gu_ta/translate/bita-humanbehavior/01.md

31 KiB
Raw Permalink Blame History

મનુષ્ય વર્તનને લગતી બાઈબલમાં સમાવેલ કેટલીક છબીઓ નીચે મુજબ છે. બધા જ મૂળ અક્ષરો વાળો શબ્દ છબીનું પ્રતિનિધિત્વ કરે છે. શબ્દ જે સામાન્ય રીતે તમામ કલમોમાં દ્રશ્યમાન નથી તેમાં છબી છે, પરંતુ તે શબ્દ જે વિચારનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં છે.

વળેલું હોવું તે નિરુત્સાહી હોવાનું પ્રતિનિધિત્વ કરે છે.

યહોવાહ પડતા માણસોને સહાય કરે છે અને જેઓ વળી ગયેલ છે તેઓને ઉઠાડે છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૪ ULB)

જન્મનું દર્દ તે એવી સ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે જે નવી શરત પ્રાપ્ત કરવા માટે જરૂરી છે.

જન્મ આપવા માટે વેદના અને દુઃખમાં હો , સિયોનની પુત્રી, જેમ સ્ત્રી પ્રસવ વેદનામાં હોય. કેમ કે હવે તું નગરની બહાર નીકળી જશે, સીમમાં નિવાસ કરશે, અને બાબીલમાં જશે. ત્યાં તને છોડાવવામાં આવશે. ત્યાં યહોવાહ તને દુશ્મનોના હાથથી છોડાવશે. (મીખાહ ૪:૧૦ ULB)

<બંધઅવતરણ>કેમ કે દેશ દેશની વિરુદ્ધ, અને રાજ્ય રાજ્યની વિરુદ્ધ થશે. અલગ અલગ જગ્યાઓએ દુકાળ અને ધરતીકંપ થશે. પરંતુ આ બધું તો જન્મના વેદનાની શરૂઆત જ હશે. (માથ્થી ૨૪:૭-૮ ULB) </બંધઅવતરણ>

મારા નાના છોકરાં, તમારા માટે મને પ્રસૂતાના જેવી વેદના થાય છે, જ્યાં સુધી કે તમારામાં ખ્રિસ્તની પ્રતિમા ઉત્પન્ન ના થાય. (ગલાતીઓ ૪:૧૯ ULB)

કંઈક માટે બોલાવવાયેલ તે બનવા માટેનું પ્રતિનિધિત્વ કરે છે.

ઇઝરાયલના પવિત્ર તારા ઉદ્ધારકર્તા છે; તેઓ આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે. (યશાયા 54:૫બ ULB)

આ તે માટે છે કારણ કે તે ખરેખર આખી પૃથ્વીના ઈશ્વર છે.

જે જ્ઞાની હૃદયવાળો માણસ છે તે સમજદાર કહેવાશે, (નીતિવચન ૧૬:૨૧અ ULB)

આ તે માટે છે કારણ કે તે ખરેખર સમજદાર છે.

તે....સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર કહેવાશે. (લુક ૧:૩૨ ULB)

આ તે માટે છે કારણ કે તે ખરેખર સર્વોચ્ચ ઈશ્વરના પુત્ર છે.

તેથી (લુક ૧:૩૫ ULB)

જે પવિત્ર જન્મ લેનાર છે તેઓ ઈશ્વરના પુત્ર કહેવાશે.

દરેક અવતરેલ પ્રથમ નર તે ઈશ્વરને સમર્પિત કહેવાશે. (લુક ૨:૨૩ ULB)

આ તે માટે છે કારણ કે તે ખરેખર ઈશ્વરને સમર્પિત છે.

શુદ્ધતા ઈશ્વરના હેતુઓ માટે સ્વીકાર્ય છે તેનું પ્રતિનિધિત્વ કરે છે.

નૂહે યહોવાહ માટે વેદી બનાવી. તેણે કેટલાંક શુદ્ધ પશુઓ અને થોડા શુદ્ધ પક્ષીઓ, લઈને વેદી પર તેઓનું દહાનાર્પણ ચઢાવ્યું. યહોવાહને તેની સુવાસ આવી. (ઉત્પત્તિ ૮:૨૦ ULB)

યાજક તેને સાતમે દિવસે બીજી વાર તપાસે તે જોવા માટે કે તે રોગ ઝાંખો પડ્યો ક નહિ અને તે ત્વચામાં પ્રસર્યો છે કે નહિ. જો તે પ્રસર્યો ન હોય તો, યાજક તેને શુદ્ધ ઠરાવે. તે ચાંદુ છે. તેણે પોતાના કપડા ધોવા, અને ત્યાર પછી તે શુદ્ધ કહેવાશે. (લેવીય ૧૩:૬ ULB)

સાફ કરવું અથવા શુદ્ધિકરણ ઈશ્વરના હેતુઓ માટે સ્વીકાર્ય છે તેનું પ્રતિનિધિત્વ કરે છે

તેણે યહોઅવાહની સન્મુખની વેદી પાસે બહાર આવીને તેને સારું તે પ્રાયશ્ચિત કરે; અને બળદના રક્તમાંનું તથા બકરાના રક્તમાંનું લઈને તે વેદીના શીંગોની આસપાસ તે ચોપડે. તે એ રક્તમાંથી પોતાની આંગળી વડે તેના ઉપર સાત વાર છાંટીને તેને શુદ્ધ કરે, અને યહોવાહને સમર્પિત કરે, ઇઝરાયલના લોકોના અશુદ્ધ કાર્યોથી તેને દૂર કરે. (લેવીય ૧૬:૧૮-૧૯ ULB)

<બંધઅવતરણ> આ તે એટલા માટે કારણ કે આ દિવસે યહોવાહની સમક્ષ તારે સારું પ્રાયશ્ચિત કરવામાં આવ્યું, તને શુદ્ધતારા સઘળાં પાપોથી શુદ્ધ કરવાને માટે. (લેવીય ૧૬:૩૦ ULB) <બંધઅવતરણ>

અશુદ્ધતા ઈશ્વરના હેતુઓ માટે અસ્વીકાર્ય છે તેનું પ્રતિનિધિત્વ કરે છે

પશુઓમાંથી જેને ફાટેલી ખરી અને જે વાગોળતું હોય તે તમે ખાઈ શકો છો. તેમ છતાં, કેટલાંક પશુઓ વાગોળતા હોય છે અથવા તો ખરી ફાટેલી હોય છે, અને તે તમારે ખાવા નહિ, પશુઓ જેવા કે ઊંટ, કારણ કે તે વાગોળે છે પરંતુ તેની ખરી ફાટેલી નથી. તેથી ઊંટ તે તમારા માટે અશુદ્ધ છે. (લેવીય ૧૧:૩-૪ ULB)

<બંધઅવતરણ>અને તેઓમાંનું કોઈ મરી જાય અને મડદું કોઈના પર પડે, તો તે વસ્તુ અશુદ્ધ ગણાય, તે લાકડાંનું, કપડાનું, ચામડાનું અથવા તાટનું બનેલું હોય. તે જે કંઈ હોય અને તેનો ઉપયોગ ગમે તે માટે થતો હોય, તેને પાણીમાં મૂકી દેવું; તે સાંજ સુધી અશુદ્ધગણાય. તે પછી તે શુદ્ધ ગણાય. (લેવીય ૧૧:૩૨ ULB) </બંધઅવતરણ>

કંઈક અશુદ્ધ બનાવવું તે ઈશ્વરના હેતુઓ માટે અસ્વીકાર્ય છે તેનું પ્રતિનિધિત્વ કરે છે

અથવા જો કોઈ જેને ઈશ્વરે અશુદ્ધ કહ્યું છે, જો તે, મડદાં પરનો કોઈ ભાગ કેમ ના હોય તે અશુદ્ધ છે, ભલે તે જંગલી પશુ અથવા ઢોરના અથવા તો સર્પટીયાનાં મડદાંનો કોઈ ભાગ કેમ ના હોય, જો કે તે વ્યક્તિએ તેનો સ્પર્શ અજાણતાથી પણ કર્યો હોય, તો તે અશુદ્ધ અને દોષી છે. (લેવીય ૫:૨ ULB)

કંઈકમાંથી કપાઈ જવું તે તેમાંથી અલગ થવાનું પ્રતિનિધિત્વ કરે છે.

ઉઝિઝયા રાજા, જીવ્યો ત્યાં સુધી કોઢીયો રહ્યો, અને તે કોઢીયો હોવાને કારણે, એક અલગ ઘરમાં રહેતો હતો; કેમ કે તેને યહોવાહના ઘરમાંથી કાઢી નાંખવામાં આવ્યો હતો. (૨ કાળવૃતાંત ૨૬:૨૧ ULB)

કપાઈ જવું તે મૃત્યુ પામવું તેનું પ્રતિનિધિત્વ કરે છે.

તેથી તારે સાબ્બાથ પાળવો, કેમ કે તે તારા માટે પવિત્ર છે, તેમનાં માટે રાખેલ છે. જે કોઈ તેનું ઉલ્લંઘન કરે તે નિશ્ચે માર્યો જાય. જે કોઈ સાબ્બાથના દિવસે કાર્ય કરે, તે વ્યક્તિ તેના લોકોમાંથી અલગ કરાય. (નિર્ગમન ૩૧:૧૪-૧૫ ULB)

<બંધઅવતરણ>તે દિવસે જે કોઈ પોતાને નમ્ર નથી કરતો તે નિશ્ચે તેના લોકોમાંથી અલગ કરાય. તે દિવસે જે કોઈ કાર્ય કરે, તેના લોકોમાંથી <હું, યહોવાહ, તેનો નાશ કરીશ. (લેવીય ૨૩:૨૯-૩૦ ULB) </બંધઅવતરણ>

પરંતુ તે જીવતાઓની ભૂમિમાંથી કાઢી નંખાશે. (યશાયા ૫૩:૮ ULB)

કોઈની સામે આવી અને ઊભું રહેવું તે તેમની સેવા કરવાનું પ્રતિનિધિત્વ કરે છે

<બંધઅવતરણ>તારા લોક, અને તારા સેવકો કેટલા આશીર્વાદિત છે કે જેઓ નિરંતર તારી સમક્ષતામાં ઊભારહે છે, કારણ કે તેઓ તારું જ્ઞાન સાંભળે છે. (૧ રાજાઓ ૧૦:૮ ULB) </બંધઅવતરણ>

કરારનું વિશ્વાસુપણું અને ભરોસાપાત્રતા તમારી સમક્ષતામાં આવે છે. (ગીતશાસ્ત્ર ૮૯:૧૪ ULB)

કરારનું વિશ્વાસુપણું અને ભરોસાપાત્રતાને પણ અહીં વ્યક્તિસ્વરૂપ ગણવામાં આવી છે. (જુઓ વ્યક્તિગત થવું)

દારૂ પીધેલી હાલત પીડા દર્શાવે અને દ્રાક્ષારસ ન્યાય દર્શાવે છે

વધુ પ્રમાણમાં દ્રાક્ષારસ વ્યક્તિને નબળો બનાવે છે અને તેને અલગ પાડી દે છે. તેથી, જ્યારે ઈશ્વર લોકોનો ન્યાય કરે, ત્યારે પણ તેઓ નબળા અને અલગ પડી જાય છે. તેથી દ્રાક્ષારસનો વિચારનો ઉપયોગ ઈશ્વરના ન્યાયને દર્શાવવા માટે કરવામાં આવે છે.

તમે તમારા લોકને કઠણ પ્રસંગો દેખાડ્યા છે; તમે અમને દ્રાક્ષારસ પીને લથડીયા ખાતા બનાવ્યા છે. (ગીતશાસ્ત્ર ૬૦:૩ ULB)

ગીતશાસ્ત્રમાંથી અન્ય ઉદાહરણ.

પરંતુ ઈશ્વર ન્યાયાધીશ છે; તે એક ને નીચે પાડે છે અને બીજાને ઉપર ઉઠાવે છે. કેમ કે યહોવાહએ હાથમાં રાતા દ્રાક્ષારસનોપ્યાલો પકડી રાખ્યો છે, તે તેજાનાથી ભેળવેલો છે, અને તેને પીરસે છે. નિશ્ચે પૃથ્વીના સર્વ દુષ્ટો છેલ્લા ટીપાં સુધી તેને પીશે. (ગીતશાસ્ત્ર ૭૫:૮ ULB)

પ્રકટીકરણમાંથી ઉદાહરણ.

તે પણ ઈશ્વરના કોપનો દ્રાક્ષારસ પીશે, દ્રાક્ષારસને તૈયાર કરવામાં આવ્યો છે અને તેને તેમના ક્રોધના પ્યાલામાં મિશ્રણ વિના રેડેલો છે. (પ્રકટીકરણ ૧૪:૧૦ ULB)

ખાઈ જવું તે નાશ કરવું દર્શાવે

ઈશ્વર (ઇઝરાયલ)ને મિસરમાંથી બહાર લાવે છે. તેમનામાં એક જંગલી બળદ જેટલી તાકાત છે. જે દેશો તેઓની સામે લડે છે તેઓને ખાઈ જશે. તે તેઓના હાડકાંઓને ભાગીને ચૂરેચૂરા કરશે. તે બાણથી તેઓને વીંધી નાખશે. (ગણના ૨૪:૮ ULB)

“ખાઈ જવાનો” બીજો શબ્દ આગથી નાશ કરવો છે.

તેથી જ અગ્નિની જીભ છીણીને નાશ કરે છે, અને જેમ સુકું ઘાસ જ્વાળામાં બળી જાય છે, તેથી તેની જડ કોહી જશે, અને તેઓની ખૂશ્બુ ધૂળની જેમ ઊડી જશે, (યશાયા ૫:૨૪ ULB)

યશાયામાંથી અન્ય ઉદાહરણ.

તેથી યહોવાહ રસીન, તેના શત્રુઓની તેની સામે થશે, અને તેના વૈરીઓને ઉશ્કેરશે, પૂર્વ તરફથી અરમીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને. તેઓ ઇઝરાયલને મુખ પહોળું કરીને ગળી જશે . (યશાયા ૯:૧૧-૧૨ ULB)

પુનર્નીયમમાંથી ઉદાહરણ.

હું મારા બાણોને રક્ત પાઈને તૃપ્ત કરીશ, અનેમારી તરવાર માંસ ખાશે મારી નંખાયેલા તથા કેદ પકડાયેલાઓના રક્તથી, અને શત્રુના અગ્રેસરોના માથાના લોહીથી. (પુનર્નીયમ ૩૨:૪૨ ULB)

ઉપર આવવું અથવા ઉપર રહેવું તે અસરનું પ્રતિનિધિત્વ કરે છે.

<બંધઅવતરણ>યહોવાહ ઈશ્વરે માણસને ઊંડી ઊંઘમાં નાંખ્યો, જેથી માણસ સુઈ જાય. (ઉત્પત્તિ ૨:૨૧ ULB) </બંધઅવતરણ>

શું તેમનો પ્રતાપ તમને નહિ ડરાવે? તો તેનો ભય તમારા પર નહિ આવે? (અયૂબ ૧૩:૧૧ ULB)

<બંધઅવતરણ> પછી યહોવાહનો આત્મા મારા પર આવ્યોઅને તેમણે મને કહ્યું... (હઝકીયેલ ૧૧:૫ ULB) </બંધઅવતરણ>

હવે જુઓ, પ્રભુનો હાથ તારા પર છે, અને તું આંધળો થશે. (પ્રેરીતોના કૃત્યો ૧૩:૧૧ ULB)

કોઈનું અનુસરણ કરવું તે વફાદાર હોવાનું પ્રતિનિધિત્વ કરે છે.

તેઓ યહોવાહથી દૂર થયા, તેઓના પિતૃઓના ઈશ્વરથી, કે જે તેઓને મિસરની ભૂમિમાંથી બહાર કાઢી લાવ્યા. તેઓ અન્ય દેવોની પાછળ ગયા, જે લોકો તેઓની આસપાસ હતા તેઓના જ દેવો, અને તેઓને નમન પણ કર્યું. તેઓએ યહોવાહના ગુસ્સે કર્યા કારણ કે તેઓ યહોવાહથી દૂર રહ્યા હતા અને બઆલ તથા આશ્તોરેથની પૂજા કરતાં હતાં.

<બંધઅવતરણ> માટે સુલેમાન, સિદોનીઓની દેવી આશ્તોરેથ અનુસર્યો, અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મિલ્કોમની પાછળ ગયો. (૧ રાજાઓ ૧૧:૫ ULB) </બંધઅવતરણ>

તેઓમાનો દરેક જેણે મને તુચ્છકાર્યો તે એક પણ જોવા પામશે નહિ, મારા સેવક કાલેબ સિવાય, કારણ કે તેને જુદો આત્મા છે.તે મારામાં સંપૂર્ણ રીતે ચાલ્યો છે; તે માટે જે દેશમાં તે તપાસ માટે ગયો હતો તેમાં હું તેને લાવીશ. તેના સંતાનો તે વતન પામશે. (ગણના ૧૪:૨૩-૨૪ ULB)

અગાઉ જવું, સાથ આપવો, અથવા અન્ય સેવકો સાથે રાજાનું અનુસરણ કરવું તે સેવા કરવાનું પ્રતિનિધિત્વ કરે છે.

જુઓ, તેનો બદલો તેની સાથે, અને તેનું વળતર છે તેની આગળ છે. (યશાયા ૬૨:૧૧ ULB)

<બંધઅવતરણ> ન્યાયીપણું તેની આગળ ચાલશેઅને તેના પગલાંઓને માટે માર્ગ તૈયાર કરશે. (ગીતશાસ્ત્ર ૮૫:૧૩ ULB) </બંધઅવતરણ>

વારસો મેળવવો એટલે કાયમી રૂપે કંઈક ધરાવે છે.

ત્યારે રાજા પોતાની જમણી તરફનાઓને કહેશે, “આવો, મારા બાપના આશીર્વાદીતો, જે રાજ્ય જગતનો પાયો નાખ્યા અગાઉ તમારે સારું તૈયાર કરેલું છે તેનો વારસો લો. (માથ્થી ૨૫:૩૪)

ઈશ્વરના સંપૂર્ણ શાસનનો આશીર્વાદ રાજા જેણે બોલાવે છે તેના માટે કાયમી વારસા તરીકે આપવામાં આવે છે.

હવે હું આ કહું છું, ભાઈઓ અને બહેનો, માંસ તથા રક્ત ઈશ્વરના રાજ્યનો વારસો પામી શકતા નથી. તેમ જ વિનાશીપણું અવિનાશીપણાનો વારસો પામી શકનાર નથી. (૧ કરીંથી ૧૫:૫૦ ULB)

જ્યારે લોકો તેમના નશ્વર દેહમાં હોય ત્યારે, લોકો તેના સ્થાને કાયમી વારસા તરીકે ઈશ્વરના રાજ્યને સંપૂર્ણ સ્વરૂપમાં પ્રાપ્ત કરી શકતા નથી.

“વારસો” તે એવી બાબત છે જે કોઈ કાયમી વતન પ્રાપ્ત કરે છે

તમે તેઓને તમારા વારસાના પર્વત પર લાવીને તેઓને રોપશો. (નિર્ગમન ૧૫:૧૭ ULB)

પર્વત કે જ્યાં ઈશ્વરની આરાધના થશે તે તેમનું કાયમી વતન તરીકે દર્શાવાયું છે.

અમારા અન્યાય અને અમારા પાપ માફ કરો, અને અમને તમારા વારસા તરીકે લો. (નિર્ગમન ૩૪:૯ ULB)

મૂસા ઈશ્વરને હજુ પણ ઇઝરાયલના લોકોને તેમનું ખાસ વતન તરીકે સ્વીકારવાનું કહે છે, કે જે, લોકો હંમેશા તેમના જ હતાં.

તેમના માટે જેઓને અલગ કરવામાં આવ્યા છે, તેમના વારસાની મહિમાની સંપત્તિ છે. (એફેસી ૧:૧૮ ULB)

અદભૂત બાબતો જે ઈશ્વર તેમના અલગ કરાયેલાઓને આપવાના છે તેને અહીંયા તેઓના કાયમી વતન તરીકે દેખાડવામાં આવ્યું છે.

વારસદાર કે જે એક એવો વ્યક્તિ છે જે કાયમી સંપત્તિ તરીકે કંઈક મેળવે છે.

કેમ કે જગતના વારસ થવાનું વચન ઈબ્રાહીમ અને તેના વંશજોને નિયમ દ્વારા મળ્યું ન હતું. (રોમન ૪:૧૩ ULB)

વચન તે હતું કે ઈબ્રાહીમ અને તેના વંશજો આ જગતનુ કાયમી વતન પામશે.

ઈશ્વરે આપણી સાથે પુત્ર મારફતે વાત કરી, જેને તેમણે સઘળાંનો વારસ તરીકે ઠરાવ્યો છે. (હિબ્રુ ૧:૨ ULB)

ઈશ્વરનો પુત્ર આ સઘળી બાબતો પોતાના કાયમી વતન તરીકે પામશે.

નૂહે વિશ્વાસ દ્વારા જ...જગતને દોષ આપ્યું અને તે વારસોન્યાયીપણાનો છે વિશ્વાસ દ્વારા મળે છે. (હિબ્રુ ૧૧:૭ ULB)

નૂહે ન્યાયીપણું કાયમી વતન તરીકે પ્રપ્ર્ત કર્યું.

સુઈ જવું તે મરણ પામવાનું પ્રતિનિધિત્વ કરે છે.

<બંધઅવતરણ> જ્યારે તારા દિવસો પૂરા થશે, અને તું તારા પિતૃઓ સાથે ઊંઘી જશે, હું તારા પછી તારા સંતાનને ઊભો કરીશ, (૨ શમૂએલ ૭:૧૨ ULB) </બંધઅવતરણ>

તેઓને પૂછો, ‘તું સૌંદર્યમાં કોનાથી શ્રેષ્ઠ છે?નીચે જઈને સુઈ જા બેસુન્ન્તોની સાથે! તેઓ તરવારથી કતલ થયેલોઓમાં જઈ પડશે! મિસરને તરવાર સોંપવામાં આવી છે; તેને તથા તેના સેવકોને ઘેરી લો! (હઝકીયેલ ૩૨:૧૯-૨૦ ULB)

રાજ કરવું અથવા શાસન કરવું તે નિયંત્રિત કરવાનું પ્રતિનિધિત્વ કરે છે

આ બન્યું કે જેથી, જેમ પાપે મરણમાં રાજ કર્યું, તેવી જ રીતે કૃપા ઈસુ ખ્રિસ્ત આપણા પ્રભુ દ્વારા અનંતજીવન ને માટે ન્યાયીપણા દ્વારા રાજ કરે. (રોમન ૫:૨૧ ULB)

<બંધઅવતરણ>તેથી તમે પાપની દુર્વાસાનાઓની આધીન ન થાઓ, એ માટે તમે તેને તમારા મર્ત્ય શરીરમાં રાજ કરવા ન દો. (રોમન ૬:૧૨ ULB) </બંધઅવતરણ>

વિશ્રામ કરવો અથવા વિશ્રામસ્થાન કાયમી લાભદાયી પરિસ્થિતિનું પ્રતિનિધિત્વ કરે છે

તેની સાસુ નાઓમીએ તેને કહ્યું, “મારી પુત્રી, શું તારું ભલું થાય તે માટે તારે સારું હું આરામવાળું ઘર ન શોધું?” (રૂથ ૩:૧ ULB)

<બંધઅવતરણ> માટે મેં મારા કોપમાં સમ ખાધા કે, તેઓ મારા વિશ્રામમાં પેસશે નહિ. (ગીતશાસ્ત્ર ૯૫:૧૧ ULB) </બંધઅવતરણ>

આ મારું સદાકાળનુ વિશ્રામ સ્થાન છે; હું અહીં જ રહીશ, કેમ કે મેં તેને ઈચ્છ્યું છે[સિયોન]. (ગીતશાસ્ત્ર ૯૫:૧૧ ULB)

<બંધઅવતરણ>વિદેશીઓ તેની શોધ કરશે, અને તેનું વિશ્રામ સ્થાન મહિમાવંત થશે. (યશાયા ૧૧:૧૦ ULB) </બંધઅવતરણ>

ઉઠવું, ઊભા રહેવું કાર્યનું પ્રતિનિધિત્વ કરે છે

તમે અમને સહાય કરવા ઊઠો અને તમારી કૃપાથી અમને છોડાવી લો. (ગીતશાસ્ત્ર ૪૪:૨૬ ULB)

કંઈકજોવું તે ત્યાં હોવાનું પ્રતિનિધિત્વ કરે છે

જેઓની ઉપર તમારી કૃપા છે તેઓને તમે શેઓલ જોવાદેશો નહિ. (ગીતશાસ્ત્ર ૧૬:૧૦ ULB)

વેચવું તે કોઈના નિયંત્રણ પર સોંપવાનું પ્રતિનિધિત્વ કરે છે ખરીદવું તે અન્ય કોઈના નિયંત્રણમાંથી દૂર કરવાનું પ્રતિનિધિત્વ કરે છે.

(યહોવાહે) ઇઝરાયલીઓને અરામ નાહરાઈમના રાજા કૂશાન રિશઆથાઈમના હાથમાં વેચી દીધા. (ન્યાયાધીશો ૩:૮ ULB)

બેસવું તે શાસન છે

કૃપાથી રાજ્યાસન સ્થાપિત થશે, અને દાઉદના માંડવામાંથી કોઈ એક તે પર બિરાજશે. (યશાયા ૧૬:૫ ULB)

સફળતાપૂર્વક પ્રતિકારનું પ્રતિનિધિત્વ કરે છે

ન્યાયાસન આગળ દુષ્ટો ટકશે નહિ, તથા ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. (ગીતશાસ્ત્ર ૧:૨ ULB)

ચાલવું વ્યવહારનું પ્રતિનિધિત્વ અને રસ્તો (માર્ગ) વ્યવહારનું પ્રતિનિધિત્વ કરે છે.

જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતોનથી. (ગીતશાસ્ત્ર ૧:૧ ULB)

<બંધઅવતરણ>કેમ કે યહોવાહ ન્યાયીઓનો માર્ગ જાણે છે. (ગીતશાસ્ત્ર ૧:૬ ULB) </બંધઅવતરણ>

મને કપટના માર્ગ માંથી પાછો ફેરવો. (ગીતશાસ્ત્ર ૧૧૯:૨૮ ULB)

<બંધઅવતરણ>હું તમારી આજ્ઞાઓના માર્ગમાં દોડીશ. (ગીતશાસ્ત્ર ૧૧૯:૩૨ ULB) </બંધઅવતરણ>