gu_obs/content/11.md

4.1 KiB

પાસ્ખા

OBS Image

ઈશ્વરે ફારુનને ચેતવ્યો કે જો તે ઈઝ્રાયલીઓને જવા નહીં દે તો તે લોકો અને પશુઓમાંથી દરેક પ્રથમજનિતને મારી નાંખશે.જ્યારે ફારુને તે સાંભળ્યું ત્યારે તેણે તે માનવાનું અને ઈશ્વરને આજ્ઞાધિન રહેવાનું નકાર્યું.

OBS Image

ઈશ્વર પર જે કોઈ વિશ્વાસ કરે તેના માટે એક માર્ગ આપ્યો છે કે જે દ્વારા તેના પ્રથમજનિતને બચાવી શકાય.દરેક પરિવારે એક સંપૂર્ણ બલિદાન (ઘેટું) લેવું અને તેનું અર્પણ કરવું.

OBS Image

ઈશ્વરે ઈઝ્રાયલીઓને કહ્યું કે હલવાનના રક્તમાંથી થોડુંક તેમના દરવાજાઓની બારસાખો પર લગાડો અને શેકેલું માંસ ખમીર વગરની રોટલી સાથે ઝડપથી ખાઈ લો.તેઓ જ્યારે ખાતા હતા ત્યારે તેઓને તેણે મિસર છોડવા માટે તૈયાર રહેવા જણાવ્યું.

OBS Image

ઈશ્વરે ઈઝ્રાયલીઓને જેવું કરવા માટે કહ્યું હતું તેવું જ તેઓએ કર્યું.મધ્ય રાત્રીએ ઈશ્વર મિસરના પ્રથમજનિતને મારવા માટે નીકળ્યા.

OBS Image

બધા જ ઈઝ્રાયલીઓના બારણા આગળ રક્ત લગાડેલું હતું, જેથી ઈશ્વર તે દરેકને છોડી દે.તેઓમાંનો દરેક જણ સુરક્ષિત હતોહલવાનના રક્તના કારણે તેઓને છોડી દેવામાં આવ્યા.

OBS Image

પરંતુ મિસરીઓએ ઈશ્વરનું માન્યું નહીં અને તેની આજ્ઞા માની નહીં.માટે ઈશ્વરે તેમના ઘર છોડ્યા નહીં.ઈશ્વરે મિસરના દરેક પ્રથમજનિતને મારી નાંખ્યો.

OBS Image

મિસરનું દરેક નર બાળક જેલમાં બંદીથી લઈને ફારુનનાં પ્રથમજનિત સુધી દરેકનું મૃત્યુ પામ્યો.મિસરમાં લોકો પોતાના ઊંડા દુ:ખોના લીધે કલ્પાંત કરવા લાગ્યા અને વિલાપ કરવા લાગ્યા.

OBS Image

એ જ રાત્રીએ, ફારુને, મૂસા અને હારુનને બોલાવીને કહ્યું, “ઈઝ્રાયલીઓને લઈને હમણાં જ મિસર છોડી દે !’’મિસરીઓએ પણ ઈઝ્રાયલી લોકોને તુરંત જતા રહેવા અરજ કરી.

બાઈબલની વાર્તાનિર્ગમન 11:1-12:32