તેઓની પાછળ લઈ જવા માટે ભ્રષ્ટ વાતો કહેશે. (પ્રેરીતોના કૃત્યો ૨૦:૨૮-૩૦ ULB)

આંખને દીવા તરીકે રજૂ કરવામાં આવી છે

આ પદ્ધતિ અને દુષ્ટ આંખની પદ્ધતિની વિવિધતા દુનિયાના ઘણાં ભાગમાં જોવા મળે છે. બાઈબલમાં રજૂ કરેલ મોટાભાગની સંસ્કૃતિઓમાં, આ પદ્ધતિઓ નીચેના સાધનોનો સમાવેશ થાય છે.

લોકો વસ્તુઓ જુએ, એટલે નઈ કે વસ્તુની આસપાસ પ્રકાશ છે, પરંતુ પ્રકાશને કારણે તે વસ્તુ તેઓની આંખમાં ચમકે છે.

તારા શરીરનો દીવો આંખ છે. તેથી, જો તારી આંખ સારી છે, તો આખું શરીર પ્રકાશથી ભરેલું હશે. (માથ્થી ૬:૨૨ ULB)

આ આંખોમાંથી ચમકેલો પ્રકાશ પોતે દર્શકોના વ્યક્તિત્વ સાથે વસે છે.

દુષ્ટોની ભૂખ ભૂંડી ઈચ્છા રાખે છે; તેના પડોશી તેની આંખમાં કોઈ કૃપા જોતા નથી. (નીતિવચન ૨૧:૧૦ ULB)

ઈર્ષા અને શ્રાપને કોઈની સામે દુષ્ટ આંખથી જોવાની પદ્ધતિ સાથે જોવામાં આવે છે, અને કૃપાને કોઈની સામે સારી આંખથી જોવાની પદ્ધતિ સાથે જોવામાં આવે છે.

દુષ્ટ આંખ વ્યક્તિની પ્રાથમિક લાગણી તે ઈર્ષા છે. “ઈર્ષા” જેવો ગ્રીક શબ્દ જે માર્ક ૭ માં છે તેનો અનુવાદ “આંખ” તરીકે કર્યો છે, જેનો ઉલ્લેખ અહીંયા દુષ્ટ આંખ તરીકે થયો છે.

તેમણે કહ્યું, “જે માણસમાંથી બહાર આવે છે તે માણસને અશુદ્ધ કરે છે. માટે માણસમાંથી, હૃદયમાંથી, દુષ્ટ વિચારો નીકળે છે..., ઈર્ષા.... (માર્ક ૭:૨૦-૨૨ ULB)

માથ્થી ૨૦:૧૫ની સામગ્રીમાં ઈર્ષાની લાગણીનો સમાવેશ થાય છે. “શું તારી આંખ દુષ્ટ છે?” મતલબ કે “શું તું ઈર્ષાળુ છે?”

મારી સંપત્તિ સાથે હું ચાહું તે કરી શકું શું તે વાજબી નથી? અથવા શું તારી આંખ દુષ્ટ છે કારણ કે હું ભલો છું? (માથ્થી ૨૦:૧૫ ULB)

જો કોઈ વ્યક્તિની આંખ દુષ્ટ હશે તો, તે વ્યક્તિ અન્ય વ્યક્તિના નાણા પ્રત્યે ઈર્ષાળુ હશે.

શરીરનો દીવો તે આંખ છે. તેથી, જો તારી આંખ સારી છે, તો આખું શરીર પ્રકાશે ભરેલું હશે. પરંતુ જો તારી આંખ ખરાબ છે, તો આખું શરીર અંધકારથી ભરેલું હશે. તેથી, જો જે પ્રકાશ તારામાં ભરેલો છે તે અંધકાર છે તો, અંધકાર કેટલો વધારે હશે! કોઈ વ્યક્તિ બે માલિકની સેવા કરી શકતો નથી, કેમ કે તે એકને નફરત કરશે અને બીજાને પ્રેમ, અથવા તે એકને સમર્પિત રહેશે અને બીજાને ધિક્કારશે. તમે ઈશ્વર અને દ્રવ્યની સેવા કરાય નહિ. (માથ્થી ૬:૨૨-૨૪ ULB)

એક વ્યક્તિ કે જે ઈર્ષાળુ છે તે પોતાની દુષ્ટ આંખોથી જોઇને કોઈ વ્યક્તિને શ્રાપ આપી શકે છે અથવા જાદુ કરી શકે છે.

મુર્ખ ગલાતીઓ, કોની દુષ્ટ આંખે તમને હાનિ પહોંચાડી છે? (ગલાતીઓ ૩:૧ ULB)

કોઈ સારી આંખ વાળો વ્યક્તિ કોઈની તરફ જોઇને તેને આશિષ આપી શકે છે.

જો હું તમારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો હોવ... (૧ શમૂએલ ૨૭:૫ ULB)

જીવનને રક્ત તરીકે રજૂ કરવામાં આવે છે

આ પદ્ધતિમાં, વ્યક્તિનું અથવા પ્રાણીનું રક્ત જીવન દર્શાવે છે.

પરંતુ તમારે માંસ તેના જીવન- એટલે કે રક્ત સાહે ખાવું નહિ. (ઉત્પત્તિ ૯:૪ ULB)

જો રક્ત રેડાયું છે અથવા વહેવડાવ્યું છે તો, કોઈને મારી નાખવામાં આવ્યો છે.

જે કોઈ માણસનું રક્ત વહેવડાવેછે, માણસ દ્વારા તેનું રક્ત પણ વહેવડાવશે, (ઉત્પત્તિ ૯:૬ ULB)

</બંધઅવતરણ> આ રીતે, રક્ત જે વહેવડાવવામાં આવ્યું છે, જે વ્યક્તિ તેનો બદલો લેવા માગે છે તેના હાથે ન માર્યો જાય, જ્યાં સુધી કે જેના ઉપર દોષ મુકવામાં આવ્યો છે તે પ્રથમ જઈને સભામાં ઊભો ન રહે. (યહોશૂઆ ૨૦:૯ ULB) </બંધઅવતરણ>

જો રક્ત હાંક મારે, તો સ્વભાવ જ જે વ્યક્તિએ કોઈને માર્યો છે તો કુદરત જ તેના બદલાની હાંક મારશે. (આમાં પણ વ્યક્તિત્વનો સમાવેશ થાય છે, કારણ કે રક્ત હાંક મારી શકે છે જે કોઈની છબી રજૂ કરે છે. જુઓ:વ્યક્તિત્વતા)

યહોવાહ કહે છે, તેં શું કર્યું છે? તારા ભાઈનું રક્ત મને હાંક મારે છે ભૂમિમાંથી. (ઉત્પત્તિ ૪:૧૦ ULB)

દેશને સ્ત્રીની જેમ રજૂ કરવામાં આવી છે, અને દેવોને તેના પતિ તરીકે.

ગીદીયોનના મરણ પછી એમ બન્યું કે, ઇઝરાયલના લોકો પાછા ફરી ગયા, અને બઆલની પૂજા કરીને પોતાને વ્યભિચારમાં સોંપ્યા. તેઓએ બઆલ બેરીથને તેઓનો દેવ બનાવ્યો. (ન્યાયાધીશો ૮:૩૩ ULB)

ઇઝરાયલ દેશને ઈશ્વરના પુત્ર તરીકે રજૂ કરવામાં આવે છે.

જ્યારે ઇઝરાયલ બાળક હતો ત્યારે હું તેના પર પ્રીતિ રાખતો હતો, અને મેં મારા પુત્રને મિસરમાંથી બોલાવ્યો. (હોશિયા ૧૧:૧ ULB)

સૂર્યને રાત્રીના એક પાત્ર તરીકે રજૂ કરવામાં આવે છે

અને છતાં તેના શબ્દો દુનિયામાં સર્વત્ર પહોંચે છે અને તેમની વાણી દુનિયાના અંત સુધી. તેમણે સૂર્યને સારું મંડપ ઊભો કર્યો છે. સૂર્ય વરરાજાની જેમ પોતાના ઓરડામાંથી બહાર આવે છે અને તે બળવાન માણસની જેમ પોતાની શરત દોડવામાં માને છે. (ગીતશાસ્ત્ર ૧૯:૪-૫ ULB)

ગીતશાસ્ત્ર ૧૧૦ સૂર્ય સવારમાં ઉગતા અગાઉ ગર્ભસ્થાનમાંથી નીકળતો હોય તેમ પ્રદર્શિત કરવામાં આવ્યો છે.

ગર્ભસ્થાનમાંથી તું બહાર આવે છે અને તારી યુવાવસ્થા ઝાકળ જેવી છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩ ULB)

જે વસ્તુઓ વધારે ઝડપથી ફરે છે તેને પાંખો છે તે રીતે રજૂ કરવામાં આવે છે

આ ખાસ વસ્તુઓ માટે ખરું છે જે હવામાં અથવા આકાશમાં ઝડપથી ફરે છે.

સૂર્યને પાંખોને પાતળી તકતી સાથે રજૂ કરવામાં આવ્યો છે, જે તેને હવામાં પૂર્વથી પશ્ચિમ સુધી “ઉડવા”માં મદદ કરે છે. ગીતશાસ્ત્ર ૧૩૯માં, “પરોઢની પાંખો” નો ઉલ્લેખ સૂર્ય માટે કરવામાં આવ્યો છે. માલાખી ૪ માં ઈશ્વરે પોતાને “ન્યાયીપણાના સૂર્ય” તરીકે કહ્યા છે અને તેઓ એવી રીતે બોલ્યા કે જેમ સૂર્યને પાંખો હોય.

જો હું પરોઢની પાંખો લઈને દૂર ઉડી જાઉં અને સમુદ્રને પેલે પાર જઈને વસુ... (ગીતશાસ્ત્ર ૧૩૯:૯ ULB)

</બંધઅવતરણ> પરંતુ તમે જેઓ મારા નામનો ભય માનો છો, ન્યાયીપણાના સૂર્ય તેની પાંખોમાં સાજાપણા સાથે ઉગશે. (માલાખી ૪:૨ ULB) </બંધઅવતરણ>

પવન ઝડપથી વહે છે અને તેને પાંખો તરીકે રજૂ કરવામાં આવે છે

તેને પવનની પાંખો લઈને ઉડતો જોવામાં આવ્યો. (૨ શમૂએલ ૨૨:૧૧ ULB)

</બંધઅવતરણ> તે કરૂબ પર સવારી કરીને ઉડ્યો; તે પવનની પાંખો લઈને ઉડ્યો. (ગીતશાસ્ત્ર ૧૮:૧૦ ULB) </બંધઅવતરણ>

પવનની પાંખો પર તે ચાલે છે (ગીતશાસ્ત્ર ૧૦૪:૩ ULB)

નિરર્થકતા તેને કંઈક એવી રીતે દર્શાવવામાં આવી છે જેને પવન ઉડાવીને દૂર ફેંકી દે છે

આ પદ્ધતિમાં, જે નિરર્થક વસ્તુઓ છે તેને પવન ઉડાવીને દૂર ફેંકી દે છે અને તેઓ ફેંકાઈ જાય છે.

ગીતશાસ્ત્ર ૧ અને અયૂબ ૨૭ બતાવે છે કે દુષ્ટ લોકો વ્યર્થ છે અને તેઓ લાંબુ જીવશે નહિ.

દુષ્ટો એવા નથી, પરંતુ તેઓ પવનથી ઉડતા ફોતરાં જેવા છે. (ગીતશાસ્ત્ર ૧:૪ ULB)

પૂર્વનો પવન તેને ઉડાવી જાય છે , અને તે જતાં રહે છે; તે તેને તેના સ્થાનથી ઉડાવી મૂકે છે. (અયૂબ ૨૭:૨૧ ULB)

સભાશિક્ષકનો લેખક કહે છે કે સઘળું વ્યર્થ છે.

ઝાકળની વરાળની જેમ, હવામાં પવનની જેમ, સઘળું વ્યર્થ છે, ઘણાં પ્રશ્નો છોડીને. જે બધો શ્રમ મનુષ્ય સૂર્યની હેઠળ ઉઠાવે છે, તેથી તેને શો લાભ છે? (સભાશિક્ષક ૧:૨-૩ ULB)

અયૂબ ૩૦:૧૫માં, અયૂબ ફરિયાદ કરે છે કે તેનું સમ્માન અને સમૃદ્ધિ ચાલ્યા ગયા.

ભય મારા પર આવી પડ્યો છે; મારું સમ્માન જો કે પવનથી દૂર કરવામાં આવે છે; મારી સમૃદ્ધિ વાદળની જેમ પસાર થઈ જાય છે . (અયૂબ ૩૦:૧૫ ULB)

માનવ યુદ્ધને દિવ્ય યુદ્ધ તરીકે રજૂ કરવામાં આવે છે

જ્યારે ત્યાં દેશો વચ્ચે યુદ્ધ હતું, લોકો એવું માનતા હતાં કે તે દેશોના દેવો પણ યુદ્ધ કરતાં હતા.

આ ત્યારે બન્યું કે જ્યારે મિસરીઓ તેઓના પ્રથમજનિતને દફનાવી રહ્યાં હતા, જેઓને યહોવાહે તેઓમાંથી માર્યા હતાં, કેમ કે તેમણે તેઓના દેવો પર પણ તે શિક્ષા લાવ્યા. (ગણના ૩૩:૪ ULB)

</બંધઅવતરણ> અને તમારા લોક ઇઝરાયલ જેવી આ પૃથ્વી પર બીજી પ્રજા કોણ છે, જેને ઈશ્વર, તમે પોતે છોડાવવા ગયા?...તમે તમારા લોકોની આગળથી દેશોને અને તેઓના દેવોને હાંકી કાઢ્યા, જેઓને તમે મિસરમાંથી બચાવ્યા હતાં. (૨ શમૂએલ ૭:૨૩ ULB) </બંધઅવતરણ>

આરામ રાજાના ચાકરે તેમને કહ્યું, “તેઓનો દેવ તો પર્વતોનો દેવ છે. તેથી તેઓ આપણા કરતાં બળવાન હતાં. પરંતુ આપણે તેઓની વિરુદ્ધ મેદાનમાં યુદ્ધ કરીએ, અને નિશ્ચે ત્યાં આપણે તેઓના કરતાં વધુ બળવાન થઈશું.” (૧ રાજાઓ ૨૦:૨૩ ULB)

જીવનમાં મર્યાદાઓને ભૌતિક સીમાઓ તરીકે રજૂ કરવામાં આવે છે

નીચેની કલમો તે સાચી ભૌતિક સીમાઓ વિષેની નથી પરંતુ તે મુશ્કેલીઓ વિષે અથવા જીવનમાં મુશ્કેલીઓના અભાવ વિષે નથી.

તેણે મારી આસપાસ દીવાલ બનાવી છે, અને હું બહાર નીકળી શકતો નથી. તેણે મારી બેડીઓ ભારે કરી છે. (વિલાપગીત ૩:૭ ULB)

</બંધઅવતરણ> તેણે ઘડેલા પથ્થરોની દીવાલથી મારો માર્ગ બંધ કર્યો છે; હું જે દરેક માર્ગ લઉ તે વાંકો છે. (વિલાપગીત ૩:૯ ULB)</બંધઅવતરણ>

માપવાની રેખાઓ મારો આનંદના સ્થાને પડ્યો છે (ગીતશાસ્ત્ર ૧૬:૬ ULB)

ભયજનક સ્થળોને સાંકળા સ્થાનો તરીકે રજૂ કરેલ છે

ગીતશાસ્ત્ર ૪ માં દાઉદ ઈશ્વરને પોતાને છોડાવવા કહે છે.

મારા ન્યાયીપણાના ઈશ્વર, જ્યારે હું હાંક મારું ત્યારે મને ઉત્તર આપજો; જ્યારે હું સંકટમાં હોઉં ત્યારે મને છોડાવજો. મારા પર દયા રાખજો અને મારી પ્રાર્થના સાંભળજો. (ગીતશાસ્ત્ર ૪:૧ ULB)

દુઃખદાયી પરિસ્થિતિને અરણ્ય તરીકે વર્ણવવામાં આવી છે

જ્યારે અયૂબ તેની સાથે બનતી તમામ દુખિત બાબતોને કારણે પીડાતો હતો ત્યારે, તે બોલ્યો કે જેમ તે અરણ્યમાં હોય. શિયાળો અને શાહમૃગ એ પ્રાણીઓ અરણ્યમાં રહે છે.

મારું હૃદય શોકાતુર છે અને બિલકુલ આરામ નથી; પીડાદાયક દિવસો મારી પર આવી પડ્યા છે. મારી ચામડી કાળી પડી ગઈ છે પરંતુ સૂર્યને કારણે નહિ; હું સભામાં ઊભો રહીને સહાય માટે પોકાર કરું છું. હું શિયાળોનો ભાઈ છું, શાહમૃગનો સાથી. (અયૂબ ૩૦:૨૭-૨૯ ULB)

સારાપણાને ભૌતિક સ્વચ્છતા, અને દુષ્ટતાને ભૌતિક ગંદકી તરીકે રજૂ કરવામાં આવે છે

રક્તપિત્ત એક રોગ છે. જો કોઈ વ્યક્તિને તે છે તો, તેને અશુદ્ધ કહેવામાં આવે છે.

જુઓ, એક કોઢી તેમની પાસે આવ્યો અને ઘુટણે પડીને કહ્યું, “પ્રભુ જો તમે ચાહો તો, તમે ચાહો તો મને શુદ્ધ કરી શકો છો.” ઈસુએ પોતાનો હાથ લાંબો કરીને તેને અડકીને કહ્યું, “હું ચાહું છું. શુદ્ધ થા.” તરત જ તે કોઢથી શુદ્ધ થયો (માથ્થી ૮:૨-૩ ULB)

“અશુદ્ધ આત્મા” તે “દુષ્ટ આત્મા” છે.

જ્યારે અશુદ્ધ આત્મા તે માણસમાંથી નીકળ્યા પછી, તે ઉજ્જડ જગાઓમાં વિસામો શોધતો ફરે છે, પરંતુ તેને તે મળતો નથી. (માથ્થી ૧૨:૪૩ ULB)